શોધખોળ કરો
Health Risk: એક વખતમાં જ વધુ પાણી પી જાવ છો? તો સાવધાન, થઇ શકે છે શરીરમાં આ ગંભીર નુકસાન
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જ એક મહિલાનું વધુ પડતું પાણી પીવાથી મોત થયું હતું. તેથી, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે વ્યક્તિએ હંમેશા શરીરની જરૂરિયાતો અનુસાર પાણી પીવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/8

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જ એક મહિલાનું વધુ પડતું પાણી પીવાથી મોત થયું હતું. તેથી, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે વ્યક્તિએ હંમેશા શરીરની જરૂરિયાતો અનુસાર પાણી પીવું જોઈએ.
2/8

પાણી શરીર માટે જરૂરી છે. તેની ઉણપથી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. તેથી ડૉક્ટરો દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવાની ભલામણ કરે છે. જો કે, વ્યક્તિએ વધુ પડતું પાણી પીવાનું પણ ટાળવું જોઈએ. એક સાથે ઘણું પાણી પીવું જોખમી છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જ એક મહિલાનું વધુ પડતું પાણી પીવાથી મોત થયું હતું.
3/8

સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે, વ્યક્તિએ હંમેશા શરીરની જરૂરિયાત મુજબ પાણી પીવું જોઈએ. વધુ કે ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. વધુ પાણી પીવાથી એટલે કે એકસાથે વધુ પાણી પીવાથી શું થાય છે જાણીએ.
4/8

રમતી વખતે કે હાર્ડ એક્સરસાઇઝ કર્યા બાદ જો આપ એક સાથે વધુ પાણી પીવો છો તો તેને વોટર ઇંટોક્સિકેશન કહે છે. જેના કારણે ગભરામણ, માથાનો દુખાવો, ઉબકા અને ઉલ્ટી થઈ શકે છે. રેર કેસમાં પાણીનો અતિરેક મગજમાં સોજોનું કારણ પણ બને છે, જે ખતરનાક હોઈ શકે છે. આ કારણે મગજની કામગીરી ખોરવાઈ શકે છે.
5/8

તેનાથી લોહીમાં પાણીની માત્રા વધી શકે છે. જેના કારણે લોહીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ પાતળું થઈ શકે છે, એટલે કે સોડિયમ પાતળું થઈ શકે છે. આ સમસ્યાને હાઇપોનેટ્રેમિયા કહેવામાં આવે છે.
6/8

શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે પાણીની જરૂર હોય છે, પરંતુ જો વધુ પડતું પાણી પીવામાં આવે તો સમસ્યા વધી શકે છે. ખરેખર, આપણી કિડની દર કલાકે શરીરમાંથી માત્ર 0.8 થી 1.0 લિટર પાણી બહાર કાઢી શકે છે. જ્યારે એક સાથે પુષ્કળ પાણી પીવું, ઇલેક્ટ્રોલાઇટ સંતુલન વિક્ષેપિત થઈ શકે છે.
7/8

સોડિયમનું કાર્ય કોષોની અંદર અને બહારના પ્રવાહીને સંતુલિત કરવાનું છે. જ્યારે તમે વધુ પડતું પાણી પીઓ છો, ત્યારે સોડિયમનું સ્તર ઘટી જાય છે અને પ્રવાહી કોષોની અંદર જાય છે, જેના કારણે સોજો આવે છે. જ્યારે મગજના કોષો સાથે આવું થાય છે ત્યારે તે જીવલેણ બની શકે છે.
8/8

વોટર ઇંટોકટોકેશનના કારણએ સુસ્તી સ્નાયુઓની નબળાઈ અથવા ખેંચાણ, હાઈ બ્લડ પ્રેશર, બેવડી દ્રષ્ટિ, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. મગજમાં પ્રવાહીના સંચયને સેરેબ્રલ એડીમા કહેવામાં આવે છે, જે મગજની સિસ્ટમને અસર કરી શકે છે. ગંભીર કિસ્સાઓમાં તે બ્રેઇન સ્ટ્રોક કોમા અને મૃત્યુનું કારણ બની શકે છે.
Published at : 06 Apr 2024 12:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
અમદાવાદ
ખેતીવાડી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
