શોધખોળ કરો

Taj Mahal: ભારે વરસાદને લીધે યમુનાનું પાણી પહોંચ્યું તાજમહેલ સુધી, જાણો સ્મારકને થશે નુકસાન?

Yamuna Water Level: યમુના નદીનું પાણી આગરાના વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલની દિવાલો સુધી પહોંચી ગયું છે. યમુનાના પાણીએ લગભગ 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

Yamuna River Water Level:  ભારે વરસાદને પગલે યમુના નદીનું પાણી આગરાના વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલની દિવાલો સુધી પહોંચી ગયું છે. જોકે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)નું કહેવું છે કે પાણીનું સ્તર વધવાને કારણે તાજમહેલને કોઈ ખતરો નથી. ઉલ્લેખનીય છે કે 1978 અને 2010માં જ યમુનાનું પાણી તાજમહેલની દિવાલ સુધી પહોંચ્યું હતું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદને પગલે યમુના નદીના પાણી તાજમહેલની દીવાલ સુધી ભરાયેલા જોવા મળી રહ્યા છે. 

ભારે વરસાદને લીધે યમુનાનું પાણી પહોંચ્યું તાજમહેલ

અધિકારીઓના જણાવ્યા અનુસાર યમુનાના પાણીનું સ્તર 499 ફૂટના 'મધ્યમ પૂરના સ્તર'ને વટાવી ગયું છે. મંગળવારે અહીં પાણીનું સ્તર 499.97 ફૂટ પર પહોંચી ગયું, જેના કારણે પાણી તાજમહેલની દિવાલોની નજીક આવી ગયું અને સ્મારકની પાછળનો બગીચો ડૂબી ગયો છે. તાજમહેલના સંરક્ષણ સહાયક પ્રિન્સ વાજપેયીએ મંગળવારે કહ્યું, "વર્ષ 2010 અને તે પહેલા 1978માં યમુનાનું પાણી તાજમહેલની દિવાલો સુધી પહોંચ્યું હતું. 1978ના પૂરમાં પાણી સ્મારકના ભોંયરામાં રૂમમાં પ્રવેશ્યું હતું.

પરિસરના પાયામાં 42 કૂવા છે

સંરક્ષણ સહાયકે કહ્યું, “આ વર્ષે પણ તાજમહેલ સુધી પાણી પહોંચી ગયું છે, પરંતુ સ્મારકને કોઈ ખતરો નથી. મુખ્ય સમાધિ ઊંચા પ્લેટફોર્મ પર બનેલી છે. તે ચમેલી ફ્લોર પર ઉભું છે, અને તેના પાયામાં 42 કુવાઓ છે અને કુવાઓની ઉપર સાલ લાકડાની રચના છે.” અધિકારીએ વધુમાં જણાવ્યું કે ચમેલીનું માળખું લાલ રેતીના પથ્થર અને સફેદ આરસપહાણથી બનેલું છે.

45 વર્ષમાં પહેલીવાર યમુનાનું પાણી તાજમહેલ સુધી પહોંચ્યું

ઉલ્લેખનીય છે કે 45 વર્ષમાં પહેલીવાર આગ્રામાં યમુનાનું પાણી તાજમહેલ સુધી પહોંચ્યું છે અને યમુનાના પાણીથી તાજમહેલના મુગલ ગાર્ડન ભરાઈ ગયુ છે. યમુના નદી એતમાદૌલા સ્મારક પાસેથી પસાર થઈ રહી છે. યમુનાના વધતા જળ સ્તરને લઈને વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. તાજમહેલની આસપાસ બનેલા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે.

ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ 

તાજગંજ સ્મશાન અને પોયાઘાટ બંને સંપૂર્ણપણે ડૂબી ગયા છે. બીજી તરફ, પ્રાચીન દશેરા ઘાટ, એતમાદૌલાનો મકબરો, રામ બાગ, મહેતાબ બાગ, જોહરા બાગ, કાલા ગુંબડ જેવા વિસ્તારોમાં પૂરનો ભય તોળાઈ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
Advertisement

વિડિઓઝ

Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
Fake Police: પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
Fake Police: પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
અભિનંદનઃ માં બની ગઇ કેટરીના કૈફ, 42 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ
અભિનંદનઃ માં બની ગઇ કેટરીના કૈફ, 42 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ
iPhone Air 2 ની મહત્વની જાણકારી લીક, રિયરમાં હશે બે કેમેરા, ક્યારે થશે લૉન્ચ ?
iPhone Air 2 ની મહત્વની જાણકારી લીક, રિયરમાં હશે બે કેમેરા, ક્યારે થશે લૉન્ચ ?
Embed widget