શોધખોળ કરો

Raksha Bandhan 2024: કોણ છે ભદ્રા જેના ડરથી બહેનો ભાઈને રાખડી નથી બાંધતી? રક્ષાબંધન પર શું રહેશે તેનો સમય

Raksha Bandhan 2024: આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ એટલે કે કાલે ઉજવવામાં આવશે. પરંતુ આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો પ્રભાવ પણ રહેવાનો છે.

Raksha Bandhan 2024: દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈની કાંડે રાખડી એટલે કે એક રક્ષા સૂત્ર બાંધે છે અને તેના માટે મંગલકામના કરે છે. બદલામાં ભાઈ પોતાની બહેનને રક્ષાનું વચન આપે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ એટલે કે કાલે ઉજવવામાં આવશે. પરંતુ આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો પ્રભાવ પણ રહેવાનો છે. શાસ્ત્રોમાં ભદ્રા કાળમાં ભાઈને રાખડી બાંધવી વર્જિત માનવામાં આવી છે. આવો જાણીએ કે ભદ્રા કોણ છે અને રક્ષાબંધન પર ભદ્રાનો પ્રભાવ ક્યારથી ક્યાં સુધી રહેશે.

રક્ષાબંધન પર ભદ્રાકાળ 19 ઓગસ્ટની રાત્રે 02.21 વાગ્યાથી બપોરે 01.30 વાગ્યા સુધી રહેવાનો છે. રક્ષાબંધન પર સવારે 09.51થી 10.53 સુધી ભદ્રા પુંછ રહેશે. પછી 10.53થી 12.37 સુધી ભદ્રા મુખ રહેશે. બપોરે 01.30 વાગ્યે ભદ્રાકાળ સમાપ્ત થઈ જશે. જોકે આ ભદ્રાકાળનો રક્ષાબંધન પર કોઈ પ્રભાવ નહીં પડે. વાસ્તવમાં, ચંદ્રમા મકર રાશિમાં હોવાને કારણે ભદ્રાનો નિવાસ પાતાળ લોકમાં રહેશે. તેથી પૃથ્વી પર થતાં શુભ કાર્યો અવરોધિત નહીં થાય. આથી રક્ષાબંધન પર તમે કોઈપણ સમયે ભાઈને રાખડી બાંધી શકો છો.

કોણ છે ભદ્રા?

પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભદ્રા સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન છે. શનિની જેમ તેનો સ્વભાવ પણ ક્રૂર છે. ખરેખર ભદ્રાનો શાબ્દિક અર્થ કલ્યાણ કરનારી છે. તેનાથી વિપરીત ભદ્રાકાળમાં શુભ કાર્ય વર્જિત છે. ભદ્રા રાશિ અનુસાર ત્રણેય લોકોમાં ભ્રમણ કરે છે. પૃથ્વીલોકમાં તેના હોવાથી શુભ કાર્યોમાં વિઘ્ન આવે છે.

ભદ્રાકાળ ખૂબ જ અનિષ્ટકારી હોય છે. આ કાળમાં શુભ અને માંગલિક કાર્યો વર્જિત છે. એવી માન્યતા છે કે પૃથ્વી લોકની ભદ્રા બધા કાર્યોનો વિનાશ કરનારી હોય છે. આવા સંજોગોમાં જો તમે ભદ્રાકાળની અવધિમાં ભાઈને રાખડી બાંધવાની યોજના બનાવી રહ્યા છો તો રોકાઈ જાઓ. થોડી રાહ જુઓ. ભદ્રાનો પ્રભાવ દૂર થયા પછી જ ભાઈને રાખડી બાંધો.

રક્ષાબંધન પર ભદ્રાનો પ્રભાવ ખૂબ જ અશુભ હોય છે. કહેવાય છે કે સૂર્પણખાએ ભદ્રા નક્ષત્રમાં જ રાવણને રાખડી બાંધી હતી, જેના પછી રામ રાવણ વચ્ચે યુદ્ધ થયું. રાવણે પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો. દ્વાપર યુગમાં દ્રૌપદીએ પણ પોતાના ભાઈને ભૂલથી ભદ્રાકાળમાં રાખડી બાંધી દીધી હતી. તે પછી દ્રૌપદીનું સુખ ચેન બધું છીનવાઈ ગયું હતું. દ્રૌપદીને ચીરહરણનું દુઃખ સહન કરવું પડ્યું, જેનું પરિણામ કુરુક્ષેત્રના યુદ્ધના રૂપમાં આવ્યું.

આ પણ વાંચોઃ Raksha Bandhan 2024: રક્ષાબંધન માત્ર ભાઈ બહેનનો તહેવાર નથી, ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે કોણ કોને રાખડી બાંધી શકે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
March Horoscope: કર્ક સહિત આ રાશિને મળશે કરિયરમાં ગ્રોથ. જાણો માર્ચનું રાશિફળ
March Horoscope: કર્ક સહિત આ રાશિને મળશે કરિયરમાં ગ્રોથ. જાણો માર્ચનું રાશિફળ
Palmistry: જો આપની હથેળીમાં આ જગ્યાએ છે તલ તો ધન દોલતની ક્યારેય નહિ થાય કમી
Palmistry: જો આપની હથેળીમાં આ જગ્યાએ છે તલ તો ધન દોલતની ક્યારેય નહિ થાય કમી
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
Embed widget