શોધખોળ કરો

Akshaya Tritiya: માં ગંગાના અવતરણથી લઇ મહાભારતની લડાઇ સુધી.... અખાત્રીજના દિવસે બની છે આ 7 મોટી ઘટનાઓ

અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા અને ગંગાના અવતાર દ્વારા રાજા સાગરના 60 હજાર પુત્રો મુક્ત થયા હતા

Akshaya Tritiya 2024: હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાનો અનોખો અને આગવો મહિમામાં છે, આ વખતે વૈશાખ મહિનો આગામી મહિનાથી એટલે કે 9 મેથી 6 જૂન 2024 સુધી ચાલશે. આ એક મહિનો શુભ મનોકામનાઓની પૂર્તિ માટે ખૂબ જ વિશેષ છે. આ વખતે અખાત્રીજનો તહેવાર 10મી મે, શુક્રવારે છે. અખાત્રીજ - અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મની પવિત્ર તિથિઓમાંની એક માનવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયા - અખાત્રીજ તરીકે ઓળખવામાં આવે છે, આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે શુભ સમયનું પાલન કરવાની જરૂર નથી. આ તારીખે ઇતિહાસમાં ઘણી મોટી ઘટનાઓ બની છે, અહીં અમે તમને આ ઘટનાઓ વિશે માહિતી આપી રહ્યાં છીએ... 

આ મોટી ઘટનાઓ અખાત્રીજ- અક્ષય તૃતીયાના દિવસે બની છે.... 
અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા અને ગંગાના અવતાર દ્વારા રાજા સાગરના 60 હજાર પુત્રો મુક્ત થયા હતા.
એવું માનવામાં આવે છે કે આ દિવસે મહાભારતનું યુદ્ધ પણ સમાપ્ત થયું હતું. મહાભારતનું ભીષણ યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું જેમાં લાખો યોદ્ધાઓએ જીવ ગુમાવ્યા.
અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામ, હયગ્રીવ અને નર-નારાયણ પૃથ્વી પર અવતર્યા હતા. આ ત્રણેય ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે.
સત્યયુગ અને ત્રેતાયુગનો પણ આ દિવસથી પ્રારંભ થયો હતો. માન્યતાઓ અનુસાર દ્વાપર યુગનો પણ આ દિવસે અંત આવ્યો હતો.
મહાભારત ગ્રંથની રચના પણ અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસથી શરૂ થઈ હતી. ઋષિ વેદ વ્યાસ અને ભગવાન ગણેશએ મળીને આ પુસ્તકની રચના કરી હતી.
ધન પ્રાપ્તિ માટે કનકધારા સ્તોત્રનું પઠન પણ આ દિવસે આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુઓના પવિત્ર તીર્થસ્થળ બદ્રીનાથ ધામના દરવાજા પણ અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસથી ખુલે છે.
આ તમામ કાર્યક્રમો ઉપરાંત અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસથી જ ભગવાન જગન્નાથના રથ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ દિવસે સુદામા ભગવાન શ્રીકૃષ્ણને મળવા આવ્યા હતા.

અક્ષય તૃતીયા (અખાત્રીજ) નું મહત્વ
જ્યારે યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને અક્ષય તૃતીયા - અખાત્રીજ વિશે પૂછ્યું તો ભગવાન કૃષ્ણએ તેમને તેનું મહત્વ જણાવ્યું. શ્રી કૃષ્ણજીએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસે જે પણ સર્જનાત્મક અને સાંસારિક કાર્ય કરવામાં આવે છે, તે વ્યક્તિને શુભ ફળ મળે છે. આ દિવસે હિન્દુ ધર્મમાં માનનારા લોકો શુભ કાર્યની શરૂઆત કરે છે, તેની સાથે જ નવી વસ્તુઓની ખરીદીનું પણ આ તિથિનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખાસ કરીને સોનાની ખરીદી કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી. આ દિવસ તમારા આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જો તમે આ દિવસે ભગવાનનું ધ્યાન કરો છો તો તમને તેમના આશીર્વાદ મળે છે. આ દિવસે દાન કરવાથી તમે જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ મેળવી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. એબીપી અસ્મિતા ન્યૂઝ આમાંથી કોઇપણ વસ્તુની સત્યતાનો પુરાવો આપતું નથી.)

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
રાજ્યમાં ફરી માવઠાની આગાહી: ઉનાળો શરૂ થાય એ પહેલા જ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યમાં ફરી માવઠાની આગાહી: ઉનાળો શરૂ થાય એ પહેલા જ અંબાલાલ પટેલની મોટી આગાહી
ચીને શોધી કાઢ્યો નવો કોરોનાવાયરસ: કોવિડ-૧૯ ની જેમ મનુષ્યને ચેપ લગાવી શકે છે
ચીને શોધી કાઢ્યો નવો કોરોનાવાયરસ: કોવિડ-૧૯ ની જેમ મનુષ્યને ચેપ લગાવી શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાષા જાય તો સંસ્કૃતિ જાયHun To Bolish : હું તો બોલીશ : દાનવRajkot Hospital Viral CCTV Video: મહિલાઓની તપાસના સીસીટીવી વાયરલ કરનાર 3 આરોપી 7 દિવસના રિમાન્ડ પરGujarat CM Announcement : મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં શું કરી મોટી જાહેરાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
રાજ્યમાં ફરી માવઠાની આગાહી: ઉનાળો શરૂ થાય એ પહેલા જ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યમાં ફરી માવઠાની આગાહી: ઉનાળો શરૂ થાય એ પહેલા જ અંબાલાલ પટેલની મોટી આગાહી
ચીને શોધી કાઢ્યો નવો કોરોનાવાયરસ: કોવિડ-૧૯ ની જેમ મનુષ્યને ચેપ લગાવી શકે છે
ચીને શોધી કાઢ્યો નવો કોરોનાવાયરસ: કોવિડ-૧૯ ની જેમ મનુષ્યને ચેપ લગાવી શકે છે
બાપ જાનવર બની ગયો! સગીર પુત્રીને ઊંઘની ગોળીઓ આપીને 3 વર્ષથી બળાત્કાર ગુજારતો હતો, ધરપકડ
બાપ જાનવર બની ગયો! સગીર પુત્રીને ઊંઘની ગોળીઓ આપીને 3 વર્ષથી બળાત્કાર ગુજારતો હતો, ધરપકડ
Ideas of India Summit 2025:  દિલ્હીના રાજકારણમાં થશે પ્રમોદ સાવંતની એન્ટ્રી? જાણો શું બોલ્યા ગોવાના CM  
Ideas of India Summit 2025:  દિલ્હીના રાજકારણમાં થશે પ્રમોદ સાવંતની એન્ટ્રી? જાણો શું બોલ્યા ગોવાના CM  
Ideas of India Summit 2025: ભારતીય ગ્રાહકથી લઈને વર્ક લાઈફ બેલેન્સ સુધી... શાશ્વત ગોયનકાએ દરેક સવાલના આપ્યા જવાબ 
Ideas of India Summit 2025: ભારતીય ગ્રાહકથી લઈને વર્ક લાઈફ બેલેન્સ સુધી... શાશ્વત ગોયનકાએ દરેક સવાલના આપ્યા જવાબ 
Ideas Of India Summit 2025: 9 વર્ષની ઉંમરે બિક્રમ ઘોષે કર્યો હતો પ્રથમ કોન્સર્ટ, ઉસ્તાદ તૌફીક કુરેશીએ સંભળાવ્યો બાળપણનો કિસ્સો  
Ideas Of India Summit 2025: 9 વર્ષની ઉંમરે બિક્રમ ઘોષે કર્યો હતો પ્રથમ કોન્સર્ટ, ઉસ્તાદ તૌફીક કુરેશીએ સંભળાવ્યો બાળપણનો કિસ્સો  
Embed widget