Akshaya Tritiya: માં ગંગાના અવતરણથી લઇ મહાભારતની લડાઇ સુધી.... અખાત્રીજના દિવસે બની છે આ 7 મોટી ઘટનાઓ
અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા અને ગંગાના અવતાર દ્વારા રાજા સાગરના 60 હજાર પુત્રો મુક્ત થયા હતા

Akshaya Tritiya 2024: હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાનો અનોખો અને આગવો મહિમામાં છે, આ વખતે વૈશાખ મહિનો આગામી મહિનાથી એટલે કે 9 મેથી 6 જૂન 2024 સુધી ચાલશે. આ એક મહિનો શુભ મનોકામનાઓની પૂર્તિ માટે ખૂબ જ વિશેષ છે. આ વખતે અખાત્રીજનો તહેવાર 10મી મે, શુક્રવારે છે. અખાત્રીજ - અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મની પવિત્ર તિથિઓમાંની એક માનવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયા - અખાત્રીજ તરીકે ઓળખવામાં આવે છે, આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે શુભ સમયનું પાલન કરવાની જરૂર નથી. આ તારીખે ઇતિહાસમાં ઘણી મોટી ઘટનાઓ બની છે, અહીં અમે તમને આ ઘટનાઓ વિશે માહિતી આપી રહ્યાં છીએ...
આ મોટી ઘટનાઓ અખાત્રીજ- અક્ષય તૃતીયાના દિવસે બની છે....
અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા અને ગંગાના અવતાર દ્વારા રાજા સાગરના 60 હજાર પુત્રો મુક્ત થયા હતા.
એવું માનવામાં આવે છે કે આ દિવસે મહાભારતનું યુદ્ધ પણ સમાપ્ત થયું હતું. મહાભારતનું ભીષણ યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું જેમાં લાખો યોદ્ધાઓએ જીવ ગુમાવ્યા.
અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામ, હયગ્રીવ અને નર-નારાયણ પૃથ્વી પર અવતર્યા હતા. આ ત્રણેય ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે.
સત્યયુગ અને ત્રેતાયુગનો પણ આ દિવસથી પ્રારંભ થયો હતો. માન્યતાઓ અનુસાર દ્વાપર યુગનો પણ આ દિવસે અંત આવ્યો હતો.
મહાભારત ગ્રંથની રચના પણ અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસથી શરૂ થઈ હતી. ઋષિ વેદ વ્યાસ અને ભગવાન ગણેશએ મળીને આ પુસ્તકની રચના કરી હતી.
ધન પ્રાપ્તિ માટે કનકધારા સ્તોત્રનું પઠન પણ આ દિવસે આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુઓના પવિત્ર તીર્થસ્થળ બદ્રીનાથ ધામના દરવાજા પણ અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસથી ખુલે છે.
આ તમામ કાર્યક્રમો ઉપરાંત અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસથી જ ભગવાન જગન્નાથના રથ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ દિવસે સુદામા ભગવાન શ્રીકૃષ્ણને મળવા આવ્યા હતા.
અક્ષય તૃતીયા (અખાત્રીજ) નું મહત્વ
જ્યારે યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને અક્ષય તૃતીયા - અખાત્રીજ વિશે પૂછ્યું તો ભગવાન કૃષ્ણએ તેમને તેનું મહત્વ જણાવ્યું. શ્રી કૃષ્ણજીએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસે જે પણ સર્જનાત્મક અને સાંસારિક કાર્ય કરવામાં આવે છે, તે વ્યક્તિને શુભ ફળ મળે છે. આ દિવસે હિન્દુ ધર્મમાં માનનારા લોકો શુભ કાર્યની શરૂઆત કરે છે, તેની સાથે જ નવી વસ્તુઓની ખરીદીનું પણ આ તિથિનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખાસ કરીને સોનાની ખરીદી કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી. આ દિવસ તમારા આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જો તમે આ દિવસે ભગવાનનું ધ્યાન કરો છો તો તમને તેમના આશીર્વાદ મળે છે. આ દિવસે દાન કરવાથી તમે જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ મેળવી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. એબીપી અસ્મિતા ન્યૂઝ આમાંથી કોઇપણ વસ્તુની સત્યતાનો પુરાવો આપતું નથી.)
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
