શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
7 ફેબ્રુઆરીએ અસુદ્દીન ઔવેસી ગુજરાત ગુજરાત આવશે, અમદાવાદમાં યોજશે સભા
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સાંજે છ વાગ્યે ઔવેસી જાહેર સભા સંબોધશે.
![7 ફેબ્રુઆરીએ અસુદ્દીન ઔવેસી ગુજરાત ગુજરાત આવશે, અમદાવાદમાં યોજશે સભા On February 7, Asaduddin Owaisi will visit Gujarat, will hold a meeting in Ahmedabad 7 ફેબ્રુઆરીએ અસુદ્દીન ઔવેસી ગુજરાત ગુજરાત આવશે, અમદાવાદમાં યોજશે સભા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/05130604/Asaduddin-Owaisi-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પડઘમ વાગતાંની સાથે જ AIMIMએ ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જે બાદ BTP અને AIMIM વચ્ચે ગઠબંધન થયું છે. અગાઉ ચાર ફેબ્રુઆરીએ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસની સંભાવના હતી. જોકે હવે તેઓ 7 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવશે અને અમદાવાદમાં સભાને સંબોધન કરશે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સાંજે છ વાગ્યે ઔવેસી જાહેર સભા સંબોધશે. ઔવેસીની સભા બાદ AIMIM પોતાના ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે. કોટ વિસ્તારમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવા AIMIMની રણનીતિ ઘડાઈ રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીટીપીએ AIMIM સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાને ઉતરવાનું મન બનાવ્યુ છે. બીજી તરફ ગુજરાત રાજ્યની કોંગ્રેસ પાર્ટીના ગઢ સમાન ભરૂચના મનુબાર ચોકડી વિસ્તારમાં રવિવારે ઓવૈસી અને છોટુ વસાવાનું મહા સંમેલન યોજાશે..અને બનેં પાર્ટીના નેતાઓ પ્રજાને સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીના પક્ષે ગુજરાતના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી હતી. અમદાવાદના જમાલપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાને AIMIM દ્વારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)