શોધખોળ કરો

આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા

અહેવાલો અનુસાર, સવારે 5.40 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નિકોબાર ટાપુઓમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા ભૂકંપની માહિતી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર, સવારે 5.40 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 નોંધવામાં આવી છે. સારી વાત એ છે કે ભૂકંપના કારણે કોઇપણ પ્રકારના નુકસાનના સમાચાર હજુ સામે આવ્યા નથી.

તમને જણાવી દઈએ કે, શુક્રવારે આંદામાન ટાપુઓ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે મોડી રાત્રે લગભગ 12.53 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્ર જમીનથી 69 કિલોમીટર ઊંડે હતું.

શા માટે આવે છે ભૂકંપ?

આનો જવાબ જાણવા માટે સૌથી પહેલા તમારે પૃથ્વીની રચનાને સમજવી પડશે. આખી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટો પર ટકેલી છે. લાવા આ ટેકટોનિક પ્લેટો હેઠળ રહેલો છે. આ લાવા પર આ 12 પ્લેટો તરતી રહી છે. જ્યારે લાવા આ પ્લેટો સાથે અથડાય છે, ત્યારે જે ઊર્જા નીકળે છે તેને ભૂકંપ કહેવામાં આવે છે.

એ પણ સમજી શકાય છે કે, પૃથ્વીનું સૌથી બહારનું સ્તર જે 12 પ્લેટોમાં વહેંચાયેલું છે. આ પ્લેટો સતત બદલાતી રહે છે. કેટલીકવાર આ પ્લેટો સ્થળાંતર કરતી વખતે એકબીજા સાથે અથડાય છે. જેના કારણે ભૂકંપના આંચકા અનુભવાય છે. જેના કારણે જમીન પણ સરકી જાય છે.

કરોડો વર્ષો પહેલા ભારત એશિયાની નજીક નહોતુ. પરંતુ જમીન પર આવતા ભૂકંપના કારણે ભારત દર વર્ષે લગભગ 47 મીમી આગળ વધીને મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યું છે. લગભગ સાડા પાંચ કરોડ વર્ષ પહેલાં એક અથડામણ એટલી જબરદસ્ત હતી કે આખે આખા હિમાલયની રચના થઈ ગઈ.

એક સમયે ભારત એક મોટો ટાપુ હતો. 6,000 કિલોમીટરથી વધુ સમય સુધી દરિયામાં તરતો આ ટાપુ યુરેશિયા ટેક્ટોનિક પ્લેટ સાથે અથડાયો અને હિમાલયની રચના થઈ. હિમાલય એ વિશ્વની સૌથી નાના ઉંમરની પર્વતમાળા છે.

વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ, ભૂસ્તરશાસ્ત્રીય ફેરફારોને કારણે હિમાલયના પ્રદેશો ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ બની રહ્યા છે. આ કારણે બંને પ્લેટો સતત એકબીજા પર દબાણ કરી રહી છે, જેના કારણે પ્રદેશમાં અસ્થિરતા છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે હિમાલયની ધરતીની પ્લેટો સ્થિર કેમ નથી થઈ રહી? તેનો જવાબ જાણવા માટે 'અંડરવર્લ્ડ કોડ' નામના સોફ્ટવેર દ્વારા કરોડો વર્ષ પહેલા થયેલી અથડામણને સમજવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે.

ભૂકંપની તીવ્રતા અને કેન્દ્રનો અર્થ શું થાય છે?

સિસ્મોગ્રાફ્સનો ઉપયોગ ભૂકંપની તીવ્રતા અને સમયગાળો માપવા માટે થાય છે. સિસ્મોગ્રામ દ્વારા પૃથ્વીની હિલચાલનો ગ્રાફ બનાવવામાં આવે છે. ધરતીકંપનું કેન્દ્ર એ સ્થાન છે જ્યાં તેની નીચે પ્લેટોમાં હલનચલન થાય છે. જેને હાઇપોસેન્ટર કહેવામાં આવે છે. આ તે છે જ્યાં મહત્તમ કંપન પણ થાય છે. જેમ જેમ કંપનની આવર્તન દૂર થાય છે તેમ તેમ તેની અસર ઘટતી જાય છે.

જો રિએક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુની આવર્તન સાથે ધરતીકંપ આવે છે તો આસપાસના 40 કિમી ત્રિજ્યામાં તીવ્ર આંચકા અનુભવાય છે. જો ધરતીકંપની આવર્તન ઉપરની બાજુએ હોય તો ઓછા વિસ્તારો ભૂકંપથી પ્રભાવિત થાય છે, જ્યારે જો આ આવર્તન નીચેની બાજુએ હોય, તો મોટા વિસ્તાર ભૂકંપથી પ્રભાવિત થાય છે.

ભૂકંપની વધતી તીવ્રતાનો અર્થ સમજો

ભૂકંપની તીવ્રતા સંખ્યા દ્વારા માપવામાં આવે છે. જેમ જેમ આ સંખ્યા વધે છે તેમ તેમ ભૂકંપમાંથી મુક્ત થતી ઉર્જા પણ વધે છે. જો ધરતીકંપની તીવ્રતા 1 પોઈન્ટ વધી જાય તો તેમાંથી નીકળતી ઉર્જા 32 ગણી વધી જાય છે. ઉદાહરણ તરીકે 5ની તીવ્રતાનો ધરતીકંપ 4ની તીવ્રતાના ધરતીકંપ કરતાં 32 ગણી વધુ ઊર્જા છોડે છે. આ રીતે તે આગળ વધે છે અને તેનાથી ઉદ્ભવતા જોખમ પણ.

8ની તીવ્રતાનો ધરતીકંપ 1,000 ગણી વધુ ઊર્જા છોડે છે

વૈજ્ઞાનિકોએ ભારતમાં 8 કે તેથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ હોવાની વાત કરી છે. 8ની તીવ્રતાનો ધરતીકંપ 7ની તીવ્રતાના ધરતીકંપ કરતાં 1,000 ગણી વધુ ઉર્જા છોડે છે. 8ની તીવ્રતા સાથેનો ભૂકંપ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. તેનો ભોગ ખૂબ મોટો વિસ્તાર છે અને તે લાંબા સમય સુધી અનુભવાય છે. આ ભૂકંપથી ઈમારતો સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ જાય છે. આ ભૂકંપના આંચકાથી સ્તંભો, દિવાલો અને ભારે ફર્નિચર પડી જાય છે. 8 કે તેથી વધુની તીવ્રતાના ધરતીકંપ વર્ષમાં એકવાર આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget