શોધખોળ કરો

Sunscreen: શું ખરેખર સનસ્ક્રિન આકરા તાપથી ત્વચાનું કરે છે રક્ષણ, જાણો શું કહે છે એક્સ્પર્ટ

સનસ્ક્રીન કેટલું સારું અને અસરકારક છે તેનો આધાર તેમાં રહેલા સન પ્રોટેક્ટીંગ ફેક્ટર (એસપીએસ) પર છે. તે જેટલું ઊંચું હશે, સનસ્ક્રીન વધુ અસરકારક રહેશે.

Sunscreen: દરેક ઋતુ પ્રમાણે ત્વચાની યોગ્ય કાળજી લેવી જરૂરી બની જાય છે. ઉનાળામાં સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી ત્વચા નિસ્તેજ થઈ શકે છે, તેથી આ ઋતુમાં તેની ખાસ કાળજી લેવી જરૂરી છે, કારણ કે સૂર્યના યુવી કિરણો ત્વચાને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. જેના કારણે ત્વચા પર સનબર્ન અને ઉંમરની અસર દેખાવા લાગે છે. ત્વચાનું કેન્સર પણ થઈ શકે છે. તેથી, તમારી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા સૌથી મહત્વપૂર્ણ છે. આ માટે લોકો સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સનસ્ક્રીન ખરેખર સૂર્યપ્રકાશથી રક્ષણ આપે છે. શું આ ક્રીમ ત્વચા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? જાણીએ...

તમારે સનસ્ક્રીનની કેમ જરૂર છે?

વાસ્તવમાં, સનસ્ક્રીન ત્વચા પર એક સ્તરની જેમ કામ કરે છે, જે તેને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતા સીધા નુકસાનથી બચાવે છે. ઝીંક ઓક્સાઇડ, ટાઇટેનિયમ ઓક્સાઇડ જેવી મહત્વની વસ્તુઓને સનસ્ક્રીનમાં મજબૂત સૂર્યપ્રકાશથી થતા નુકસાન સામે લડવા માટે ઉમેરવામાં આવે છે, જે ત્વચાને વૃદ્ધત્વની અસરો એટલે કે અકાળે વૃદ્ધત્વ અને સનબર્નથી રક્ષણ આપે છે.

શું દરેક પ્રકારની સનસ્ક્રીન અસરકારક છે?

સનસ્ક્રીન કેટલું સારું અને અસરકારક છે, તેનો આધાર તેમાં રહેલા સન પ્રોટેક્ટીંગ ફેક્ટર (એસપીએસ) પર છે. તે જેટલું ઊંચું હશે, સનસ્ક્રીન વધુ અસરકારક રહેશે. જો સનસ્ક્રીનમાં SPS 15 હોય, તો તેનો અર્થ એ છે કે ત્વચાને 15 ગણી વધુ સૂર્ય સુરક્ષા મળે છે. આવી સ્થિતિમાં, જો તમે સનસ્ક્રીન વિના બહાર જાઓ છો, તો સનબર્ન થવાનું જોખમ 15 ગણું વધી જાય છે. નિષ્ણાતો કહે છે કે તીવ્ર સૂર્યપ્રકાશથી બચવા માટે, વ્યક્તિએ હંમેશા 30-50 SPF સાથે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ.

સનસ્ક્રીન કેવી રીતે લગાવવું જોઇએ

જો તમારે સનસ્ક્રીનથી વધુ ફાયદો મેળવવો હોય તો બહાર જવાના 10 મિનિટ પહેલા તેને ત્વચા પર લગાવો અને દર બે કલાકના અંતરે લગાવો. સનસ્ક્રીન લગાવ્યા પછી જ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. મેકઅપ કરતી વખતે પણ પહેલા  સનસ્ક્રીન લગાવવી જોઈએ. આંખોની નીચે સનસ્ક્રીન લગાવવીને બહાર જવાથી સનબર્નના કારણે થતી આઇબેગની સમસ્યા નથી થતી.

સનસ્ક્રીનના ફાયદા શું છે?

  1. સનબર્ન અને ટેનિંગ અટકાવે છે
  2. ત્વચા સ્વસ્થ બને છે અને હાઈપરપીગ્મેન્ટેશનથી રાહત મળે છે
  3. ત્વચા કેન્સર અટકાવી શકે છે
  4. ખીલના નિશાન ઘટાડવામાં મદદરૂપ
  5. અકાળ વૃદ્ધત્વથી છુટકારો મળે છે

સનસ્ક્રીનના ગેરફાયદા શું છે?

  1. સનસ્ક્રીન બનાવવામાં ઘણા પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી કેટલાક ત્વચાની અંદરના પેશીઓ સુધી પહોંચીને નુકસાનકારક સાબિત થઈ શકે છે. આમાં ટેટ્રાસાયક્લાઇન, સલ્ફા ફેનોથિયાઝીન જેવા રસાયણો હોય છે.
  2. સનસ્ક્રીન બનાવવામાં ઉપયોગમાં લેવાતા રસાયણોને કારણે ત્વચા પર ખંજવાળ, લાલ ચકામા, લાલાશ અને સોજો જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, જો તમને એલર્જી હોય તો તેનો ઉપયોગ કરશો નહીં.
  3. સનસ્ક્રીન લગાવતી વખતે ક્યારેક તે આંખોમાં આવી જાય છે, જેનાથી બળતરા થઈ શકે છે.
  4. જો ત્વચા સંવેદનશીલ હોય તો સનસ્ક્રીન લગાવવું નુકસાનકારક હોઈ શકે છે, કારણ કે તેમાં રહેલા રસાયણો ખીલને વધારી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદમાં હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યુંBhavnagar News: ભાવનગરમાં  3 વર્ષમાં જ આવાસ થયા જર્જરિત, મકાનોમાં પડી મસમોટી તીરાડોGandhinagar: આવતા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં થશે બદલાવ: ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણયAmit Chavda: સરસ્વતી સાધના યોજનાની સાયકલ ખરીદીમાં કૌભાંડનો વિપક્ષનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
Champions Trophy 2025: પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પહેલી વાર આવ્યું બન્યું
Champions Trophy 2025: પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પહેલી વાર આવ્યું બન્યું
Election: મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપે કેવી રીતે જીતી ચૂંટણી? મમતા બેનર્જીનો મોટો દાવો, ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ
Election: મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપે કેવી રીતે જીતી ચૂંટણી? મમતા બેનર્જીનો મોટો દાવો, ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
Embed widget