શોધખોળ કરો
Coronavirus: દેશમાં કોરોના વાયરથી સંક્રમિત સંખ્યા 5 હજારને પાર, અત્યાર સુધી149નાં મોત
દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 5274 પર પહોંચી ગઈ છે. જ્યારે 149 લોકોના આ જીવલેણ વાયરસથી મોત થયા છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામા સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 5274 પર પહોંચી ગઈ છે. જ્યારે 149 લોકોના આ જીવલેણ વાયરસથી મોત થયા છે. 411 દર્દીઓ સાજા થઈ ગયા છે.
આરોગ્ય મંત્રલાય મંગળવારે 4 વાગ્યે પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી 773 કેસ સામે આવ્યા છે. અને 32 લોકોના મોત થયા છે. ઈસીએમઆરના અધિકારીએ જણાવ્યું કે, કોરોના વાયરસ ટેસ્ટ અત્યાર સુધી કુલ 1 લાખ 21 હજાર 217 લોકો પર કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધી કોરોના સંક્રમિત કેસ સામે આવ્યા છે. અહીં પીડિતોની સંખ્યા 1,078 પર પહોંચી ગઇ છે. જેમાંથી 79 લોકો સાજા થયા છે. જ્યારે 64 લોકોના મોત થઇ ચૂક્યા છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement