શોધખોળ કરો

Almonds : વધુ બદામ ખાવી પણ બની શકે છે ખતરનાક, જાણો શું કહે છે આયુર્વેદિક એક્સપર્ટ્સ

Almonds : બદામ એનર્જીનો ભંડાર છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. બદામના માત્ર એક નહીં પરંતુ અનેક ફાયદા છે

Almonds : બદામ એનર્જીનો ભંડાર છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. બદામના માત્ર એક નહીં પરંતુ અનેક ફાયદા છે. આયુર્વેદમાં પણ આ સુપરફૂડને જબરદસ્ત સ્વાસ્થ્ય લાભો માટે ઓળખવામાં આવે છે. બદામ ખાવાથી નસોમાં પીડા, લકવો અને ડીજેનેરેટિવ રોગોથી રાહત મળે છે. બદામ શુક્રાણુઓની સંખ્યા વધારવામાં પણ મદદરૂપ છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે બદામથી રક્તસ્રાવ, સ્ત્રીઓમાં પીરિયડ્સ, નાકમાંથી લોહી આવવું જેવી સમસ્યાઓમાં રાહત આપી શકે છે. તેનાથી યાદશક્તિ પણ મજબૂત બને છે. આવી ફાયદાકારક બદામ ખાવાની કેટલીક રીતો છે, નહીં તો તેનું નુકસાન પણ થઇ શકે છે.                                         

બદામ ખાવાની સાચી રીત કઈ છે 

આયુર્વેદ નિષ્ણાતોના મતે, બદામને અનેક રીતે પોતાના ડાયટનો બનાવી શકાય છે. બદામને કાચી, પલાળીને અને છોલ ઉતારીને ખાઈ શકાય છે. તેને પલાળીને ખાવું સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી પાચનક્રિયા સુધરે છે અને શરીરને વધુ પોષક તત્વો મળે છે અને શરીર દિવસભર ઉર્જાવાન રહે છે.                        

 એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ?

આયુર્વેદ ડોક્ટરના મતે, દરરોજ ઓછામાં ઓછી 5 બદામ અને વધુમાં વધુ 7-8 બદામ ન ખાવી જોઈએ, કારણ કે મોટી માત્રામાં બદામ ખાવાથી આંતરડાની તંદુરસ્તી નબળી પડી શકે છે. આના કારણે ગેસ્ટ્રિકની સમસ્યા વધી શકે છે અને અપચોની સમસ્યા થઈ શકે છે. નિષ્ણાતોના મતે સવારના નાસ્તા પહેલા બદામ ખાવી શ્રેષ્ઠ છે. દિવસની શરૂઆત બદામથી કરવાથી આખો દિવસ ઉર્જાથી ભરેલો રહે છે.

 કોણે બદામ ન ખાવી જોઈએ

નિષ્ણાતોના મતે જે લોકોને શરદી અને ઉધરસની સમસ્યા હોય તેમણે બદામ ખાવાનું ટાળવું જોઈએ. આયુર્વેદમાં કહેવાયું છે કે બદામ કફ દોષને વધારી શકે છે. ઉધરસ અને શરદીની સ્થિતિમાં કફ અસંતુલિત હોય છે, આવી સ્થિતિમાં બદામ ન ખાવી જોઈએ. તેથી બદામનું યોગ્ય રીતે સેવન કરવાથી તેના ભરપૂર લાભ મેળવી શકાય છે.         

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
Embed widget