શોધખોળ કરો

યુક્રેનથી આવેલા લોકોને આશરો આપો અને દર મહિને 35 હજાર મેળવો, જાણો કોણે આપી ઓફર

હાલ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે યુક્રેનના લાખો નાગરીકો બેઘર બન્યા છે. યુક્રેનના લોકોએ પોતાનો દેશ છોડીને પાડોશી દેશોમાં અને બીજા દેશોમાં ગયા છે.

Russia-Ukraine Crisis: હાલ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે યુક્રેનના લાખો નાગરીકો બેઘર બન્યા છે. યુક્રેનના લોકોએ પોતાનો દેશ છોડીને પાડોશી દેશોમાં અને બીજા દેશોમાં ગયા છે. યુદ્ધની આ પરિસ્થિતિ વચ્ચે યુક્રેનના નાગરિકોને મદદ કરવા માટે ઘણા દેશો આગળ આવી રહ્યા છે. 

UK આપશે 'થેંક યુ પેમેન્ટ':

યુક્રેનના નાગરિકોને મદદ કરવા માટે યુનાઈટેડ કિંગડમ (UK)ની સરકારે એક જાહેરાત કરી છે. આ જાહેરાતમાં યુકેની સરકારે કહ્યું છે કે, યુક્રેનથી આવેલા રેફ્યુજી (શરણાર્થીઓ)ને ઘર અને આશરો આપનાર લોકોને દર મહિને ખાસ 'થેંક યુ પેમેન્ટ' આપવામાં આવશે. આ પેમેન્ટમાં કુલ 350 પાઉન્ડની રોકડ આપવામાં આવશે. 350 પાઉન્ડ એટલે ભારતના 35000 રુપિયા. યુકેની સરકાર આ રકમ "માનવતાવાદી યોજના" હેઠળ આપવામાં આવશે. આ યોજના આ અઠવાડીયાથી લાગુ કરવામાં આવશે. એક અહેવાલ મુજબ આ યોજના મુજબ યુક્રેનથી આવેલા લોકોને રાખવા માટે યુકેના નાગરીકો, ચેરેટી સંસ્થાઓ, લોકસમુહો વ્યવસ્થા કરી શકે છે. 

શું છે નિયમઃ

યુક્રેનના નાગરિકો માટે રહેવાની વ્યવસ્થા કરવા માંગતા યુકેના લોકો કે સંસ્થાઓ નોંધણી કરાવીને પોતાનું ઘર કે પોતાની સાથે ઘરમાં યુક્રેનના નાગરિકોને રાખી શકે છે. જે લોકો આ વ્યવસ્થા કરવા ઈચ્છે છે અને આ માનવતાવાદી યોજનાનો લાભ લેવા માંગે છે તેમણે ઓછામાં ઓછા 6 મહિના (અને વધુમાં વધુ સંસ્થા કે વ્યક્તિની મરજી સુધી) યુક્રેનના નાગરિકોને રાખવા પડશે. આ રીતે યુક્રેનના નાગરિકો માટે રહેવાની વ્યવસ્થા કરનાર લોકો કે સંસ્થાને દર મહિને 350 પાઉન્ડ યુકેની સરકાર આપશે.

રશિયાનો મોટો હુમલોઃ

લવીવઃ નાટોના સભ્ય દેશ પોલેન્ડની બોર્ડર પાસે યુક્રેનના લવીવ શહેરના મીલીટ્રી બેઝ પર આજે રશિયાએ હુમલો કર્યો હતો. આ એક મિસાઈલ હુમલો હતો જેમાં 35 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 134 લોકો ઘાયલ થયા છે. રશિયાએ જે જગ્યાએ મિસાઈલ હુમલો કર્યો તે યુક્રેનનો મોટો મીલીટ્રી બેઝ છે અને ત્યાંથી યુક્રેનની સેનાને તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવે છે. 

સમાચાર એજન્સી રોઈટરના અહેવાલ પ્રમાણે યુક્રેનના સ્થાનિક ગવર્નર માક્સ્યમ કોઝતસ્કીએ જણાવ્યું હતું કે રશિયાના વિમાનોએ અંદાજે 30 રોકેટ ફાયર કર્યા હતા જે યોવોરીવ ઈન્ટરનેશનલ સેન્ટર પોર પીસકિપીંગ એન્ડ સિક્યુરીટી તરફ ફાયર કરવામાં આવ્યા હતા. ગવર્નરે વધુમાં જણાવ્યું કે, આ 30 રોકેટમાંથી કેટલાક રોકેટ જમીન પર પહોંચે તે પહેલાં જ તોડી વાડવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Jasprit Bumrah: ચોથી ટેસ્ટમાં નહીં રમે જસપ્રીત બુમરાહ? લૉર્ડ્સ ટેસ્ટ બાદ ગિલે આપ્યો આ જવાબ
Jasprit Bumrah: ચોથી ટેસ્ટમાં નહીં રમે જસપ્રીત બુમરાહ? લૉર્ડ્સ ટેસ્ટ બાદ ગિલે આપ્યો આ જવાબ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
ઓડિશામાં વિદ્યાર્થીની હારી જિંદગીનો જંગ, પ્રોફેસરની જાતીય સતામણીથી કંટાળીને કરી હતી આત્મહત્યા
ઓડિશામાં વિદ્યાર્થીની હારી જિંદગીનો જંગ, પ્રોફેસરની જાતીય સતામણીથી કંટાળીને કરી હતી આત્મહત્યા
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?
Advertisement

વિડિઓઝ

Gujarat Rains Forecast: રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : abp અસ્મિતા IMPACT
Hun To Bolish : હું તો બોલીશ : ડેરીમાં ડખ્ખા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : માયાજાળ મોરબીની જ નહીં રાજનીતિની
Sabar Dairy protest turns violent: સાબરડેરીનું 'દંગલ'
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jasprit Bumrah: ચોથી ટેસ્ટમાં નહીં રમે જસપ્રીત બુમરાહ? લૉર્ડ્સ ટેસ્ટ બાદ ગિલે આપ્યો આ જવાબ
Jasprit Bumrah: ચોથી ટેસ્ટમાં નહીં રમે જસપ્રીત બુમરાહ? લૉર્ડ્સ ટેસ્ટ બાદ ગિલે આપ્યો આ જવાબ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
ઓડિશામાં વિદ્યાર્થીની હારી જિંદગીનો જંગ, પ્રોફેસરની જાતીય સતામણીથી કંટાળીને કરી હતી આત્મહત્યા
ઓડિશામાં વિદ્યાર્થીની હારી જિંદગીનો જંગ, પ્રોફેસરની જાતીય સતામણીથી કંટાળીને કરી હતી આત્મહત્યા
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?
કેનેડામાં રથયાત્રા પર ફેંક્યા ઈંડા, ભારતે વ્યક્ત કરી નારાજગી, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યુ?
કેનેડામાં રથયાત્રા પર ફેંક્યા ઈંડા, ભારતે વ્યક્ત કરી નારાજગી, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યુ?
WI vs AUS: વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ ઈતિહાસના બીજા સૌથી નાના સ્કોર પર ઓલઆઉટ, ટીમ ઈન્ડિયાનું કલંક ધોવાયું
WI vs AUS: વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ ઈતિહાસના બીજા સૌથી નાના સ્કોર પર ઓલઆઉટ, ટીમ ઈન્ડિયાનું કલંક ધોવાયું
IND Vs ENG, 3rd Test Day 5 Highlights: લોર્ડ્સમાં એકલો લડ્યો જાડેજા છતાં ન જીતી શકી ટીમ ઈન્ડિયા, સીરિઝમાં ઈગ્લેન્ડ 2-1થી આગળ
IND Vs ENG, 3rd Test Day 5 Highlights: લોર્ડ્સમાં એકલો લડ્યો જાડેજા છતાં ન જીતી શકી ટીમ ઈન્ડિયા, સીરિઝમાં ઈગ્લેન્ડ 2-1થી આગળ
'હું ના રોકતો તો એક સપ્તાહમાં  પરમાણુ યુદ્ધ થયુ હોત...', ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય લીધો
'હું ના રોકતો તો એક સપ્તાહમાં પરમાણુ યુદ્ધ થયુ હોત...', ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય લીધો
Embed widget