શોધખોળ કરો

Randhan chhath 2022: રાંધણ છઠ કેમ મનાવવામાં આવે છે ? જાણો કયા નિયમોનું કરવું પડે છે પાલન

Randhan chhath: રાંધણ છઠ એ ગુજરાતી કેલેન્ડરમાં મહત્વનો દિવસ છે. તે કેલેન્ડરમાં શીતળા સાતમના એક દિવસ પહેલા આવે છે.

Randhan chhath 2022: શ્રાવણ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી સિવાય પણ અનેક તહેવારો આવે છે. રાંધણ છઠ એ ગુજરાતી કેલેન્ડરમાં મહત્વનો દિવસ છે. તે કેલેન્ડરમાં શીતળા સાતમના એક દિવસ પહેલા આવે છે. શ્રાવણ માસમાં વદ સપ્તમીના દિવસે શીતળા સાતમ ઉજવવામાં આવે છે. રાંધણ છઠ તેના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. 17 ઓગસ્ટ, 2022ના રોજ રાંધણ છઠ છે.

રાંધણ છઠ એક સ્વતંત્ર તહેવાર નથી પરંતુ શીતળા સાતમનો એક ભાગ છે, જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે. શીતળા સાતમના દિવસે તમામ પ્રકારની રસોઈ પર પ્રતિબંધ હોવાથી મોટાભાગના ગુજરાતી પરિવારો રાંધણ છઠના દિવસે ભોજનની વ્યવસ્થા કરે છે. રસોઈ માટે મહત્વનો દિવસ હોવાથી તેને 'રાંધણ' (રસોઈનો દિવસ) છઠ નામ આપવામાં આવ્યું હતું.

શું છે ધાર્મિક માન્યતા

ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણના જન્મના બે દિવસ પહેલા તેમના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો. આ દિવસ, જે  શ્રાવણ મહિનાના વદ પક્ષમાં આવે છે, તેને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે. તેથી, આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાનો પણ નિયમ છે. વ્રતની વિધિ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.

રાંધણ છઠ કેવી રીતે ઉજવવામાં આવે છે?

આ વ્રત રાખનારી મહિલાઓ બપોર સુધી કંઈ ખાતી નથી અને પછી પોતાના ઘરમાં પવિત્ર સ્થાન પર દેવીની પૂજા કરે છે અને છઠ્ઠી માતાની આકૃતિ યોગ્ય દિશામાં બનાવે છે. પૂજામાં દહીં, ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. આ વ્રતનું પાલન કરવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ વ્રતમાં હળની પૂજા કરવામાં આવે છે, તેથી હળમાંથી ખેડેલા અનાજ અને ફળ ખાવામાં આવતા નથી.  


Randhan chhath 2022: રાંધણ છઠ કેમ મનાવવામાં આવે છે ? જાણો કયા નિયમોનું કરવું પડે છે પાલન

રાંધણ છઠમાં આ નિયમોનું કરવું પડે છે પાલન

  • આ વ્રતમાં ગાયનું દૂધ કે દહીં  ઉપયોગમાં લઈ શકાતું નથી.
  • આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે.
  • કોઈ ખેડેલું અનાજ કે ફળ ખાઈ શકાતું નથી.

ઉત્તર ભારતમાં ઓળખાય છે હળ છઠ તરીકે

ઉત્તર ભારતમાં, જન્માષ્ટમી પહેલા આવતી આ છઠને હલ ષષ્ઠી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ તેમના બાળકોના સારા સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે વ્રત રાખે છે. આ દિવસે વ્રત રાખનાર મહિલાઓ હળ વડે ખેડેલી વસ્તુનું સેવન કરતી નથી. હળ છઠનો દિવસ બલરામજીને સમર્પિત છે અને તેમનું મુખ્ય શસ્ત્ર હળ હતું, જેના કારણે હળ દ્વારા ખેડાણ કરીને ઉગાડવામાં આવતી વસ્તુઓનું સેવન થતું નથી. ભગવાન બલરામને શેષનાગના અવતાર તરીકે પૂજવામાં આવે છે.

હળ છઠ સિવાય આ નામે પણ ઓળખાય છે

આ શુભ તહેવારને હલષ્ટી, હળ છઠ, હરચ્છથ વ્રત, ચંદન છઠ, તિંછી, તીન્ની છઠ, લાલી છઠ, કમર છઠ અથવા ખમર છઠ જેવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે. તેમજ આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે.

રાંધણ છઠ નિમિત્તે ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે

  • રાંધણ છઠના દિવસે બનાવવામાં આવતી રસોઈ, ખોરાકનો બીજા દિવસે  જમવામાં ઉપયોગ કરવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ચૂલાને ઠારવામાં આવતા હોવાથી છઠના દિવસે બનાવેલી રસોઈ ખાવાનો મહિમા છે.
  • પરિવારની તમામ મહિલાઓ રસોઈમાં ભાગ લે છે.  આ દિવસે તૈયાર કરવામાં આવતો ખોરાક રોજીંદા કરતા અલગ હોય છે. આજે પ્રાદેશિક વાનગીઓ ઉપરાંત લોકો થોડા દિવસો માટે સ્ટોર કરી શકાય તેવી વાનગીઓ બનાવે છે.
  • આ દિવસે બનતી ખાસ વાનગીઓમાં મીઠાઈ,  ગુલાબ જાંબુ, શક્કરપારા, મોહનથાળ, શાક, બાજરીના રોટલા, વિવિધ પુરીઓ, થેપલા, મીઠા ઢેબરા, પરોઠા, સાબુદાણાની ખીચડી, મમરા,ચેવડોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકો પાણીપુરી, ભેલપુરી જેવી બીજા દિવસે જમવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી વાનગીઓ બનાવે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
Nirjala Ekadashi Puja Vidhi: 25 જૂને નિર્જળા એકદાશીનું વ્રત, જાણી લો પૂજા વિધિ 
Nirjala Ekadashi Puja Vidhi: 25 જૂને નિર્જળા એકદાશીનું વ્રત, જાણી લો પૂજા વિધિ 
Budhwar Upay: બુધવારના દિવસે ગણેશ જીની આ રીતે કરો પૂજા, કરિયરમાં મળશે સફળતા 
Budhwar Upay: બુધવારના દિવસે ગણેશ જીની આ રીતે કરો પૂજા, કરિયરમાં મળશે સફળતા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : RMCનો 22 લાખનો વીડિયો, નાસ્તાનો ફોટો
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કથળશે કોંગ્રેસ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીવનું જોખમ ?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
Embed widget