શોધખોળ કરો

Sabarkantha: કોરોના બાદ ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી, બે દિવસમાં 4 બાળકોના મોત થયાનો દાવો

Sabarkantha: એક તરફ ચોમાસાની ઋતુમાં રાજ્યમાં ઝાડ,ઉલટી અને તાવના કેસો વધી રહ્યા છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં એક નવા રોગે માથું ઉચક્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા નામના વાયરસે દસ્તક આપી છે.

Sabarkantha: એક તરફ ચોમાસાની ઋતુમાં રાજ્યમાં ઝાડ,ઉલટી અને તાવના કેસો વધી રહ્યા છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં એક નવા રોગે માથું ઉચક્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા નામના વાયરસે દસ્તક આપી છે. જેના કારણે સંક્રમિત થયાના 2 દિવસમાં ચાર બાળકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ વાયરસને લઈને સક્રિય બની છે અને તપાસ પણ શરૂ કરી છે.

કોરોના વાયરસ બાદ ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે દસ્તક આપી છે. આ વાયરસના કારણે 2 દિવસમાં 4 બાળકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં આ બાળકોના મોત થયા હતા. હાલમાં બાળકોના સેમ્પલ પુના ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ, આ વાયરસના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે.

અન્ય બે બાળકો સારવાર હેઠળ છે
મળતી માહિતી મુજબ, આ વાયરસથી સંક્રમિત અન્ય બે બાળકોની સારવાર ચાલી રહી છે. બાળકોના મોત બાદ આરોગ્ય વિભાગ પણ સક્રિય બન્યું છે અને નવા વાયરસને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સર્વે શરૂ કર્યો છે.

ઈન્ફેક્શનને કારણે મગજમાં સોજો આવે છે
મળતી માહિતી મુજબ, 'ચાંદીપુરા' વાયરસથી સંક્રમિત બાળકોના મગજમાં સોજો અને અન્ય ઘણા લક્ષણો દેખાવા લાગે છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસથી સંક્રમિત બાળકોના પરિવારના સભ્યોના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. જો કે, હજુ સુધી એ વાત સામે આવી નથી કે, બિમારી ક્યા કારણે થઈ રહી છે. જો કે, આ અજાણ્યા વાયરસથી થતા મોતને કારણે લોકોમાં ડરનો માહોલ જરુર છે.

6 સેમ્પલ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા હતા
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ થયા હતા. સાબરકાંઠાના ખેડબ્રહ્માના એક દર્દીનું મોત થયું છે. જ્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પણ બેના મોત થયા છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે વધુ એક સેમ્પલ મોકલવાનું બાકી છે.

સેમ્પલનો રિપોર્ટ સોમવારે આવશે. વાઈરસને લઈને આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાયરસને રોકવા માટે રવિવારે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી શકે છે. બેઠકમાં પરીક્ષણ સહિત અન્ય યોજનાઓ પર નિર્ણય લેવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
6830 રન અને 127 વિકેટ... IPL વચ્ચે આ સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ
6830 રન અને 127 વિકેટ... IPL વચ્ચે આ સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ
Embed widget