શોધખોળ કરો

Most Polluted City: દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની બની દિલ્હી, પ્રદૂષણ મામલે આ છે ભારતનું રેન્કિંગ

Most Polluted City:સ્વિસ જૂથ IQ Air એ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો અને દેશની રાજધાનીઓની યાદી બહાર પાડી છે

 Most Polluted City: સ્વિસ જૂથ IQ Air એ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો અને દેશની રાજધાનીઓની યાદી બહાર પાડી છે. ફરી એકવાર ભારતની રાજધાની દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે. પીટીઆઇ દ્ધારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, બિહારનું બેગુસરાય વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ છે. જ્યારે દિલ્હી સૌથી ખરાબ હવાની ગુણવત્તા સાથેની રાજધાની બની ગઇ છે. સ્વિસ ગ્રુપ IQ Airએ એક ડેટા જાહેર કર્યો છે.

સ્વિસ જૂથ IQ Air અનુસાર, સરેરાશ વાર્ષિક પીએમ 54.4 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર સાથે ભારતમાં વર્ષ 2023માં બાંગ્લાદેશ અને પાકિસ્તાન પછી 134 દેશોમાં ત્રીજા ક્રમે સૌથી ખરાબ હવાની ગુણવત્તા હતી. સ્વિસ સંસ્થા IQ Air દ્વારા 2023 નો અહેવાલ જણાવે છે કે બાંગ્લાદેશમાં 79.9 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર અને પાકિસ્તાનમાં 73.7 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર ખરાબ હવા ગુણવત્તા રહી હતી.

બીજી તરફ વર્ષ 2022માં ભારતને 53.3 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની સરેરાશ PM 2.5 સાંદ્રતા સાથે આઠમા સૌથી પ્રદૂષિત દેશ તરીકે સ્થાન મળ્યું હતું. 2022ના રેન્કિંગમાં પણ શહેરનું નામ આવ્યું નથી. દિલ્હી 2018 થી સતત ચાર વખત વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની રહી છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં 1.36 અબજ લોકો પીએમ 2.5ની સંપર્કમાં રહે છે. 2022ના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં 131 દેશો અને પ્રદેશોના 7,323 સ્થળોનો ડેટા સામેલ છે. 2023 માં આ સંખ્યા વધીને 134 દેશો અને પ્રદેશોમાં 7,812 સ્થાનોના ડેટાનો સમાવેશ કરાયો હતો.

આ રોગો વાયુ પ્રદૂષણને કારણે થાય છે

વિશ્વમાં દર નવમાંથી એક મૃત્યુ પ્રદૂષણને કારણે થાય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે સૌથી મોટો પર્યાવરણીય ખતરો બની રહ્યો છે. WHO ના અહેવાલો અનુસાર, વાયુ પ્રદૂષણ વિશ્વભરમાં દર વર્ષે અંદાજિત 70 લાખ અકાળ મૃત્યુ માટે જવાબદાર છે. પીએમ 2.5ના સંપર્કમાં આવવાથી ઘણી બીમારીઓ થાય છે. જેમાં અસ્થમા, કેન્સર, સ્ટ્રોક અને ફેફસાના રોગનો સમાવેશ થાય છે.

PM 2.5 શું છે?

આરોગ્ય નિષ્ણાતોના મતે PM 2.5 એ પ્રદૂષક કણોની એ શ્રેણીનો ઉલ્લેખ કરે છે જેનું કદ લગભગ 2.5 માઇક્રોન છે. મુખ્યત્વે જંગલની આગ, પાવર પ્લાન્ટ અને ઔદ્યોગિક પ્રક્રિયાઓને કારણે તેનું સ્તર વધી જાય છે. PM 2.5 વધવાને કારણે ધુમ્મસ અને નબળી વિઝિબિલિટી સાથે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. આ કણો શ્વાસ દ્વારા સરળતાથી શરીરમાં પ્રવેશી શકે છે અને ગળામાં દુખાવો, બળતરા અને ફેફસાંને ગંભીર નુકસાન પહોંચાડે છે.

ખાસ સાવચેતી રાખવાની જરૂર છે

2010 માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક કલાકોથી લઇને સપ્તાહો સુધી PM 2.5 ના સંપર્કમાં રહેવાથી હૃદય અને ફેફસાના રોગના કારણે થતા મૃત્યુદરમાં વધારો થઇ શકે છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, વૃદ્ધો અને શિશુઓ પર તેની વધુ ગંભીર અસર પડે છે. પીએમ 2.5ના સંપર્કમાં આવવાથી આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવી સામાન્ય છે.

આ અંગોને અસર કરી શકે છે

આરોગ્ય નિષ્ણાતોના મતે, પીએમ 2.5ના વધેલા સ્તરના સંપર્કમાં આવવાથી આંખો, નાક, ગળા, ફેફસા અને હૃદય માટે ગંભીર ખતરો થઈ શકે છે. આંખમાં બળતરા, આંખોમાં પાણી આવવું, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને ત્વચા સંબંધિત સમસ્યાઓનું જોખમ સૌથી વધુ છે. PM 2.5 થી સુરક્ષિત રહેવા માટે દરેક વ્યક્તિએ બહાર જતી વખતે માસ્ક અને ગોગલ્સ પહેરવા જોઈએ. સમયાંતરે તમારા ચહેરાને પાણીથી સારી રીતે હોવો જોઇએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.