શોધખોળ કરો

Ahmedabad: રાજ્યમાં રોજ આવી રહ્યા છે આંખના રોગના હજારો કેસ, અમદાવાદમાં તો ટીપા ખૂટી પડ્યાં

અમદાવાદ: હાલમાં અચાનક આંખના રોગમાં ધરખમ વધારો થયો છે. રાજ્યમાં રોજના હજારોની સંખ્યામાં આંખના રોગના કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે.

અમદાવાદ: હાલમાં અચાનક આંખના રોગમાં ધરખમ વધારો થયો છે. રાજ્યમાં રોજના હજારોની સંખ્યામાં આંખના રોગના કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદની વાત કરીએ તો, શહેરમાં આંખો આવવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આંખોના ટીપા ખૂટી પડતા નવો જથ્થો મંગાવવાની ફરજ પડી છે. હાલમં 50000 જેટલા નવા ટીપા મંગાવવામાં આવ્યા છે. આ અગાઉ 20000 ટીપા મંગાવવામાં આવ્યા હતા.

 

માત્ર એક દિવસમાં કોર્પોરેશનના UHC અને PHCમાં 1800 જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે. AMC અને પ્રાઇવેટ હોસ્પિટલના આંકડા એડ કરવામાં આવે તો દર્દીઓની સંખ્યા ચોકાવનારી છે. એક સપ્તાહમાં અમદાવાદમાં 35000 થી વધુ કેસ નોંધાયા છે. પ્રાઇવેટ હોસ્પિટલો સહિત જો આંકડા ગણવામાં આવે તો એક મહિનામાં 45,000 થી વધુ કેસ નોંધાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા AMC દ્વારા આંખના ટીપાં આપવામાં આવી રહ્યાં છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં કન્જકટીવાઇટીસ રોગમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા આઠ દિવસમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી જી.ટી શેઠ આંખની હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી હતી. દરરોજના 400 થી 500 દર્દીઓ આવી રહ્યા છે. આઠ દિવસ પહેલા માત્ર 50 દર્દીઓ જ આવતા હતા. તો રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. એક અંદાજ મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં 2000 કરતાં વધારે દર્દીઓ દરરોજ આવી રહ્યા છે.

 

વડોદરા શહેરમાં પણ કંજકટીવાઇટીસનો આતંક જોવા મળી રહ્યો છે. જાણીતા આઈ સ્પેશ્યાલિસ્ટ ડો.અશોક મહેતાએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દૈનિક 1000 થી વધુ દર્દીઓ નોંધાઇ રહ્યા છે. ચોમાસામાં ભેજ અને પ્રદુષિત હવાને કારણે કેસ વધ્યા છે. ચોમાસામાં એડીનો વાયરસ ફેલાય છે. ખાનગી હોસ્પિટલમાં 50માંથી 15 દર્દીઓ કંજકટીવાઇટીસના હોય છે. ઘરેલુ નુસખાઓથી સંક્રમણ કાબુમાં આવતું નથી. દર્દીઓએ કપડાં અને રૂમાલ અને અન્ય વસ્તુઓ અલગ રાખવી જોઈએ. સૌથી વધુ બાળકો ભોગ બની રહ્યા છે. શાળાઓમાં એક સાથે બેસતા હોવાથી સંક્રમણ ફેલાયું છે. તબીબના નિદાનથી સારવાર શક્ય છે.

આંખ આવનાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે તેનાથી બચવા શું કરી શકાય તે જાણવાનો પ્રયાસ ABP અસ્મિતા એ કર્યો છે. સુરતના ખ્યાતનામ ડોક્ટર મહેન્દ્ર ચૌહાણે તેના ઉપાયો જણાવ્યા છે. સુરત શહેરમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ મળી રોજ 300 થી વધુ કેસો નોંધાય છે. આ ઉપરાંત સુરત શહેરમાં આવેલા કલીનીકોમાં રોજિંદા 10 થી 25 કેસો રોજ ના નોંધાય છે. આ સાથે ડાયરેક્ટ મેડિકલમાંથી ટીપા અને દવા લેનારાની સંખ્યા પણ મોટી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget