શોધખોળ કરો

T20 WC 2022: પાક. અભિનેત્રીએ કહ્યુંઃ 'જો ઝિમ્બાબ્વે ભારતને હરાવશે તો ઝિમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરીશ'

ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડ કપ 2022માં તેની છેલ્લી મેચ 6 નવેમ્બર રવિવારના રોજ ઝિમ્બાબ્વે સામે રમવાની છે.

T20 World Cup 2022: ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડ કપ 2022માં તેની છેલ્લી મેચ 6 નવેમ્બર રવિવારના રોજ ઝિમ્બાબ્વે સામે રમવાની છે. જો ઝિમ્બાબ્વે આ મેચ જીતે છે તો પાકિસ્તાનને તેનો ફાયદો મળી શકે છે. પાકિસ્તાની ચાહકો વિવિધ પ્રકારે ઈચ્છી રહ્યા છે કે, ઝિમ્બાબ્વે આ મેચ જીતે. પાકિસ્તાની અભિનેત્રીએ હવે આ વિશે એક અનોખું ટ્વિટ કર્યું છે. સહર શિનવારી નામની અભિનેત્રીએ પોતાના ટ્વીટમાં ઝિમ્બાબ્વેના લોકો સમક્ષ એક ઓફર મૂકી છે.

"...તો હું ઝિમ્બાબ્વેના વ્યક્તિ સાથે લગ્ન કરીશ"

સહર શિનવારીએ તેના ટ્વીટમાં લખ્યું હતું કે, "હું ઝિમ્બાબ્વેના કોઈ વ્યક્તિની સાથે લગ્ન કરીશ જો તેમની ટીમ કોઈ ચમત્કાર કરે અને છેલ્લી મેચમાં ભારતને હરાવી દે." સહર શિનવારી ઈચ્છે છે કે, કોઈ પણ રીતે પાકિસ્તાનની ટીમ સેમિ ફાઈનલમાં પહોંચે જેથી તેણીએ ઝિમ્બાબ્વેના યુવકો સાથે લગ્ન કરવાની આ ખુલ્લી ઓફર આપી છે. સહર શિનવારીનું આ ટ્વીટ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યું છે અને આ વિચિત્ર ઓફરની ચર્ચા થઈ રહી છે.

ભારતે પોતાની ત્રણ મેચ જીતી લીધી છે અને સેમિફાઇનલમાં જવાનો તેનો રસ્તો એકદમ સરળ છે. પાકિસ્તાન માટે મામલો ઊંધો છે અને તેણે સેમિફાઇનલમાં પહોંચવા માટે ઘણા દાવ લગાવવા પડશે. સૌથી પહેલાં પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી મેચ જીતવી પડશે અને ત્યાર બાદ તેણે પોતાની છેલ્લી મેચ પણ જીતવી પડશે. આ સિવાય તેમને ભારતની હાર અથવા તો દક્ષિણ આફ્રિકાની છેલ્લી મેચમાં હારની અપેક્ષા રાખવી પડશે.

પાકિસ્તાન પોતે ઝિમ્બાબ્વે સામે હારી ગયું હતું

ભલે પાકિસ્તાનના લોકો ઈચ્છતા હોય કે ઝિમ્બાબ્વે ચમત્કારથી ભારતને હરાવી શકે, પરંતુ પાકિસ્તાની ટીમ જ ઝિમ્બાબ્વેનો શિકાર બની હતી. ઝિમ્બાબ્વેએ માત્ર 130 રન બનાવ્યા હોવા છતાં પાકિસ્તાનને હરાવ્યું હતું અને સેમિફાઇનલમાં જવાની તેમની આશાને ઝટકો આપ્યો હતો. ત્યારે હવે રવિવારે જોવું રહ્યું કે, ઝિમ્બાબ્વે ભારતને હરાવી શકે છે કે નહી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Embed widget