![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીના ભોગ માટે બનાવો રાજગરાનો હલવો, નોંધી લો Recipe
Chaitra Navratri day 1 Bhog Recipe: આ દિવસે માતાને પ્રસન્ન કરવા માટે તેમને ગાયના ઘીમાંથી બનાવેલ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિના રોગો દૂર થઈ જાય છે.
![નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીના ભોગ માટે બનાવો રાજગરાનો હલવો, નોંધી લો Recipe Strike a balance between taste and health this Navratri with this rajgira halwa recipe નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીના ભોગ માટે બનાવો રાજગરાનો હલવો, નોંધી લો Recipe](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/22/5ca3a7d70d30d4aae9e703f34c003221167947342488774_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajgira Halwa Recipe For Maa Shailputri Bhog: આજે ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ છે. મા દુર્ગાના ભક્તો આજથી આખા 9 દિવસ સુધી માતાને પ્રસન્ન કરવા માટે તેમના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે. આટલું જ નહીં નવરાત્રિના આ 9 દિવસો દરમિયાન માતા અંબાને પ્રસન્ન કરવા માટે દરરોજ અલગ-અલગ વસ્તુઓ પણ ચઢાવવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપનની સાથે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાને પ્રસન્ન કરવા માટે તેમને ગાયના ઘીમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિના રોગો દૂર થઈ જાય છે. જો તમે પણ માતાને પ્રસન્ન કરવા માટે ભોગમાં કંઈક સારું અજમાવવા માંગતા હોવ તો બનાવો રાજગરાનો હલવો. આ હલવાની રેસીપી બનાવવામાં જેટલી સરળ છે તેટલી જ ખાવામાં પણ સ્વાદિષ્ટ છે.
રાજગરાનો હલવો બનાવવાની રીત-
રાજગરાના હલવા માટે સૌપ્રથમ તમારે એક કપ રાજગરાનો લોટ, એક કપ ઘી, એક કપ ખાંડ, 2 કપ પાણી અને મુઠ્ઠીભર સમારેલા ડ્રાયફ્રુટ્સ લેવાના છે. આ પછી સૌથી પહેલા પાણી અને ખાંડ મિક્સ કરીને ખાંડની ચાસણી તૈયાર કરો. હવે એક તપેલીમાં થોડું ગાયનું ઘી નાખો અને તેમાં લોટને સોનેરી થાય ત્યાં સુધી શેકો. આ પછી ખાંડની ચાસણી ઉમેરીને બરાબર પકાવો. જ્યારે ખાંડની ચાસણી લોટમાં ભળી જાય ત્યારે તેમાં ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તૈયાર છે તમારો ટેસ્ટી રાજગરાનો હલવો.
Chaitr Navratri 2023: ચૈત્ર નવરાત્રિમાં બની રહ્યો છે પંચક યોગ, ઘટસ્થાપના પર કેવી થશે અસર, શુભ મુહૂર્ત જાણો
Chaitr Navratri 2023:હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારની વિશેષ માન્યતા છે. તે ખૂબ જ વિશેષ અને પવિત્ર તહેવાર માનવામાં આવે છે. પરંતુ ચૈત્ર અને અશ્વિન મહિનામાં આવતી નવરાત્રિનું વિશેષ મહત્વ છે. તેને પ્રમુખ અથવા પ્રગટ નવરાત્રી પણ કહેવામાં આવે છે. ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રી વધુ મહત્વની બની જાય છે
પંચાંગ અનુસાર, ચૈત્ર નવરાત્રી (નવરાત્રી 2023) ચૈત્ર મહિનાની શુક્લપક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ બુધવાર 22 માર્ચ 2023 થી શરૂ થઈ રહી છે અને 30 માર્ચ 2023 ના રોજ સમાપ્ત થશે. ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપન અથવા કલશ સ્થાનપના કરવામાં આવે છે અને તેની સાથે માતા રાણીના નવ સ્વરૂપોની આખા 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે.
પંચકમાં ચૈત્ર નવરાત્રી (પંચક માર્ચ 2023)
આ વખતે ચૈત્રી નવરાત્રી પંચકમાં જ પડી રહી છે. પંચક 19મી માર્ચથી શરૂ થયું છે અને તે 23મી માર્ચે સમાપ્ત થશે. હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં પંચક કાળને શુભ માનવામાં આવતો નથી. પરંતુ આ વખતે પંચકની શરૂઆત ઘણા શુભ યોગો સાથે થઈ છે. કારણ કે આ દિવસે ચાર ગ્રહ સંયોગથી મીન રાશિમાં ગોચર કરશે. ગજકેસરી યોગ, બુધાદિત્ય યોગ, હંસ યોગ, શશ યોગ, ધર્માત્મા અને રાજ લક્ષણ જેવા શુભ યોગો નવરાત્રી દરમિયાન જ સર્જાશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શુભ યોગોના કારણે પંચકમાં નવરાત્રિની પૂજા કરી શકાય છે. તેની કોઈ અશુભ અસર નહીં થાય.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)