શોધખોળ કરો

વૉર્નરને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરવા સામે આ બૉલરે ઉઠાવ્યો વાંધો, કહ્યુંઃ બાબર આઝમને એવોર્ડ મળવો જોઈતો હતો.....

ફાઇનલ બાદ જ્યારે ડેવિડ વોર્નરને પ્લેય ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો તો પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોએબ અખ્તર ગુસ્સામાં આવી ગયો હતો

નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને પહેલીવાર ખિતાબ પોતાના નામે કર્યો છે. ઓસ્ટ્રેલિયા ટીમ ટી20 ફોર્મેટમાં 14 વર્ષમાં પહેલીવાર ચેમ્પિયન બન્યુ છે. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા તરફથી બે ખેલાડીઓ જીતના હીરો રહ્યાં, એક મિશેલ માર્શ અને બીજો ડેવિડ વોર્નર. આ બન્ને ખેલાડીએ ન્યૂઝીલેન્ડના હાથમાં મેચની બાજી ઝૂંટવી લીધી હતી. મેચ બાદ મેન ઓફ ધ મેચનો ઓવર્ડ મિશેલ માર્શ અને મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ ધાકડ બેટ્સમેન ડેવિડ વોર્નરને આપવામાં આવ્યો હતો. હવે આને લઇને પાકિસ્તાની ખેલાડીઓમાં ગુસ્સો ઉભરાયો છે. 

ફાઇનલ બાદ જ્યારે ડેવિડ વોર્નરને પ્લેય ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો તો પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોએબ અખ્તર ગુસ્સામાં આવી ગયો હતો અને તેને સોશ્યલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની ભડાશ કાઢી હતી.  

 

શોએબ અખ્તરે કહ્યું કે, ડેવિડ વૉર્નરને નહીં પરંતુ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન તથા ઓપનર બેટ્સમેન બાબર આઝમને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ મળવો જોઇતો હતો. તેને અન્યાય કરવાનો આરોપ પણ લગાવ્યો. જ્યારે ફાઇનલ મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં ડેવિડ વૉર્નરને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો, તો શોએબ અખ્તરે તરત જ ટ્વીટ કર્યું- તેને લખ્યું- હું ઉત્સુક હતો કે બાબર આઝમને મેન ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવશે. એકદમ ખરાબ ફેંસલો લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ડેવિડ વૉર્નરે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021માં 289 રન બનાવ્યા છે, જ્યારે બાબર આઝમ આ ટૂર્નામેન્ટમાં 303 રન બનાવીને પહેલા નંબર પર રહ્યો છે. જોકે ડેવિડ વૉર્નરે અંતિમ ત્રણેય મેચોમાં દમદાર બેટિંગ કરતાં વેસ્ટ ઇન્ડિઝ સામે 89 રન, પાકિસ્તાન સામે 49 રન અને ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ મેચમાં 53 રનની ટીમ માટે ઉપયોગી ઇનિંગ રમી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
Advertisement

વિડિઓઝ

Ahmedabad Murder Case: અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં થયેલ હત્યા કેસમાં આરોપી કલ્પેશ વાઘેલાની ધરપકડ
Kunvarji Bavaliya: રાશનકાર્ડ કોઈનું નહીં કરાય રદ: અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
Sthanik Swaraj Election: પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે પ્રક્રિયાઓ કરી તેજ
Shehbaz Sharif: 'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...',  અસીમ મુનીર બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફે આપી ધમકી
PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
Independence Day: દેશના બે વડાપ્રધાન જેમણે ક્યારેય નથી ફરકાવ્યો લાલ કિલ્લા પર ત્રિરંગો, જાણો આવું કેમ થયું?
Independence Day: દેશના બે વડાપ્રધાન જેમણે ક્યારેય નથી ફરકાવ્યો લાલ કિલ્લા પર ત્રિરંગો, જાણો આવું કેમ થયું?
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Embed widget