શોધખોળ કરો

Train Accident: ગુજરાત આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતર્યા, કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે

Kanpur Train Accident: ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે ટ્રેન અકસ્માત સર્જાયો છે. અહીં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન નંબર 19168 ભીમસેન સ્ટેશન વચ્ચેના બ્લોક સેક્શનમાં પાટા પરથી ઉતરી ગઈ હતી.

Sabarmati Express Train Accident: ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે ટ્રેન અકસ્માત સર્જાયો છે. અહીં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન નંબર 19168 ભીમસેન સ્ટેશન વચ્ચેના બ્લોક સેક્શનમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. સારા સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં સ્થળ પરથી કોઈને ઈજા થઈ નથી. મુસાફરોને કાનપુર લઈ જવા માટે બસો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માત થયો ત્યારે સાબરમતી ટ્રેન કાનપુર જઈ રહી હતી ત્યારે ભીમસેન સ્ટેશનની વચ્ચે થોડા અંતરે તેનો અકસ્માત થયો હતો. લોકો પાયલોટનું કહેવું છે કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે બોલ્ડર એન્જિન સાથે અથડાયું હતું, જેના કારણે એન્જિનનો કેટલ ગાર્ડ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો અને વાંકો વળી ગયો. જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. જો કે આ અંગે તપાસ બાદ જ કંઇક કહી શકાશે.

 

ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા
આ ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. ટ્રેનમાં સવાર મુસાફરો ડરી ગયા અને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. આ દરમિયાન ટ્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટનાના સમાચાર મળતા જ કાનપુરના ડીએમ રાકેશ કુમાર સિંહ અને એડીએમ ઘટનાસ્થળે પહોંચી ગયા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. જે બાદ સ્થળ પર રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

આ ઘટનાનું વર્ણન કરતાં કાનપુરના ડીએમ રાકેશ કુમાર સિંહે જણાવ્યું કે, માહિતી મળતા જ વહીવટી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો. ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં કેટલાક લોકોને નાના-મોટા ઉઝરડા પડ્યા છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે. સાથે જ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે બસો પણ મંગાવવામાં આવી છે. જેમાં મુસાફરોને અન્ય રેલવે સ્ટેશન અથવા તેમના ગંતવ્ય સ્થાન પર ઉતારવામાં આવશે.

સમાજવાદી પાર્ટીએ હુમલો કર્યો
ભારતીય રેલવેએ આ અંગે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. સાબરમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાને લઈને સમાજવાદી પાર્ટીએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પર નિશાન સાધ્યું છે. સપાના નેતા આઈપી સિંહે કહ્યું કે, આજે કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના તમામ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન વારાણસીથી ગુજરાત જઈ રહી હતી. કદાચ કોઈ દિવસ એવો હશે જ્યારે ટ્રેન અકસ્માત ન થયો હોય. રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે તેને એક નાનો અકસ્માત ગણાવ્યો છે. પ્રધાનમંત્રીજી મૌન છે. આખરે રેલ્વે મંત્રી ક્યારે રાજીનામું આપશે?

આ પણ વાંચો...

Udaipur Violence: ઉદયપુરમાં અચાનક સર્જાયા તોફાન તોડફોડ હિંસા બાદ શાળા કોલેજ ઇન્ટરનેટ બંધ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની  PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEOAlcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની  PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
Navaratri 2024: રાજકોટમાં પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જતાં પહેલા આ નિયમો જાણીએ લો, નહિ તો નહિ મળે પ્રવેશ
Navaratri 2024: રાજકોટમાં પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જતાં પહેલા આ નિયમો જાણીએ લો, નહિ તો નહિ મળે પ્રવેશ
Embed widget