શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજીનામું આપ્યા બાદ કમલનાથે કહ્યું- એક મહારાજા અને 22 લાલચુંઓએ સરકાર પાડવાનું કાવતરું રચ્યું
કમલનાથે જ્યોતિરાદિત્ય સિંધિયા પર નિશાન સાધ્યું હતું. સિંધિયાનું નામ લીધા વિના કહ્યું કે, એક મહારાજા અને 22 લાલચી લોકોએ સરકાર પાડવાનું કાવતરુ રચ્યું. ભાજપ વિચારે છે કે, મારા પ્રદેશને હરાવીને ખુદ જીતી જશે. તેઓ આમ કરી શકે નહીં.
![રાજીનામું આપ્યા બાદ કમલનાથે કહ્યું- એક મહારાજા અને 22 લાલચુંઓએ સરકાર પાડવાનું કાવતરું રચ્યું madhya pradesh Political Crisis CM kamal nath submits resignation to governor and attacks on bjp રાજીનામું આપ્યા બાદ કમલનાથે કહ્યું- એક મહારાજા અને 22 લાલચુંઓએ સરકાર પાડવાનું કાવતરું રચ્યું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/20214610/kamalnath.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભોપાલ: મધ્યપ્રદેશમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણ બાદ છેવટે મુખ્યમંત્રી કમલનાથે વિશ્વાસમત પહેલા જ રાજીનામું આપી દીધું છે. કમલનાથે ખુદ રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આ પહેલા કમલનાથે પ્રેસ કૉન્ફરન્સમાં રાજીનામાની જાહેરાત કરી હતી. તેની સાથે તેઓએ ભાજપ પર સરકાર પાડવાનો મોટો આરોપ લગાવ્યો હતો.
કમલનાથે જ્યોતિરાદિત્ય સિંધિયા પર નિશાન સાધ્યું હતું. સિંધિયાનું નામ લીધા વિના તેઓએ કહ્યું કે, એક મહારાજા અને 22 લાલચી લોકોએ સરકાર પાડવાનું કાવતરુ રચ્યું. ભાજપ વિચારે છે કે, મારા પ્રદેશને હરાવીને ખુદ જીતી જશે. તેઓ આમ કરી શકે નહીં.
કમલનાથે પ્રેસ કહ્યું, મારો શું વાંક, મેં હંમેશા વિશ્વાસ સાથે વિકાસ કર્યો છે, રાજ્ય પૂછી રહ્યું છે, મારો શું વાંક છે. છેલ્લા 15 મહિનાથી બીજેપી કાવતરા રચી રહી હતી. સરકાર પાડવા હંમેશા કાવતરા કરી રહી હતી. મને પ્રજાએ પાંચ વર્ષ માટે બહુમત આપી હતી. પ્રદેશ સાથે વિશ્વાસઘાત કરનારા નેતાઓને જનતા ક્યારેય માફ નહીં કરે.
ભાજપે લોકતંત્રની હત્યા કરી નાંખી છે. મારી સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું, પરંતુ ભાજપને આ ગમ્યું નહીં. જનતાએ અમને પાંચ વર્ષ માટે તક આપી હતી. 15 મહિનામાં પ્રદેશને નવી દીશા આપવાનું કામ કર્યું છે. 15 મહિનાના કાર્યકાળમાં મારી સરકાર પર ભ્રષ્ટાચારનો એકપણ આરોપ લાગ્યો નથી. જનતા સમજી ગઈ હતી કે જનતાની સરકાર શું હોય છે. ?
કૉંગ્રેસને હાલ બસપાના 2, સમાજવાદી પાર્ટીના 1 અને 4 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. આ રીતે કૉંગ્રેસનો આંકડો 99 પર પહોંચે છે, જે બહુમત માટે ઓછો છે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા મધ્યપ્રદેશના સ્પીકર એનપી પ્રજાપતિએ વિશ્વાસ મત પહેલાજ ઘણા ધારાસભ્યોના રાજીનામા મંજૂર કરી લીધા છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 23 ધારાસભ્યોના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં 22 કૉંગ્રેસ અને 1 ભાજપના ધારાસભ્ય સામેલ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)