શોધખોળ કરો

Gandhinagar: કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ, ઉમેદવારોએ બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય

Gandhinagar: કરાર આધારિત શિક્ષકોની ભરતીના રાજ્ય સરકારના નિર્ણયનો ઉમેદવારોએ વિરોધ કર્યો હતો

ગાંધીનગરઃ કરાર આધારિત શિક્ષકોની ભરતીના રાજ્ય સરકારના નિર્ણયનો ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે જ્ઞાન સહાયક ભરતી સંદર્ભે કરાર આધારિત શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યો છે. આ ભરતી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. જો કે આ ભરતીનો ઉમેદવારોએ બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.


Gandhinagar: કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ, ઉમેદવારોએ બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય

રાજ્યના શિક્ષણ વિભાગના નિર્ણય સામે ઉમેદવારોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષણ વિભાગે કરાર આધારિત જ્ઞાનસહાયકની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જે માટેની ભરતી સંદર્ભેની અરજી કરવાની શરૂઆત પણ થઈ ગઈ છે. જોકે ભરતી માટે લાયક ઉમેદવારોએ આ ભરતીમાં અરજી ન કરી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત કાયમી શિક્ષકની ભરતી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન પણ શરૂ કર્યું છે.



Gandhinagar: કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ, ઉમેદવારોએ બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જ્ઞાનસહાયકની ભરતીની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે આ ભરતી માટે લાયક ઉમેદવારોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે તેમને કાયમી શિક્ષકની નોકરી માટે અભ્યાસ કર્યો હતો અને ટેટની પરીક્ષા પાસ કરી હતી. પરંતુ તેમની સાથે દગો કરવામાં આવ્યો છે. જેથી રાજ્યભરમાં ટેટની પરીક્ષા પાસ કરી ચૂકેલ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં સામેલ ન થઈ તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. સાથે સાથે રાજ્યની શાળાઓમાં કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખવાનું અભિયાન પણ શરૂ કર્યું છે, અત્યાર સુધી એક લાખ જેટલા પોસ્ટકાર્ડ લખાઇ ચુક્યા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકારે રાજ્યભરમાં તબક્કાવાર જ્ઞાન સહાયકની ભરતી કરવાની જાહેરાત કરી હતી જેમાં 11 માસના કરાર આધારે રૂપિયા 24,000ના માસિક વેતન આપવાનો નિર્ણય કરાયો છે. ઉમેદવારોનું કહેવું છે કે શિક્ષણ વિભાગે શિક્ષકની પરિભાષા જ બદલી નાખી છે. કાયમી શિક્ષક એટલે કે વિદ્યા સહાયકની જગ્યાએ જ્ઞાન સહાયક લાવી છે. વિદ્યા તો યોગ્ય અને લાયકાત વાળા શિક્ષકો જ આપી શકે. રાજ્યભરમાં 80 હજાર જેટલા ઉમેદવારો છે કે છેલ્લા 5 થી 10 વર્ષથી પ્રાથમિક શાળામાં શિક્ષક માટે મહેનત કરી રહ્યા છે. પરંતુ કાયમી શિક્ષકની ભરતી ન થવાથી તેઓને માનસિક રીતે પરેશાન થવાનો વારો આવ્યો છે.

 
રાજના શિક્ષણ વિભાગે વર્ષ 2015 થી શિક્ષકોની ઘટને પહોંચી વળવા પ્રવાસી શિક્ષક ભરતી કરી હતી.  જે યોજના હવે રદ કરીને જ્ઞાન સહાયકની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જે માટે 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ભરતી સંદર્ભે અરજી કરવાની પ્રક્રિયા ચાલવાની છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget