શોધખોળ કરો
PM કિસાન યોજના: આ રાજ્યના ખેડૂતોને થશે ડબલ ફાયદો, હવે તેમના ખાતામાં આવશે ₹9000
PM Kisan Yojana: PM કિસાન યોજનાનાં લાભાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. રાજસ્થાન સરકારે રાજ્યના ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે, જેનાથી તેઓને હવે વાર્ષિક ₹9,000 ની સહાયતા પ્રાપ્ત થશે.
રાજ્ય સરકાર પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી ₹6,000ની સહાયમાં વધારાના ₹3,000 ઉમેરશે, જેના કારણે રાજસ્થાનના પાત્ર ખેડૂતોને કુલ વાર્ષિક ₹9,000 ની સહાયતા મળશે.
1/7

રાજસ્થાન સરકારના નાણામંત્રી દિયા કુમારીએ રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ભજનલાલ સરકારના બીજા બજેટને રજૂ કરતાં દિયા કુમારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતો વાર્ષિક હપ્તો ₹6,000 યથાવત રહેશે, પરંતુ રાજસ્થાન સરકાર પોતાની તરફથી વધારાના ₹3,000 ની સહાયતા ખેડૂતોને આપશે.
2/7

આ વધારાની સહાયતા રાજસ્થાનના ખેડૂતોને કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે વધુ વિકાસ સાધવામાં મદદરૂપ થશે. રાજસ્થાન સરકારના આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને મોટી રાહત મળશે અને તેમની આવકમાં વધારો થશે.
3/7

ઉલ્લેખનીય છે કે, હાલમાં પીએમ કિસાન યોજના (PM કિસાન યોજના 2025) હેઠળ દેશભરના પાત્ર ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ₹6,000 ની સહાયતા આપવામાં આવે છે. આ સહાયતા ₹2,000 ના ત્રણ સમાન હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
4/7

હવે રાજસ્થાન સરકારના આ નિર્ણય બાદ રાજસ્થાનના ખેડૂતોને કુલ ₹9,000 ની વાર્ષિક સહાયતા મળશે. રાજસ્થાન સરકારનું આ પગલું રાજ્યના કૃષિ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે અને ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મદદ કરશે.
5/7

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ટૂંક સમયમાં ફેબ્રુઆરી મહિનામાં બહાર પાડવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા 24 ફેબ્રુઆરી 2024 ના રોજ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માધ્યમથી પાત્ર ખેડૂતોના ખાતામાં ₹2,000 ની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાવશે.
6/7

નોંધનીય છે કે, પીએમ કિસાન યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2019 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરના નાના અને સીમાંત ખેડૂતોને આવક સહાય પૂરી પાડવાનો છે, જેથી તેઓ કૃષિ કાર્ય અને પોતાની આજીવિકાને વધુ સારી રીતે ચલાવી શકે.
7/7

જો કે, એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે eKYC અને જમીનની ચકાસણી ફરજિયાત છે. જે ખેડૂતોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તેઓ યોજનાના લાભથી વંચિત રહી શકે છે. વધુમાં, અમુક ચોક્કસ શ્રેણીના લાભાર્થીઓ, જેમ કે સંસ્થાકીય જમીન ધારકો, ઉચ્ચ આર્થિક સ્થિતિ ધરાવતા ખેડૂત પરિવારો અને આવકવેરો ભરતા વ્યવસાયિકો આ યોજના માટે પાત્ર નથી.
Published at : 22 Feb 2025 07:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દેશ
સુરત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
