શોધખોળ કરો

યુપીમાં ભયાનક દૂર્ઘટના, રાત્રે સૂઇ રહેલો આખો પરિવાર બળીને ખાખ, પિતા જોતો જ રહ્યો, જાણો

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો, અને મૃતદેહોને બહાર કાઠવામાં આવ્યા હતા, ઘટનાની માહિતી મળતાં જ ડીએમ અને એસપી રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા

UP News: ઉત્તરપ્રદેશના કુશીનગરમાંથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, કુશીનગરના ઉર્ધા ગામમાં આગ લાગવાની ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના કરૂણ મોત થયા છે. આ દૂર્ઘટનામાં મૃતકોમાં એક મહિલા અને તેના 5 બાળકો બળીને ખાખ થઇ ગયા છે. ગઇ મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ઘટના સમયે પિતા નવમી ઘરની બહાર સૂઇ રહ્યાં હતા, જ્યારે તેમની પત્ની સંગીતા તેમના 5 બાળકો સાથે ઘરની અંદર સૂઈ રહી હતી. સંગીતા અને તેના 5 બાળકો સૂઇ રહ્યાં હતા, તે દરમિયાન આગ લાગવાને કારણે ઘરની અંદર ફસાઈ ગયા હતા, આ ઘટનામાં તમામ લોકો સળગી જવાને કારણે દરેકના મોત થયા હતા.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો, અને મૃતદેહોને બહાર કાઠવામાં આવ્યા હતા, ઘટનાની માહિતી મળતાં જ ડીએમ અને એસપી રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલીને મામલાની તપાસના આદેશ આપ્યા છે. રામકોલા નગરના ઉર્ધા નંબર 2માં નવમી નામનો વ્યક્તિ જમ્યા બાદ તેની પત્ની અને 5 બાળકો સાથે સૂઈ ગયો હતો. ગરમીના કારણે નવમી ઘરની બહાર સૂઇ રહ્યો હતો, અને તેની પત્ની સંગીતા અને બાળકો અંકિત, લક્ષ્મીણા, રીટા, ગીતા અને બાબુ ઘરની અંદર સૂઈ ગયા હતા. રાત્રે અચાનક ઘરમાં આગ લાગી હતી. આગની જ્વાળાઓ ફરી વળી હતી, આ દ્રશ્યો જોઇને નવમીની આંખ ખુલી ગઈ.

પિતા નવમીએ આગ હોલવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. કેનાલ કિનારે એકલવાયું મકાન હોવાને કારણે ગામના લોકો પણ તાત્કાલિક પહોંચી શક્યા ન હતા, જેના કારણે આગ હોલવવામાં વિલંબ થયો હતો. જેના કારણે આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. થોડીજ વારમાં 38 વર્ષની સંગીતા, 10 વર્ષીય અંકિત, 9 વર્ષની લક્ષ્મીના, 3 વર્ષની રીટા, 2 વર્ષની ગીતા અને 1 વર્ષનો બાબુ દાઝી ગયા હતા. દૂર્ઘટનાની જાણ થતાં રામકોલા પોલીસ સ્ટેશનની પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધા બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આગ લાગવાના કારણો હજુ જાણવા મળ્યા નથી. ડીએમ રમેશ રંજન અને એસપી ધવલ જયસ્વાલ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘટનાનો તાગ મેળવ્યો. ડીએમએ ઘટનાના કારણની તપાસના આદેશ આપ્યા છે.

ઉતાવળમાં લોકોએ ઘટના અંગે ફાયર બ્રિગેડ અને વહીવટી અધિકારીઓને જાણ કરી હતી, પરંતુ મહિલા અને પાંચ બાળકોને આગમાંથી બચાવી શકાયા ન હતા. આખો પરિવાર જીવતો સળગી ગયો. વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી. ઘરમાં આગ કેવી રીતે લાગી, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોની પૂછપરછ કરી. પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી લીધો છે. એક જ પરિવારના છ લોકોના મોત નીપજતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસ ઘટનાની તપાસમાં લાગેલી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project: પાર-તાપી-નર્મદા પરિયોજનાને લઈ સરકારની મોટી જાહેરાત, કોંગ્રેસે શું કહ્યું?
Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય, તૂટી પડશે ભારે વરસાદ
Ahmedabad news : મેઘરાજાએ વિરામ લેતા અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા પર આંશિક કાબુ.
Vadodara News : અમૃત ભારત યોજના અંતર્ગત વિકિસત થતા રેલવે સ્ટેશનો પર અસુવિધાની ભરમાર હોવાનો આરોપ
Devayat Khavad news: લોકકલાકાર દેવાયત ખવડ પર લાગેલા આરોપને લઇ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
દેશમાં કેટલા રખડતા કૂતરા છે? જાણો દર વર્ષે હડકવાથી કેટલા લોકો મૃત્યુ પામે છે; આંકડા તમને ચોંકાવી દેશે
દેશમાં કેટલા રખડતા કૂતરા છે? જાણો દર વર્ષે હડકવાથી કેટલા લોકો મૃત્યુ પામે છે; આંકડા તમને ચોંકાવી દેશે
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો
શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો
Embed widget