શોધખોળ કરો

Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાને શું કહ્યું કે પોલીસ કમિશ્નરે કર્યો સવાલ, તમને અંગ્રેજોના સમયની પોલીસ જોઈએ છે ?

Surat News: સમાજમાં વ્યાપેલા દૂષણો મુદ્દે કતારગમમાં સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે સલામત સુરત પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ, સુરત પોલીસ કમિશ્નર હાજર રહ્યા હતા

સુરતઃ ડાયંડ નગરી સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમાજમાં વ્યાપેલા વિવિધ દૂષણો મુદ્દે કતારગમમાં સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે સલામત સુરત પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ, સુરત પોલીસ કમિશ્નર હાજર રહ્યા હતા.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાએ એ કહ્યું કે,  ગ્રીષ્માના પરિવારને મળવા ગયા ત્યારે પરિવારના એક ભાઈએ બે હાથ જોડીને કહ્યું કે, ‘સમાજના આગેવાનોને એટલી જ વિનંતી છે કે, અમારી ગ્રીષ્મા સાથે તો આવી ઘટના બની પરંતુ સમાજની બીજી કોઈ દિકરી સાથે આવી ઘટના ન બને તે માટે સમાજના વડીલો તમે કંઈક કરજો થોડાં દિવસ પહેલા પોલિસ કમિશનરને મળવા ગયા ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘હની ટ્રેપમાં માત્ર બાળકો નથી ફસાતા પરંતુ અઠવાડિયે એક બે વખત તો ધોળા વાળવાળા પણ ફસાઈ છે.’ એક વાત તો સ્વિકારવી જ જોઈએ કે, ‘ગુન્હેગારોમાં પોલીસનો જે ખૌફ અને ભય હોવો જોઈએ તે ચોક્ક્સ ઓછો થયો છે. જ્યારે લોકોને કહીએ છીએ કે, એવી કોઈ જગ્યા હોય કે, જ્યાં અસામાજીક તત્વોનો અડ્ડો હોય તેની જાગૃત નાગરિક તરીકે જે પ્રયત્ન થઈ શકે તે કરવા પોલીસને જાણ કરવી જોઈએ. ઘણા લોકો એમ પણ કહે છે કે, ‘પોલીસને બધી જ ખબર છે, પોલીસ ક્યાં અજાણ છે.

જે બાદ પોલીસ કમિશ્નર અજય તોમરે તેમના સંબોધનમાં કહ્યું, મારા અધિકારીઓ, તમામ સ્ટાફ ચાંદ પરથી કે, મંગળ પરથી ઉતર્યા નથી. અમે લોકો આ સમાજના જ છીએ. સમાજમાં અમુક ઘટના બને છે ત્યારે લોકો કહે છે પોલીસનો ખૌફ ઓછો થઈ ગયો છે, એવી વાતથી ઘણા મોટા પ્રશ્નો ઉભા થાય છે. શું તમારે અંગ્રેજોના ટાઈમની પોલીસ જોઈએ?  દુનિયામાં કોઈ એવી લોકશાહી નથી કે, જ્યાં લોકો એમ ઈચ્છતા હોય કે પોલીસનો ખૌફ હોવો જોઈએ. પોલીસનો ખૌફ ન હોવો જોઈએ. પોલીસ પર તમને વિશ્વાસ હોવો જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Embed widget