શોધખોળ કરો

Unemployment in India: ત્રણ મહિનાના ઉચ્ચ સ્તર 7.8 ટકા પર ભારતનો બેરોજગારી દર, આ રાજ્યોમાં સૌથી વધુ

દેશમાં બેરોજગારીનો દર (Unemployment Rate) ડિસેમ્બર 2022માં વધીને 8.30 ટકા થયો હતો, પરંતુ જાન્યુઆરીમાં ઘટીને 7.14 ટકા થયો હતો.

Indian's Unemployment Rate: સેન્ટર ફૉર મૉનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) એ ભારતમાં બેરોજગારીના આંકડાઓ જાહેર કર્યા છે. આ ડેટા અનુસાર માર્ચ મહિનામાં ભારતમાં બેરોજગારીનો દર ઝડપથી વધ્યો છે, જે ત્રણ મહિનાની ઉચ્ત સપાટી પર પહોંચી ગયો છે. આ બેરોજગારી એવા સમયે સામે આવી છે જ્યારે ભારત સહિત વૈશ્વિક સ્તરે કર્મચારીઓની છટ્ટણી કરવામાં આવી રહી છે. ઘણીમોટી કંપનીઓએ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે અને આ આંકડો વધુ વધી શકે છે.

દેશમાં બેરોજગારીનો દર (Unemployment Rate) ડિસેમ્બર 2022માં વધીને 8.30 ટકા થયો હતો, પરંતુ જાન્યુઆરીમાં ઘટીને 7.14 ટકા થયો હતો. શનિવારે જાહેર કરાયેલા CMIE ડેટા અનુસાર, ફેબ્રુઆરીમાં બેરોજગારી ફરી વધી છે, અને તે વધીને 7.45 ટકા થઈ ગયો છે. વળી, માર્ચના નવા ડેટા અનુસાર, ભારતમાં બેરોજગારી દર 7.8 ટકાના ઉચ્ચ સ્તરે છે.

CMIEના ડેટા અનુસાર, ભારતના શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર માર્ચમાં 8.4 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી 7.5 ટકા છે. CMIEના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે PTIને જણાવ્યું કે, માર્ચ 2023માં ભારતનું લેબર માર્કેટ બગડ્યું છે. બેરોજગારી વધવાનું સૌથી મોટું કારણ દેશમાં મોટી છટ્ટણી છે, જે 39.8 ટકા છે.

કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો 
મહેશ બ્યાસે જણાવ્યું કે શ્રમ બજારની સ્થિતિ બગડવાને કારણે રોજગારી દર ફેબ્રુઆરીમાં 36.9 ટકાથી ઘટીને માર્ચમાં 36.7 ટકા થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન કર્મચારીઓની સંખ્યા પણ 409.9 મિલિયનથી ઘટીને 407.6 મિલિયન થઈ ચૂકી છે.

કયા રાજ્યોમાં બેરોજગારી સૌથી વધુ 
માર્ચના આંકડા અનુસાર, હરિયાણામાં બેરોજગારી સૌથી વધુ 26.8 ટકા હતી. આ પછી રાજસ્થાનમાં તે 26.6 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 23.1 ટકા, સિક્કિમમાં 20.7 ટકા, બિહારમાં 17.6 ટકા અને ઝારખંડમાં 17.5 ટકા પર પહોંચી ગયો છે.

 

ખાતામાં ક્યારે આવશે EPFના વ્યાજના પૈસા, જાણો શું કહ્યું શ્રમ મંત્રાલયે

EPFO: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ મંગળવારે તેની બેઠકમાં નાણાકીય વર્ષ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર વ્યાજ દરમાં વધારો કરીને રાહત આપવાનો નિર્ણય લીધો છે. બોર્ડની ભલામણમાં કુલ રૂ. 11 લાખ કરોડની મુદ્દલ રકમ પર સભ્યોના ખાતામાં રૂ. 90,000 કરોડથી વધુની વહેંચણીનો સમાવેશ થાય છે. આ અત્યાર સુધીની સૌથી વધુ છે. નાણાકીય વર્ષ 2021-22માં, રૂ. 9.56 લાખ કરોડની મૂળ રકમ પર રૂ. 77,424.84 કરોડનું વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. પાછલા નાણાકીય વર્ષ 2021-22ની તુલનામાં, આવક અને મૂળ રકમમાં વધારો અનુક્રમે 16 ટકા અને 15 ટકા વધુ છે.

સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ ખાતામાં પૈસા આવશે

હવે CBTના નિર્ણય પછી, 2022-23 માટે EPF થાપણો પર વ્યાજ દરની માહિતી મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. સરકારની મંજૂરી મળ્યા પછી, 2022-23 માટે EPF પર વ્યાજ EPFO ​​સબસ્ક્રાઇબર્સના ખાતામાં જમા કરવામાં આવશે.

શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા અને કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવની આગેવાની હેઠળના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે સભ્યોની EPF થાપણો પર વાર્ષિક 8.15 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી છે. 2022-23 માટે આપવાનું નક્કી કર્યું. નિવેદન અનુસાર, આ વ્યાજ દર અને રૂ. 663.91 કરોડનો સરપ્લસ પાછલા વર્ષની સરખામણીએ વધારે છે. EPFO વર્ષોથી ન્યૂનતમ ધિરાણ જોખમ સાથે વિવિધ આર્થિક ચક્રો દ્વારા તેના સભ્યોને ઉચ્ચ આવક પહોંચાડવામાં સક્ષમ છે.

PF ખાતાધારકો માટે મોટા સમાચારઈ-પાસબુક લોન્ચહવે મળશે આ સુવિધા

EPFO રોકાણમાં સંકળાયેલા જોખમને ધ્યાનમાં રાખીને, EPFO ​​નો વ્યાજ દર સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ અન્ય તુલનાત્મક રોકાણ વિકલ્પોની તુલનામાં વધારે છે. નિષ્ણાતો કહે છે કે EPFOએ સાવચેતી અને વૃદ્ધિના દૃષ્ટિકોણ સાથે સલામતી અને મુખ્ય સંરક્ષણ પર ખૂબ ભાર મૂકીને રોકાણ પ્રત્યે સતત સમજદાર અને સંતુલિત અભિગમ અપનાવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget