શોધખોળ કરો

Covid-19: ભારતમાં 1 લાખ 12 હજારથી વધુ કેસ, 3435 મોત,રિકવરી રેટ 40.32 ટકા

કોરોના વાયરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ભારતમાં હાલ 1,12,359 દર્દીઓ છે, જેમાંથી 45,299 દર્દી સ્વસ્થ થયા છે.

નવી દિલ્હી : કોરોના વાયરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ભારતમાં હાલ 1,12,359 દર્દીઓ છે, જેમાંથી 45,299 દર્દી સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 5609 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 132 દર્દીઓના મોત થયા છે. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો સ્વસ્થ થવાનો રિકવરી રેટ 40.32 ટકા છે. ભારતમાં આ સમયે 63,624 એક્ટિવ દર્દીઓ છે. જે દર્દીઓની સારવાર ચાલી રહી છે તેમાંથી માત્ર 2.94 ટકા દર્દી આઈસીયૂમાં છે. કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં દેશમાં 3435 દર્દીઓના મોત થયા છે. આ સમયે ભારતમાં મોર્ટાલિટી રેટ એટલે કે સંક્રમણથી મોતની ટકાવારી 3.06 ટકા છે જ્યારે દુનિયામાં 6.64 ટકા છે. ભારતમાં જે દર્દીઓના આ વાયરસના સંક્રમણી મોત થયા તેમાં 64 ટકા પુરૂષો છે જ્યારે 36 ટકા મહિલાઓ છે. - 0.5 ટકા દર્દી 15 વર્ષથી ઓછી ઉંમરના હતા. - 2.5 ટકા દર્દીઓ 15-30 વર્ષના હતા. - જ્યારે 11.4 ટકા દર્દી 30-45 વર્ષના હતા. - 35.1 ટકા દર્દી જેમનું આ સંક્રમણના કારણે મોત થયું તેઓ 45-60 વર્ષના હતા. - 50.5 ટકા દર્દી 60 વર્ષથી વધુ ઉંમરના હતા જેમનું સંક્રમણથી મોત થયું છે. - 73 ટકા દર્દી જેમનું સંક્રમણથી મોત થયા છે તેમને પહેલાથી જ કોઈ બીમારી હતી. દેશમાં આ સમયે 555 લેબ છે જેમાં 391 સરકારી અને 164 પ્રાઈવેટ લેબ છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો 26,15,920 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,03,532 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget