શોધખોળ કરો

Gandhinagar: કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ, ઉમેદવારોએ બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય

Gandhinagar: કરાર આધારિત શિક્ષકોની ભરતીના રાજ્ય સરકારના નિર્ણયનો ઉમેદવારોએ વિરોધ કર્યો હતો

ગાંધીનગરઃ કરાર આધારિત શિક્ષકોની ભરતીના રાજ્ય સરકારના નિર્ણયનો ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે જ્ઞાન સહાયક ભરતી સંદર્ભે કરાર આધારિત શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યો છે. આ ભરતી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. જો કે આ ભરતીનો ઉમેદવારોએ બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.


Gandhinagar: કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ, ઉમેદવારોએ બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય

રાજ્યના શિક્ષણ વિભાગના નિર્ણય સામે ઉમેદવારોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષણ વિભાગે કરાર આધારિત જ્ઞાનસહાયકની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જે માટેની ભરતી સંદર્ભેની અરજી કરવાની શરૂઆત પણ થઈ ગઈ છે. જોકે ભરતી માટે લાયક ઉમેદવારોએ આ ભરતીમાં અરજી ન કરી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત કાયમી શિક્ષકની ભરતી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન પણ શરૂ કર્યું છે.



Gandhinagar: કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ, ઉમેદવારોએ બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જ્ઞાનસહાયકની ભરતીની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે આ ભરતી માટે લાયક ઉમેદવારોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે તેમને કાયમી શિક્ષકની નોકરી માટે અભ્યાસ કર્યો હતો અને ટેટની પરીક્ષા પાસ કરી હતી. પરંતુ તેમની સાથે દગો કરવામાં આવ્યો છે. જેથી રાજ્યભરમાં ટેટની પરીક્ષા પાસ કરી ચૂકેલ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં સામેલ ન થઈ તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. સાથે સાથે રાજ્યની શાળાઓમાં કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખવાનું અભિયાન પણ શરૂ કર્યું છે, અત્યાર સુધી એક લાખ જેટલા પોસ્ટકાર્ડ લખાઇ ચુક્યા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકારે રાજ્યભરમાં તબક્કાવાર જ્ઞાન સહાયકની ભરતી કરવાની જાહેરાત કરી હતી જેમાં 11 માસના કરાર આધારે રૂપિયા 24,000ના માસિક વેતન આપવાનો નિર્ણય કરાયો છે. ઉમેદવારોનું કહેવું છે કે શિક્ષણ વિભાગે શિક્ષકની પરિભાષા જ બદલી નાખી છે. કાયમી શિક્ષક એટલે કે વિદ્યા સહાયકની જગ્યાએ જ્ઞાન સહાયક લાવી છે. વિદ્યા તો યોગ્ય અને લાયકાત વાળા શિક્ષકો જ આપી શકે. રાજ્યભરમાં 80 હજાર જેટલા ઉમેદવારો છે કે છેલ્લા 5 થી 10 વર્ષથી પ્રાથમિક શાળામાં શિક્ષક માટે મહેનત કરી રહ્યા છે. પરંતુ કાયમી શિક્ષકની ભરતી ન થવાથી તેઓને માનસિક રીતે પરેશાન થવાનો વારો આવ્યો છે.

 
રાજના શિક્ષણ વિભાગે વર્ષ 2015 થી શિક્ષકોની ઘટને પહોંચી વળવા પ્રવાસી શિક્ષક ભરતી કરી હતી.  જે યોજના હવે રદ કરીને જ્ઞાન સહાયકની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જે માટે 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ભરતી સંદર્ભે અરજી કરવાની પ્રક્રિયા ચાલવાની છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
Embed widget