શોધખોળ કરો

Anti-tobacco Warning: OTT પ્લેટફોર્મ માટે નવા એન્ટી ટોબેકો રૂલ્સ ઘડાયા, જાણો શું છે નવા નિયમો

Anti-tobacco Warning: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે OTT પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતવણીઓ માટે નવા નિયમોની સૂચના જાહેર કરી છે.

Anti-tobacco Warning:કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે OTT પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતવણીઓ માટે નવા નિયમોની સૂચના જાહેર  કરી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે OTT પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતવણીઓ માટે નવા નિયમોની સૂચના જાહેર કરી કરી છે. નોટિફિકેશનમાં OTT પ્લેટફોર્મ માટે કન્ટેન્ટમાં  તમાકુ વિરોધી  ચેતવણી સંદેશા દર્શાવવાનું ફરજિયાત બનાવ્યું છે. કહેવામાં આવ્યું છે કે, જો ઓનલાઈન કન્ટેન્ટ પબ્લિશર નવા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય કડક કાર્યવાહી કરશે.

વર્લ્ડ નો ટોબેકો ડે પર આરોગ્ય મંત્રાલયે આ સૂચના જાહેર કરી છે. આ પછી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર અને સોની લિવ જેવા તમામ OTT પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ  સાથે તમાકુ વિરોધી ચેતવણીઓ દર્શાવવી ફરજિયાત રહેશે. સિનેમા હોલ અને ટેલિવિઝન ચેનલોમાં ફિલ્મ અને ટેલિવિઝન કાર્યક્રમની શરૂઆતમાં અને મધ્યમાં ઓછામાં ઓછી ત્રીસ સેકન્ડની અવધિની તમાકુ વિરોધી સ્વાસ્થ્ય ચેતવણી પ્રદર્શિત કરવી પહેલેથી જ ફરજિયાત છે.

30 સેકન્ડ ચેતવણી

નવા નિયમ મુજબ, તમાકુ ઉત્પાદનો અથવા તેનો ઉપયોગ દર્શાવતી ઓનલાઈન કેન્ટટ પર  તમાકુ વિરોધી સ્વાસ્થ્ય જાગૃતિ માટે કાર્યક્રમની શરૂઆતમાં અને મધ્યમાં ઓછામાં ઓછી ત્રીસ સેકન્ડની જગ્યા હોવી જોઈએ. OTT પ્લેટફોર્મ તમાકુ ઉત્પાદનોના પ્રદર્શન અથવા પ્રોગ્રામમાં તેમના ઉપયોગના સમયગાળા દરમિયાન સ્ક્રીનની નીચે  એક પ્રમુખ સ્થિર સંદેશ તરીકે તમાકુ વિરોધી સ્વાસ્થ્ય ચેતવણી પણ પ્રદર્શિત કરાશે.

No Tobacco Day: કેમ લોકો નથી છોડી શકતા તમાકુ, જાણો એવું તે શું હોય છે અને કેમ લાગે છે લત

 

Tobacco Health Risk: ચિંતાની વાત એ છે કે તમાકુનો ઉપયોગ કરતા મોટાભાગના લોકો જાણે છે કે તેનાથી અનેક રોગો થઈ શકે છે, પરંતુ તેમ છતાં તેનું આડેધડ તેનું સેવન કરે છે.

દર વર્ષે 31 મેના રોજ સમગ્ર વિશ્વમાં 'વર્લ્ડ નો ટોબેકો ડે' ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોને તમાકુ સાથે સંકળાયેલા જોખમો વિશે સમજાવવાનો અને જાગૃત કરવાનો છે. તમાકુને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે વિશ્વભરમાં દર વર્ષે લગભગ 8 મિલિયન લોકો પોતાનો જીવ ગુમાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ પણ તમાકુના સેવનને  ઘણી ગંભીર બીમારીઓ સાથે જોડી છે, જેમાં કેન્સર એક મોટી બીમારી છે.

ચિંતાની વાત એ છે કે તમાકુનો ઉપયોગ કરતા મોટાભાગના લોકો જાણે છે કે, તેનાથી અનેક રોગો થઈ શકે છે, પરંતુ તેમ છતાં તેનો આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, તમાકુ સાથે સંકળાયેલા નુકસાનની જાણ હોવા છતાં લોકો તેનાથી દૂર કેમ નથી રહી શકતા અથવા શા માટે તમાકુ છોડવા સક્ષમ નથી?

વાસ્તવમાં, જ્યારે કોઈ આદત છોડવામાં કે છોડવામાં મુશ્કેલી આવે ત્યારે તેને 'વ્યસન' નામ આપવામાં આવે છે. તમાકુનું વ્યસન સમગ્ર વિશ્વમાં ઘણા લોકોને ઘેરી વળ્યું છે. જે લોકો તેનાથી દૂર રહેવા માંગે છે, તેઓને પણ તમાકુ છોડવી ખૂબ મુશ્કેલ લાગે છે. હવે સવાલ એ છે કે તમાકુમાં એવું શું છે, જેના કારણે તે વ્યસન બની જાય છે, જે લાખ પ્રયત્નો છતાં છૂટવાનું નામ નથી લેતું?

ખરેખર, તમાકુમાં નિકોટિન નામનું વ્યસનકારક પદાર્થ હોય છે, જે શરીરમાં જાય છે અને ઘણી ગંભીર બીમારીઓનું કારણ બને છે. નિકોટિન ઉત્તેજક અને શામક તરીકે કામ કરે છે. જ્યારે વ્યક્તિ સિગારેટનો ધુમાડો શ્વાસમાં લે છે, ત્યારે નિકોટિન શરીરમાં પ્રવેશ કરે છે. પછી નિકોટિન પોતે જ મગજમાં ડોપામાઇન નામનું રસાયણ છોડે છે, જે લોકોને સારું લાગે છે. મગજમાં નિકોટિન પહોંચવામાં માત્ર 10 સેકન્ડનો સમય લાગે છે. જે લોકોને ડિપ્રેશનની સમસ્યા જોવા મળે છે તેમાં નિકોટિન ઓછું જોવા મળે છે. આ જ કારણ છે કે તમે ઘણી વખત હતાશ લોકોને ધૂમ્રપાન કરતા જોયા હશે.

તમાકુના કારણે થતા રોગો

તમાકુમાં હાજર નિકોટિન એક હાનિકારક રસાયણ છે, જે શરીરને અનેક ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. તમાકુથી થતા મોટા રોગોમાંનો એક છે 'ફેફસાનું કેન્સર'. આ સિવાય તેની અસર લોહી, મૂત્રાશય, લીવર, કિડની, સ્વાદુપિંડ, કોલોન અને પેટ સહિત અનેક પ્રકારના કેન્સરનું જોખમ વધારે છે. એટલું જ નહીં, તમાકુ હૃદયની બીમારીઓ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધારે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની ગ્રામ પંચાયત ચૂંટણીમાં કારમી હાર, 20 વર્ષના એકચક્રી શાસનનો અંત
રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની ગ્રામ પંચાયત ચૂંટણીમાં કારમી હાર, 20 વર્ષના એકચક્રી શાસનનો અંત
Gram Panchayat Election Result: પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહીરના પુત્રને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મળી હાર
Gram Panchayat Election Result: પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહીરના પુત્રને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મળી હાર
CBSE: હવે વર્ષમાં બે વાર લેવામાં આવશે  10મા ધોરણની બોર્ડ પરીક્ષા , જાણો કેમ લેવામાં આવ્યો આ મોટો નિર્ણય
CBSE: હવે વર્ષમાં બે વાર લેવામાં આવશે 10મા ધોરણની બોર્ડ પરીક્ષા , જાણો કેમ લેવામાં આવ્યો આ મોટો નિર્ણય
Advertisement

વિડિઓઝ

Ahmedabad Heavy Rain : અમદાવાદ જળમગ્ન, ઠેર ઠેર ભરાયા પાણી
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂર યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળાનું ઈન્જેક્શન !
Narmada Rain news:  ડેડિયાપાડાથી મોવી જતા માર્ગ પર પુલ ધોવાતા વાહન વ્યવહાર ઠપ્પ
CBSE 10th Exam New Rules: વર્ષમાં બે વખત લેવાશે CBSEની ધોરણ 10ની બોર્ડની પરીક્ષા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની ગ્રામ પંચાયત ચૂંટણીમાં કારમી હાર, 20 વર્ષના એકચક્રી શાસનનો અંત
રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની ગ્રામ પંચાયત ચૂંટણીમાં કારમી હાર, 20 વર્ષના એકચક્રી શાસનનો અંત
Gram Panchayat Election Result: પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહીરના પુત્રને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મળી હાર
Gram Panchayat Election Result: પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહીરના પુત્રને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મળી હાર
CBSE: હવે વર્ષમાં બે વાર લેવામાં આવશે  10મા ધોરણની બોર્ડ પરીક્ષા , જાણો કેમ લેવામાં આવ્યો આ મોટો નિર્ણય
CBSE: હવે વર્ષમાં બે વાર લેવામાં આવશે 10મા ધોરણની બોર્ડ પરીક્ષા , જાણો કેમ લેવામાં આવ્યો આ મોટો નિર્ણય
Gujarat Rain: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ નર્મદાના નાંદોદમાં 8 ઇંચથી પાણી-પાણી, દાહોદમાં પણ સ્થિતિ ગંભીર, વાંચો 24 કલાકના આંકડા
Gujarat Rain: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ નર્મદાના નાંદોદમાં 8 ઇંચથી પાણી-પાણી, દાહોદમાં પણ સ્થિતિ ગંભીર, વાંચો 24 કલાકના આંકડા
Axiom-4 Mission: 'મારા ખભા પર મારો તિરંગો, જય હિંદ, જય ભારત', સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ મેસેજ
Axiom-4 Mission: 'મારા ખભા પર મારો તિરંગો, જય હિંદ, જય ભારત', સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ મેસેજ
ગૌતમ ગંભીર કોચ બન્યા બાદ સતત ટેસ્ટ મેચ હારી રહી છે  ટીમ ઈન્ડિયા, ખૂબ જ 'શરમજનક' છે રિઝલ્ટ
ગૌતમ ગંભીર કોચ બન્યા બાદ સતત ટેસ્ટ મેચ હારી રહી છે ટીમ ઈન્ડિયા, ખૂબ જ 'શરમજનક' છે રિઝલ્ટ
Gram Panchayat Election Result: ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ, જાણો કયાં કોણ બન્યું સરપંચ
Gram Panchayat Election Result: ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ, જાણો કયાં કોણ બન્યું સરપંચ
Embed widget