શોધખોળ કરો

IND vs AUS: પિચ અનુસાર ભારતની પ્લેઇંગ ઇલેવન પસંદ કરાશે, જાણો પંતના સ્થાન પર કોને મળશે તક?

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ અગાઉ કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં પિચ અનુસાર ટીમની પસંદગી કરશે

India vs Australia 1st Test: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ અગાઉ કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં પિચ અનુસાર ટીમની પસંદગી કરશે. જ્યારે રોહિતને પૂછવામાં આવ્યું હતું કે સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ વચ્ચે તે કોની પસંદગી કરશે.  જેના જવાબમાં રોહિતે કહ્યું કે, આવતીકાલે સવારે નવ વાગ્યે ટોસના સમયે તમામ જાણકારી મળી જશે.

શુભમન શાનદાર ફોર્મમાં છે જ્યારે સૂર્યકુમાર યાદવ પાસે નાથન લિયોન જેવા અનુભવી બોલરો સામે રમવાની ક્ષમતા છે અને ભારતીય કેપ્ટને સ્પષ્ટ કર્યું હતુ કે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરતી વખતે પિચનું ધ્યાન રાખવામાં આવશે. સાથે સાથે ખેલાડીની કુશળતાને પણ ધ્યાન રાખવામાં આવશે. રોહિતે કહ્યું હતુ કે આ એક અઘરો નિર્ણય હશે. અમે જાણીએ છીએ કે ઘણા ખેલાડીઓ સારા ફોર્મમાં છે, તે ટીમ માટે સારો સંકેત છે.

તેણે કહ્યું, “પસંદગી એક મુદ્દો છે અને તે દર્શાવે છે કે ઘણા ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. ટીમના દૃષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમારે માત્ર દરેક પિચને જોવી પડશે અને શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન પસંદ કરવી પડશે. અમે ભૂતકાળમાં પણ આવું કરતા આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ આવું જ કરીશું.’ ભારતીય કેપ્ટને કહ્યું, ‘ખેલાડીઓ માટે સંદેશ સ્પષ્ટ છે. અમે પિચના આધારે ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માટે  તૈયાર છીએ. પિચ ગમે તે હોય અમને જે પણ જરૂર પડશે અમે તેને ટીમમાં સામેલ કરીશું. આ એક સામાન્ય બાબત છે.

સૂર્યકુમાર અને શુભમન વચ્ચે કોની પસંદગી કરાશે જેના પર રોહિતે કહ્યું કે તેઓ અમને અલગ-અલગ વિકલ્પો આપે છે. ગિલ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખૂબ જ સારા ફોર્મમાં છે. ઘણી  સદીઓ પણ ફટકારી છે. સૂર્યકુમારે બતાવ્યું છે કે તે T20માં શું ક્ષમતા ધરાવે છે અને તે ટેસ્ટ ક્રિકેટમાં પણ શું કરી શકે છે.

રોહિતે પંતના સ્થાને કોને ટીમમાં સામેલ કરાશે તે અંગે કોઇ ચોક્કસ જાણકારી આપી નહોતી.  રોહિતે કહ્યું કે તમારે હિંમતભેર નિર્ણય લેવો પડશે. પંત જે રીતે બેટિંગ કરે છે તે અમારા માટે મહત્વપૂર્ણ છે. અમારી પાસે એવા ખેલાડીઓ છે જે મિડલ ઓર્ડરમાં કામ કરી શકે છે. અમારો ટોપ ઓર્ડર મજબૂત છે અને તમામ ખેલાડીઓ રન બનાવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget