શોધખોળ કરો

Gujarat Politics: ગુજરાતમાં નહીં થાય રાજ્યસભાની ચૂંટણી, કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ લીધો આ નિર્ણય

Gujarat Politics:કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી નહીં લડવાનો ફેંસલો કર્યો છે.

AAP : ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી નહીં થાય. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો નહીં ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટી પાસે માત્ર 5 ધારાસભ્યો હોવાથી રાજ્યસભાના ચૂંટણી જંગમાં નહીં ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉભા રાખવાનો ફેંસલો કર્યો હતો. અપૂરતા સંખ્યાબળના કારણે કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખશે નહીં. જો કોંગ્રેસ ઉમેદવારી નહીં નોંધાવે તો બિનહરીફ વરણી થઈ શકે છે. આમ ફરી એક વખત ભાજપને તમામ 3 બેઠક મળી શકે છે.

બંગાળ, ગુજરાત અને ગોવાની 10 રાજ્યસભા સીટ પર 24 જૂલાઈએ રાજ્યસભા ચૂંટણી

રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જેમાં પશ્ચિમ બંગાળની 6, ગુજરાતની 3 અને ગોવાની 1 બેઠકનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં ડોલા સેન, ડેરેક ઓબ્રાયન, પ્રદીપ ભટ્ટાચાર્ય, સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર રે અને શાંતા છેત્રીનો કાર્યકાળ 18 ઓગસ્ટે સમાપ્ત થશે. આ ઉપરાંત ગુજરાતમાં વિદેશ મંત્રી એસ જયશંકર, દિનેશ  અનાવાડિયા અને જુગલજી ઠાકોરનો કાર્યકાળ પણ 18 ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે. ગોવામાં વિનય તેંડુલકરનો કાર્યકાળ 28 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.

રાજ્યસભાની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે યોજાશે ચૂંટણી

કેંદ્રીય ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. ગુજરાતની 3 સહિત દેશમાં 10 બેઠકોની ચૂંટણી યોજાશે.  ગુજરાતમાં વિદેશમંત્રી એસ જયશંકર, સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની ટર્મ પૂરી થઈ રહી છે.  કેંદ્રીય ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.  ગોવાની 1, ગુજરાતની 3 અને પશ્મિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.  ગુજરાતમાં દિનેશ અનાવડિયા, જુગલજી ઠાકોર અને વિદેશમંત્રી એસ.જયશંકરની 18 ઓગસ્ટે  કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.

ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો

ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે. જેમાંથી આઠ બેઠકો ભાજપના કબજામાં છે અને ત્રણ બેઠકો કૉંગ્રેસ પાસે છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય એવા વિદેશ મંત્રી એસ જયશંકર સહિત ત્રણ સભ્યોનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાવા લાગ્યું છે. હવે ચર્ચા એ છે કે આ વખતે રાજ્યમાં ખાલી પડેલી ત્રણ બેઠકોમાંથી કોને રીપિટ કરવામાં આવશે અને કોને બહાર મોકલવામાં આવશે.  વિદેશ મંત્રી એસ જયશંકરને ગુજરાતમાંથી ફરી રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી પૂરે પૂરી સંભાવના છે.

એસ જયશંકરને ફરીથી મોકલવામાં આવશે રાજ્યસભામાં

રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે.  તેમાં સંપૂર્ણ રીતે ભાજપનો દબદબો જોવા મળશે.  કારણ કે વિધાનસભામાં કૉંગ્રેસની નબળી સ્થિતિમાં ત્રણેય બેઠકો પર ફરીથી ભાજપની જીત નિશ્ચિત છે. આ સ્થિતિમાં પાર્ટી વિદેશ મંત્રી એસ જયશંકરને ફરીથી રાજ્યસભા મોકલશે તેવી ચર્ચા છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ક્ષત્રિયો મુદ્દે ભાજપના  નેતાનું વિવાદિત નિવેદન, કાર્યક્રમ દરમિયાન વચ્ચે જ સ્પીચ આપતાં અટકાવાયા, થયો હોબાળો
ક્ષત્રિયો મુદ્દે ભાજપના નેતાનું વિવાદિત નિવેદન, કાર્યક્રમ દરમિયાન વચ્ચે જ સ્પીચ આપતાં અટકાવાયા, થયો હોબાળો
Gujarat Rain Forecast:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર શું થશે અસર, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર શું થશે અસર, જાણો અપડેટ્સ
Gold Price Today: ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત, સોનાની કિંમત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત
Gold Price Today: ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત, સોનાની કિંમત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત
પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'આ મારુ યુદ્ધ નથી, આ બાઈડનનું યુદ્ધ છે'
પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'આ મારુ યુદ્ધ નથી, આ બાઈડનનું યુદ્ધ છે'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પના તિકડ્મ સામે તણખા શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : હવે બે બસ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : રેસના રાક્ષસ પર બ્રેક ક્યારે?
BIG NEWS: ગરીબોને અપાતા અનાજને લઈ સૌથી મોટા સમાચાર, 55 લાખને  કાર્ડધારકોને સરકારે ફટકારી નોટીસ
Bachu Khabad News: મંત્રી બચુ ખાબડની વધુ એક સરકારી કાર્યક્રમમાં બાદબાકી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્ષત્રિયો મુદ્દે ભાજપના  નેતાનું વિવાદિત નિવેદન, કાર્યક્રમ દરમિયાન વચ્ચે જ સ્પીચ આપતાં અટકાવાયા, થયો હોબાળો
ક્ષત્રિયો મુદ્દે ભાજપના નેતાનું વિવાદિત નિવેદન, કાર્યક્રમ દરમિયાન વચ્ચે જ સ્પીચ આપતાં અટકાવાયા, થયો હોબાળો
Gujarat Rain Forecast:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર શું થશે અસર, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર શું થશે અસર, જાણો અપડેટ્સ
Gold Price Today: ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત, સોનાની કિંમત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત
Gold Price Today: ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત, સોનાની કિંમત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત
પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'આ મારુ યુદ્ધ નથી, આ બાઈડનનું યુદ્ધ છે'
પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'આ મારુ યુદ્ધ નથી, આ બાઈડનનું યુદ્ધ છે'
Weather Forecast: દેશના આ 2 રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના આ 2 રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
ટ્રમ્પે પાકિસ્તાનની 'ઈચ્છા' કરી પુરી, બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને જાહેર કર્યા આતંકી સંગઠન
ટ્રમ્પે પાકિસ્તાનની 'ઈચ્છા' કરી પુરી, બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને જાહેર કર્યા આતંકી સંગઠન
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
Embed widget