શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના ભાજપના ટોચના નેતાને શૌચાલય કૌભાંડમાં બે વર્ષની સજા થતાં ખળભળાટ, જાણો શું હતો કેસ?

વિજાપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મદનસિહં અદેસિંહ રાઠોડ ઉચાપત કેસમાં દોષિત ઠરતાં એડીશનલ ચીફ જ્ડીશીયલ મેજીસ્ટ્રેટેટે તેમને બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

મહેસાણાઃ ઉત્તર ગુજરાતના ભાજપના (North Gujarat BJP leader) એક નેતાને શૌચાલય કૌભાંડમાં બે વર્ષની સજા થતાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ શાસિત વિજાપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મદનસિહ રાઠોડને (Magansinh Rathod) કોર્ટ બે વર્ષની સજા ફટકારી છે. મદનસિંહ રાઠોડ સામે દસ વર્ષ પહેલાં શૌચાલય કોભાંડ મુદ્દે ફરીયાદ થઈ હતી. મદનસિંહ રાઠોડે (BJP leader) ખોટા બિલો રજૂ કરી નાણાંની ઉચાપત કરી હોવાના કેસમાં કોર્ટે સજા ફટકારી છે. વિજાપુર તાલુકા પંચાયતના હાલના ઉપપ્રમુખ મદનસિંહ રાઠોડ (Magansinh Rathod) પહેલાં વિજાપુર તાલુકા પંચાયતમાં વિસ્તરણ અઘિકારી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે નાણાંની ઉચાપત કરી હતી.

વિજાપુર તાલુકા પંચાયતના (Vijapur Taluka Panchayat) ઉપપ્રમુખ મદનસિહં અદેસિંહ રાઠોડ ઉચાપત કેસમાં દોષિત ઠરતાં એડીશનલ ચીફ જ્ડીશીયલ મેજીસ્ટ્રેટેટે તેમને બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાતં મદનસિંહને રૂપિયા 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસના અન્ય બે આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવ્યા છે.

આ કેસની ટૂંકી વિગત પ્રમાણે બાર વર્ષ અગાઉ સામૂહિક શૌચાલય (toilet scandal) બનાવવાની સરકારી યોજના અંતર્ગત ધનપુરા ગામમાં સરકારી નાણાંની હંગામી ઉચાપત કરવામાં આવી હતી. આ કેસમાં વિજાપુર તાલુકા પંચાયતની આઈઆઈડી શાખાના તત્કાલીન વિસ્તરણ અધિકારી એચ.એ.પટેલે ધર્મિષ્ઠા મણીભાઈ પટેલ, જગદીશ મંગળદાસ પટેલ અને મદનસિંહ અદેસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ વિજાપુરના એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ જે. જે. ભટ્ટની કોર્ટમાં ચાલી જતાં વકીલોની દલીલોને ધ્યાનમાં રાખી અદાલતે ધર્મિષ્ઠા પટેલ અને જગદીશ પટેલને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મૂક્યા હતા જ્યારે હાલમાં ભાજપ શાસિત વિજાપુર તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખના હોદ્દો ભોગવી રહેલા મદનસિંહ અદેસિંહ રાઠોડ (રહેવાસી ધનપુરા-ઘાંટુ)ને કસૂરવાર ઠેરવીને બે વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા 25 હજારના દંડનો હુકમ કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget