શોધખોળ કરો

IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય

IPL 2024, Suryakumar Yadav: સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. આવી સ્થિતિમાં તે વધુ મેચ રમી શકશે નહીં.

IPL 2024, Suryakumar Yadav: સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. આવી સ્થિતિમાં તે વધુ મેચ રમી શકશે નહીં. ચોક્કસ આ સમાચાર સુકાની હાર્દિક પંડ્યાનું ટેન્શન વધારશે, કારણ કે અત્યાર સુધી મુંબઈ આ સિઝનમાં જીતનું ખાતું ખોલાવી શક્યું નથી. મુંબઈને IPL 2024ની તેની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

 

મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ સ્પોર્ટ્સ હર્નિયા સર્જરીમાંથી સંપૂર્ણ રીતે સાજો થયો નથી અને IPLની વધુ કેટલીક મેચો રમી શકશે નહીં. જોકે, નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) તેની રિકવરી પર નજર રાખી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો સૂર્યકુમાર વર્તમાન સિઝનમાં અત્યાર સુધી કોઈ મેચ રમી શક્યો નથી અને તેની ટીમને બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સને સૂર્યકુમારની ખોટ ચાલી રહી છે

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના એક સૂત્રએ જણાવ્યું હતું કે, સૂર્યકુમાર ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે પુનરાગમન કરશે. જો કે, પ્રથમ બે મેચમાં ન રમ્યા બાદ તેણે વધુ કેટલીક મેચોમાંથી બહાર રહેવું પડી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સને સૂર્યકુમારની ખોટ ચાલી રહી છે, પરંતુ બીસીસીઆઈ આ આક્રમક બેટ્સમેનની ફિટનેસને લઈને કોઈ જોખમ લેવા માંગતી નથી, કારણ કે તે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં મોટી ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. સૂત્રએ કહ્યું, બીસીસીઆઈ માટે મુખ્ય ચિંતા એ છે કે શું તે T20 વર્લ્ડ કપમાં રમવાના ટ્રેક પર છે કે નહીં અને તે તે સ્થિતિમાં છે.

મેદાનની ચારેબાજુ શોટ રમવાની તેની ક્ષમતા માટે, 33 વર્ષીય સૂર્યકુમારની તુલના દક્ષિણ આફ્રિકાના નિવૃત્ત બેટ્સમેન એબી ડી વિલિયર્સ સાથે કરવામાં આવે છે. તેણે આ ફોર્મેટમાં 171.55ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. સૂર્યકુમારે 60 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ચાર સદીની મદદથી ભારત માટે 2141 રન બનાવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
Embed widget