શોધખોળ કરો

‘સરદાર પટેલને કબિનેટમાં નહોતા ઈચ્છતા જવાહરલાલ નેહરુ’, VP મેનનની બાયોગ્રાફીના આધારે વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન

નારાયણી બસુ દ્વારા લખવામાં આવેલા વીપી મેનના જીવનચરિત્ર ‘વીપી મેનનઃ ધ અનસંગ આર્કિટેક્ટ ઓફ મોર્ડન ઈન્ડિયા’ના લોકાર્પણ કરતી વખતે જયશંકરે આમ કહ્યું હતું.

નવી દિલ્હીઃ પંડિત જવાહર લાલ નેહરુની કેબિનેટમાં સરદાર પટેલને સામેલ કરવાને લઈ વિદેશ મંત્રી એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, વીપી મેનની બાયોગ્રાફીથી ખબર પડે છે કે, દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ સરદાર પટેલને તેમની કેબિનેટમાં નહોતા ઈચ્છતા. એક બાદ એક ટ્વિટ કરીને એસ જયશંકરે કહ્યું, નેહરુએ પટેલનું નામ પ્રારંભિક કેબિનેટ લિસ્ટમાંથી હટાવી દીધું હતું અને તે ચર્ચાનો વિષય હતો. નારાયણી બસુ દ્વારા લખવામાં આવેલા વીપી મેનના જીવનચરિત્ર ‘વીપી મેનનઃ ધ અનસંગ આર્કિટેક્ટ ઓફ મોર્ડન ઈન્ડિયા’ના લોકાર્પણ કરતી વખતે જયશંકરે આમ કહ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, ભૂતકાળની રાજનીતિનો ઈતિહાસ લખવા માટે ઈમાનદારી જોઈએ. એસ જયશંકરે ટવિટ કરીને કહ્યું, નારાયણી બસુ દ્વારા લિખિત વીપી મેનના જીવનચરિત્રનું લોકાર્પણ કર્યું. સરદાર પટેલના મેનન અને નેહરુના મેનનમાં ઘણો વિરોધાભાસ છે.  જ્યારે સરદાર પટેલનું મોત થયું ત્યારે તેમની સ્મૃતિઓને નાશ કરવા માટે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવ્યું. હું આ જાણું છું. કારણકે મેં જોયું છે અને ખુદ શિકાર બન્યો છું તેમ મેનના પુસ્તકમાં ઉલ્લેખ છે. કોણ હતા વીપી મેનન વીપી મેનનનું પૂરું નામ વાપ્પલા પંગુન્નિ મેનન હતું. તેઓ ભારતના અંતિમ ત્રણ વાઇસરોયના બંધારણીય સલાહકાર  હતા. ભારતના ભાગલા સમયે અને તે પછી રાજકીય એકીકરણમાં તેમની મહત્વની ભૂમિકા હતી. બાદમાં તેઓ સ્વતંત્ર પાર્ટીના સભ્ય બન્યા હતા. મેનને જ જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને માઉન્ટ બેટનને મોહમ્મદ અલી જિન્નાની માંગના હિસાબે ભાગલાનો પ્રસ્તાવ રાખ્યો હતો. મેનનની કુશળતાથી સરદાર પટેલ ઘણા પ્રભાવિત હતા. સરદારની સાથે મેનનને ગાઢ સંબંધ હતો. બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઇનરનું અવસાન, પ્રિયંકાએ ગ્રેમી એવોર્ડ્સમાં પહેરેલા ડ્રેસની કરી હતી ટીકા આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રક-બસની ટક્કર, 14નાં મોત, 31 ઘાયલ કોરોના બાદ વધુ એક રહસ્યમય વાયરસ આવ્યો સામે, વૈજ્ઞાનિકો પણ રહી ગયા દંગ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ
PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Embed widget