![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Politics: ગુજરાતમાં નહીં થાય રાજ્યસભાની ચૂંટણી, કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ લીધો આ નિર્ણય
Gujarat Politics:કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી નહીં લડવાનો ફેંસલો કર્યો છે.
![Gujarat Politics: ગુજરાતમાં નહીં થાય રાજ્યસભાની ચૂંટણી, કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ લીધો આ નિર્ણય Rajysabha Election: After congress now AAP not to contest rajysabha election in state check details Gujarat Politics: ગુજરાતમાં નહીં થાય રાજ્યસભાની ચૂંટણી, કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ લીધો આ નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/19/4e4e66ed2b85915240f4b2d407e1bca5166885039168976_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AAP : ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી નહીં થાય. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો નહીં ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટી પાસે માત્ર 5 ધારાસભ્યો હોવાથી રાજ્યસભાના ચૂંટણી જંગમાં નહીં ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉભા રાખવાનો ફેંસલો કર્યો હતો. અપૂરતા સંખ્યાબળના કારણે કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખશે નહીં. જો કોંગ્રેસ ઉમેદવારી નહીં નોંધાવે તો બિનહરીફ વરણી થઈ શકે છે. આમ ફરી એક વખત ભાજપને તમામ 3 બેઠક મળી શકે છે.
બંગાળ, ગુજરાત અને ગોવાની 10 રાજ્યસભા સીટ પર 24 જૂલાઈએ રાજ્યસભા ચૂંટણી
રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જેમાં પશ્ચિમ બંગાળની 6, ગુજરાતની 3 અને ગોવાની 1 બેઠકનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં ડોલા સેન, ડેરેક ઓબ્રાયન, પ્રદીપ ભટ્ટાચાર્ય, સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર રે અને શાંતા છેત્રીનો કાર્યકાળ 18 ઓગસ્ટે સમાપ્ત થશે. આ ઉપરાંત ગુજરાતમાં વિદેશ મંત્રી એસ જયશંકર, દિનેશ અનાવાડિયા અને જુગલજી ઠાકોરનો કાર્યકાળ પણ 18 ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે. ગોવામાં વિનય તેંડુલકરનો કાર્યકાળ 28 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.
રાજ્યસભાની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે યોજાશે ચૂંટણી
કેંદ્રીય ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. ગુજરાતની 3 સહિત દેશમાં 10 બેઠકોની ચૂંટણી યોજાશે. ગુજરાતમાં વિદેશમંત્રી એસ જયશંકર, સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની ટર્મ પૂરી થઈ રહી છે. કેંદ્રીય ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ગોવાની 1, ગુજરાતની 3 અને પશ્મિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં દિનેશ અનાવડિયા, જુગલજી ઠાકોર અને વિદેશમંત્રી એસ.જયશંકરની 18 ઓગસ્ટે કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.
ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો
ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે. જેમાંથી આઠ બેઠકો ભાજપના કબજામાં છે અને ત્રણ બેઠકો કૉંગ્રેસ પાસે છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય એવા વિદેશ મંત્રી એસ જયશંકર સહિત ત્રણ સભ્યોનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાવા લાગ્યું છે. હવે ચર્ચા એ છે કે આ વખતે રાજ્યમાં ખાલી પડેલી ત્રણ બેઠકોમાંથી કોને રીપિટ કરવામાં આવશે અને કોને બહાર મોકલવામાં આવશે. વિદેશ મંત્રી એસ જયશંકરને ગુજરાતમાંથી ફરી રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી પૂરે પૂરી સંભાવના છે.
એસ જયશંકરને ફરીથી મોકલવામાં આવશે રાજ્યસભામાં
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે. તેમાં સંપૂર્ણ રીતે ભાજપનો દબદબો જોવા મળશે. કારણ કે વિધાનસભામાં કૉંગ્રેસની નબળી સ્થિતિમાં ત્રણેય બેઠકો પર ફરીથી ભાજપની જીત નિશ્ચિત છે. આ સ્થિતિમાં પાર્ટી વિદેશ મંત્રી એસ જયશંકરને ફરીથી રાજ્યસભા મોકલશે તેવી ચર્ચા છે.
Join Our Official Telegram Channel:
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)