શોધખોળ કરો

Gandhinagar: કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ, ઉમેદવારોએ બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય

Gandhinagar: કરાર આધારિત શિક્ષકોની ભરતીના રાજ્ય સરકારના નિર્ણયનો ઉમેદવારોએ વિરોધ કર્યો હતો

ગાંધીનગરઃ કરાર આધારિત શિક્ષકોની ભરતીના રાજ્ય સરકારના નિર્ણયનો ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે જ્ઞાન સહાયક ભરતી સંદર્ભે કરાર આધારિત શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યો છે. આ ભરતી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. જો કે આ ભરતીનો ઉમેદવારોએ બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.


Gandhinagar: કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ, ઉમેદવારોએ બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય

રાજ્યના શિક્ષણ વિભાગના નિર્ણય સામે ઉમેદવારોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષણ વિભાગે કરાર આધારિત જ્ઞાનસહાયકની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જે માટેની ભરતી સંદર્ભેની અરજી કરવાની શરૂઆત પણ થઈ ગઈ છે. જોકે ભરતી માટે લાયક ઉમેદવારોએ આ ભરતીમાં અરજી ન કરી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત કાયમી શિક્ષકની ભરતી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન પણ શરૂ કર્યું છે.



Gandhinagar: કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ, ઉમેદવારોએ બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જ્ઞાનસહાયકની ભરતીની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે આ ભરતી માટે લાયક ઉમેદવારોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે તેમને કાયમી શિક્ષકની નોકરી માટે અભ્યાસ કર્યો હતો અને ટેટની પરીક્ષા પાસ કરી હતી. પરંતુ તેમની સાથે દગો કરવામાં આવ્યો છે. જેથી રાજ્યભરમાં ટેટની પરીક્ષા પાસ કરી ચૂકેલ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં સામેલ ન થઈ તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. સાથે સાથે રાજ્યની શાળાઓમાં કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખવાનું અભિયાન પણ શરૂ કર્યું છે, અત્યાર સુધી એક લાખ જેટલા પોસ્ટકાર્ડ લખાઇ ચુક્યા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકારે રાજ્યભરમાં તબક્કાવાર જ્ઞાન સહાયકની ભરતી કરવાની જાહેરાત કરી હતી જેમાં 11 માસના કરાર આધારે રૂપિયા 24,000ના માસિક વેતન આપવાનો નિર્ણય કરાયો છે. ઉમેદવારોનું કહેવું છે કે શિક્ષણ વિભાગે શિક્ષકની પરિભાષા જ બદલી નાખી છે. કાયમી શિક્ષક એટલે કે વિદ્યા સહાયકની જગ્યાએ જ્ઞાન સહાયક લાવી છે. વિદ્યા તો યોગ્ય અને લાયકાત વાળા શિક્ષકો જ આપી શકે. રાજ્યભરમાં 80 હજાર જેટલા ઉમેદવારો છે કે છેલ્લા 5 થી 10 વર્ષથી પ્રાથમિક શાળામાં શિક્ષક માટે મહેનત કરી રહ્યા છે. પરંતુ કાયમી શિક્ષકની ભરતી ન થવાથી તેઓને માનસિક રીતે પરેશાન થવાનો વારો આવ્યો છે.

 
રાજના શિક્ષણ વિભાગે વર્ષ 2015 થી શિક્ષકોની ઘટને પહોંચી વળવા પ્રવાસી શિક્ષક ભરતી કરી હતી.  જે યોજના હવે રદ કરીને જ્ઞાન સહાયકની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જે માટે 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ભરતી સંદર્ભે અરજી કરવાની પ્રક્રિયા ચાલવાની છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget