શોધખોળ કરો

છેલ્લા 5 વર્ષમાં 8 લાખ ભારતીયોએ છોડી દીધી ભારતની નાગરિકતા, જાણો કેમ વધી રહ્યો છે વિદેશમાં વસવાનો ટ્રેન્ડ

Citizenship: છેલ્લા 5 વર્ષમાં લગભગ 8.34 લાખ ભારતીયોએ પોતાની ભારતીય નાગરિકતા છોડી દીધી. આ ઉપરાંત 114 અન્ય દેશોના નાગરિક બની ગયા.

Citizenship: ભારતીય લોકોમાં વિદેશમાં વસવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં છેલ્લા 5 વર્ષમાં 8 લાખ, 34,000 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે. આનાથી પ્રશ્ન ઉઠે છે કે આખરે કેમ આટલા બધા લોકો ભારત છોડીને વિદેશમાં વસવા માટે જઈ રહ્યા છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે છેલ્લા 5 વર્ષમાં પોતાની નાગરિકતા છોડનારા ભારતીય નાગરિકો પર પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં આ માહિતી આપી. વિદેશ મંત્રીએ પોતાના જવાબમાં 2011-2018નો ડેટા પણ શેર કર્યો.

કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે (1 ઓગસ્ટ) રાજ્યસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2023માં 2.16 લાખથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી. વિદેશ મંત્રીએ જણાવ્યું કે 2023માં પોતાની નાગરિકતા છોડનારા ભારતીયોની સંખ્યા 2,16,219 (2.16 લાખ) હતી. સરકારે જણાવ્યું કે 2022માં આ આંકડો 2,25,620 (2.25 લાખ) હતો, જ્યારે 2021માં 1,63,370 (1.63 લાખ); 2020માં 85,256; અને 2019માં 1,44,017 (1.44 લાખ) હતો.

જાણો નાગરિકતા છોડવાનું શું છે કારણ?

વાસ્તવમાં, સામાન્ય રીતે માનવામાં આવે છે કે લોકો વધુ સારી નોકરી અને રહેણીકરણી માટે અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે અથવા ત્યાંની નાગરિકતા લે છે. ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યૂ, 2020 અનુસાર, સારી લાઇફસ્ટાઇલ માટે લોકો નવી નાગરિકતા લે છે. આની સાથે જ ગુનાખોરીનો દર વધવાથી અથવા દેશમાં વ્યાવસાયિક તકોની અછતને કારણે પણ લોકો આવું કરે છે. આ ઉપરાંત વિદેશોમાં સારો પગાર અને કામ કરવાનું વધુ સારું વાતાવરણ પણ લોકો માટે ભારત છોડવાનું એક મોટું કારણ છે.

જાણો કયો દેશ છે પ્રથમ પસંદગી?

ભારતના લોકોમાં વિકસિત અને સમૃદ્ધ દેશોમાં નાગરિકતા લેવાની ઇચ્છા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં વર્ષ 2018થી 2023 સુધી ભારતીયોએ 114 દેશોમાં નાગરિકતા મેળવી છે. આમાંથી મોટાભાગના લોકો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને જર્મનીમાં વસ્યા છે. જોકે, છેલ્લા 6 વર્ષમાં 70 લોકોએ પાકિસ્તાની નાગરિકતા પણ લીધી. જ્યારે 130એ નેપાળી નાગરિકતા મેળવી અને 1,500 લોકોએ કેન્યાની નાગરિકતાનો વિકલ્પ પસંદ કર્યો. ચીન પછી ભારતમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા બીજી સૌથી વધારે છે.

વિદેશમાં ઉચ્ચ અભ્યાસના છે વધુ સારા વિકલ્પો

વિદેશોમાં ઉચ્ચ શિક્ષણનું સ્તર ભારતની તુલનામાં ઘણું ઊંચું છે. ઘણા લોકો અભ્યાસ વીઝા પર જાય છે. સ્નાતક થયા પછી પોસ્ટ સ્ટડી વર્ક વીઝા માટે અરજી કરે છે. આ પછી કાયમી નાગરિકતા માટે અરજી કરે છે અને નાગરિકતા મેળવી લે છે. આની સાથે જ વિદેશોમાં સરકારી અને સંવેદનશીલ ક્ષેત્રોમાં નોકરીની પણ તક મળે છે.

આ પણ વાંચોઃ 

રાજકોટના લોકોની સાતમ આઠમ બગડે તેવા એંધાણ, લોકમેળાને લઈને આવ્યા મોટા સમાચાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં મોટા ફેરફાર, 1 ઓક્ટોબર પહેલા આ કામ નહીં કરો તો થશે નુકસાન
Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં મોટા ફેરફાર, 1 ઓક્ટોબર પહેલા આ કામ નહીં કરો તો થશે નુકસાન
Cricket Ban: આ દેશમાં ક્રિકેટ પર લાગશે પ્રતિબંધ! તાલિબાનના સુપ્રીમ લીડરે આપી દીધો આદેશ?
Cricket Ban: આ દેશમાં ક્રિકેટ પર લાગશે પ્રતિબંધ! તાલિબાનના સુપ્રીમ લીડરે આપી દીધો આદેશ?
Spacewalk: આ અબજોપતિએ રચ્યો ઇતિહાસ! અવકાશમાં કર્યું સ્પેસવોક,અદભૂત વીડિયો આવ્યો સામે
Spacewalk: આ અબજોપતિએ રચ્યો ઇતિહાસ! અવકાશમાં કર્યું સ્પેસવોક,અદભૂત વીડિયો આવ્યો સામે
America Reservation System: શું અમેરિકામાં પણ કોઈને મળે છે અનામત? જાણો કયા આધારે મળે છે નોકરી
America Reservation System: શું અમેરિકામાં પણ કોઈને મળે છે અનામત? જાણો કયા આધારે મળે છે નોકરી
Embed widget