![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Morocco Earthquake: મોરોક્કોમાં 6.8 તીવ્રતાના ભૂંકપે સર્જી તબાહી, 296 લોકોનાં મોત, Pm મોદીએ વ્યક્ત કરી સંવેદના
યુએસ જીઓલોજિકલ સર્વે દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે લગભગ 11:11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી 71 કિલોમીટર દૂર 18.5 કિલોમીટરની ઊંડાઈએ હતું.
![Morocco Earthquake: મોરોક્કોમાં 6.8 તીવ્રતાના ભૂંકપે સર્જી તબાહી, 296 લોકોનાં મોત, Pm મોદીએ વ્યક્ત કરી સંવેદના Morocco Marrakesh hit earthquake of 6-8 magnitude near southwest part 296 killed informed by us geological survey Morocco Earthquake: મોરોક્કોમાં 6.8 તીવ્રતાના ભૂંકપે સર્જી તબાહી, 296 લોકોનાં મોત, Pm મોદીએ વ્યક્ત કરી સંવેદના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/7a8d7bb8144732918979f162bbe2e1d1169423591714881_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Morocco Earthquake: મોરોક્કોના મરાકેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં શુક્રવારે (8 સપ્ટેમ્બર) મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેમાં લગભગ 132 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જો કે, હવે એપીના અહેવાલ મુજબ મૃત્યુઆંક 296 પર પહોંચી ગયો છે. આ વાતની પુષ્ટિ ખુદ મોરોક્કન ગૃહ મંત્રાલયે કરી છે. આ સિવાય યુએસ જીઓલોજિકલ સર્વે દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, લગભગ 11:11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી 71 કિલોમીટર દૂર 18.5 કિલોમીટરની ઊંડાઈએ હતું.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયો અનુસાર, ભૂકંપના કારણે મકાન ધરાશાયી થતાં લોકોની ઘરવખરી વિખરાયેલી જોવા મળી. ભૂકંપના કારણે જાનમાલને પારાવાર નુકસાન પહોંચ્યું હતું. યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા અંગે પ્રાથમિક માહિતી રજૂ કરી હતી, જેના સંદર્ભમાં તેમણે આર્થિક નુકસાનને દર્શાવવા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેમાં વધુ નુકસાન થવાની સંભાવના હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, મોરોક્કોનો ઉત્તરીય પ્રદેશ આફ્રિકન અને યુરેશિયન પ્લેટો વચ્ચે સ્થિત હોવાને કારણે અહીં ધરતીકંપની સંભાવના ધરાવે રહે છે.
મોરોક્કોમાં અગાઉ પણ આવી ચૂક્યો છે ભારે ભૂકંપ
યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપના કારણે થયેલા મૃત્યુ માટે યલો એલર્ટ આપ્યું છે. જે દર્શાવે છે કે જાનહાનિ વધી શકે છે,USGSએ જણાવ્યું હતું કે, "આ પ્રદેશની વસ્તી એવા વિસ્તારોમાં રહે છે જે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ હોય છે."
આફ્રિકન અને યુરેશિયન પ્લેટો વચ્ચે સ્થિત હોવાને કારણે, મોરોક્કોના ઉત્તરીય પ્રદેશમાં વારંવાર ભૂકંપ આવે છે. 2004 માં ઉત્તરપૂર્વ મોરોક્કોમાં અલ હોસીમામાં આવેલા મજબૂત ભૂકંપને કારણે ઓછામાં ઓછા 628 લોકો માર્યા ગયા હતા અને 926 ઘાયલ થયા હતા.
આ ઉપરાંત, 1980 દરમિયાન મોરોક્કોના પાડોશી દેશ અલ્જેરિયામાં આવેલા 7.3 તીવ્રતાના મજબૂત ભૂકંપને કારણે, 2,500 લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 3 લાખ લોકો બેઘર થયા હતા. જે તાજેતરના ઈતિહાસના સૌથી મોટા અને સૌથી વિનાશક ધરતીકંપોમાંથી એક માનવામાં આવે છે.
ભૂકંપ કેવી રીતે આવે છે?
પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટની ટક્કરથી ભૂકંપના આંચકા અનુભવાય છે. પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે હંમેશા ફરતી રહે છે. પરંતુ જ્યારે પણ આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે, ત્યારે ફોલ્ટ લાઇન ઝોન રચાય છે, જેના કારણે પ્લેટોની સપાટીના ખૂણાઓ વળે છે અને ત્યાં દબાણ વધે છે. જેના કારણે પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટો તૂટવાથી અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે પૃથ્વી ધ્રૂજી ઉઠે છે અને તેને આપણે ભૂકંપ કહીએ છીએ.
શનિવાર (9 સપ્ટેમ્બર 2023) એ ભારતમાં યોજાનારી G20 સમિટનો પ્રથમ દિવસ છે. આ સમિટનું ઉદ્ઘાટન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, હું મોરોક્કોમાં ભૂકંપને કારણે થયેલા જાનહાનિથી દુઃખી છું અને મારી સંવેદના ત્યાંના લોકો સાથે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)