શોધખોળ કરો

Akshaya Tritiya: માં ગંગાના અવતરણથી લઇ મહાભારતની લડાઇ સુધી.... અખાત્રીજના દિવસે બની છે આ 7 મોટી ઘટનાઓ

અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા અને ગંગાના અવતાર દ્વારા રાજા સાગરના 60 હજાર પુત્રો મુક્ત થયા હતા

Akshaya Tritiya 2024: હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાનો અનોખો અને આગવો મહિમામાં છે, આ વખતે વૈશાખ મહિનો આગામી મહિનાથી એટલે કે 9 મેથી 6 જૂન 2024 સુધી ચાલશે. આ એક મહિનો શુભ મનોકામનાઓની પૂર્તિ માટે ખૂબ જ વિશેષ છે. આ વખતે અખાત્રીજનો તહેવાર 10મી મે, શુક્રવારે છે. અખાત્રીજ - અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મની પવિત્ર તિથિઓમાંની એક માનવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયા - અખાત્રીજ તરીકે ઓળખવામાં આવે છે, આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે શુભ સમયનું પાલન કરવાની જરૂર નથી. આ તારીખે ઇતિહાસમાં ઘણી મોટી ઘટનાઓ બની છે, અહીં અમે તમને આ ઘટનાઓ વિશે માહિતી આપી રહ્યાં છીએ... 

આ મોટી ઘટનાઓ અખાત્રીજ- અક્ષય તૃતીયાના દિવસે બની છે.... 
અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા અને ગંગાના અવતાર દ્વારા રાજા સાગરના 60 હજાર પુત્રો મુક્ત થયા હતા.
એવું માનવામાં આવે છે કે આ દિવસે મહાભારતનું યુદ્ધ પણ સમાપ્ત થયું હતું. મહાભારતનું ભીષણ યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું જેમાં લાખો યોદ્ધાઓએ જીવ ગુમાવ્યા.
અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામ, હયગ્રીવ અને નર-નારાયણ પૃથ્વી પર અવતર્યા હતા. આ ત્રણેય ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે.
સત્યયુગ અને ત્રેતાયુગનો પણ આ દિવસથી પ્રારંભ થયો હતો. માન્યતાઓ અનુસાર દ્વાપર યુગનો પણ આ દિવસે અંત આવ્યો હતો.
મહાભારત ગ્રંથની રચના પણ અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસથી શરૂ થઈ હતી. ઋષિ વેદ વ્યાસ અને ભગવાન ગણેશએ મળીને આ પુસ્તકની રચના કરી હતી.
ધન પ્રાપ્તિ માટે કનકધારા સ્તોત્રનું પઠન પણ આ દિવસે આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુઓના પવિત્ર તીર્થસ્થળ બદ્રીનાથ ધામના દરવાજા પણ અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસથી ખુલે છે.
આ તમામ કાર્યક્રમો ઉપરાંત અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસથી જ ભગવાન જગન્નાથના રથ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ દિવસે સુદામા ભગવાન શ્રીકૃષ્ણને મળવા આવ્યા હતા.

અક્ષય તૃતીયા (અખાત્રીજ) નું મહત્વ
જ્યારે યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને અક્ષય તૃતીયા - અખાત્રીજ વિશે પૂછ્યું તો ભગવાન કૃષ્ણએ તેમને તેનું મહત્વ જણાવ્યું. શ્રી કૃષ્ણજીએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસે જે પણ સર્જનાત્મક અને સાંસારિક કાર્ય કરવામાં આવે છે, તે વ્યક્તિને શુભ ફળ મળે છે. આ દિવસે હિન્દુ ધર્મમાં માનનારા લોકો શુભ કાર્યની શરૂઆત કરે છે, તેની સાથે જ નવી વસ્તુઓની ખરીદીનું પણ આ તિથિનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખાસ કરીને સોનાની ખરીદી કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી. આ દિવસ તમારા આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જો તમે આ દિવસે ભગવાનનું ધ્યાન કરો છો તો તમને તેમના આશીર્વાદ મળે છે. આ દિવસે દાન કરવાથી તમે જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ મેળવી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. એબીપી અસ્મિતા ન્યૂઝ આમાંથી કોઇપણ વસ્તુની સત્યતાનો પુરાવો આપતું નથી.)

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યમાં  આગામી 3 કલાકમાં ભારે અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Weather: રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Rajkot Rain: સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલી પોલ, રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ
Rajkot Rain: સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલી પોલ, રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ
Rajkot News: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ, પેસેન્જર પીકએપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી
Rajkot News: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ, પેસેન્જર પીકએપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી
Gujarat Rain: રાજ્યમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ
Gujarat Rain: રાજ્યમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરત માં ફરી એકવાર એબીપી અસ્મિતા ના અહેવાલ ની જોવા મળી ધારદાર અસરRajkot News । ધોધમાર વરસાદે ખોલી રાજકોટ મનપાની પોલGujarat Rains: રાજ્યમાં આગામી 3 કલાક 'ભારે', અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ?Gujarat Rain Update | રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં  આગામી 3 કલાકમાં ભારે અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Weather: રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Rajkot Rain: સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલી પોલ, રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ
Rajkot Rain: સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલી પોલ, રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ
Rajkot News: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ, પેસેન્જર પીકએપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી
Rajkot News: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ, પેસેન્જર પીકએપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી
Gujarat Rain: રાજ્યમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ
Gujarat Rain: રાજ્યમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ
રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે આ જિલ્લા માટે આપ્યું એલર્ટ
રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે આ જિલ્લા માટે આપ્યું એલર્ટ
IND vs SA Final: ફાઇનલમાં આ 5 ખેલાડીઓ પર રહેશે આખી દુનિયાની નજર, જે એકલાજ બદલી શકે છે મેચ
IND vs SA Final: ફાઇનલમાં આ 5 ખેલાડીઓ પર રહેશે આખી દુનિયાની નજર, જે એકલાજ બદલી શકે છે મેચ
Utility: ચોમાસામાં AC ચલાવતી વખતે ન કરો આ ભૂલ, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન
Utility: ચોમાસામાં AC ચલાવતી વખતે ન કરો આ ભૂલ, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન
બેવફા પત્નીઃ પતિની છાતી પર બેસીને પક્ડયા હાથ, પ્રેમીએ કુહાડીથી કાપી ગરદન, મધરાતે ખેલાયો ખૂની ખેલ
બેવફા પત્નીઃ પતિની છાતી પર બેસીને પક્ડયા હાથ, પ્રેમીએ કુહાડીથી કાપી ગરદન, મધરાતે ખેલાયો ખૂની ખેલ
Embed widget