શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરનો દીકરો લેશે સંન્યાસ, પૂનમ પાંડે સાથે લવ-અફેરથી ચર્ચામાં આવ્યો હતો!
વિનોદ ખન્ના ઓશો (આચાર્ય રજનીશ)થી પ્રભાવિત થવા લાગ્યા હતા. તેઓ રજનીશ આશ્રમમાં સન્યાસી બની ગયા હતા.
મુંબઈઃ બૉલિવુડ એક્ટર વિનોદ ખન્ના એક દશકમાં બૉલિવૂડ ઉપર રાજ કરતા હતા. તેમણે અનેક હીટ ફિલ્મો આપી છે. તમને યાદ હશે કે જ્યારે વિનોદ ખન્નાની કારકિર્દી સાતમા આસમાને હતી ત્યારે તેમણે એક્ટિંગમાંથી અચાનક જ સન્યાસ લીધો હતો અને તેઓ આધ્યાત્મનો માર્ગ અપનાવ્યો હતો.
વિનોદ ખન્ના ઓશો (આચાર્ય રજનીશ)થી પ્રભાવિત થવા લાગ્યા હતા. તેઓ રજનીશ આશ્રમમાં સન્યાસી બની ગયા હતા. હવે સમાચાર મળી રહ્યા છે કે તેમનો 28 વર્ષીય પુત્ર સાક્ષી ખન્ના (Sakshi Khanna) પણ તેમના રસ્તે નીકળી પડ્યો છે. સાક્ષી ખન્નાનો જન્મ 12મે, 1991ના રોજ થયો હતો. તે વિનોદ ખન્નાની બીજી પત્ની કવિતા ખન્નાનો પુત્ર છે.
સાક્ષી ખન્નાએ પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું હતું. સાક્ષી અંગે કે થોડા સમય પહેલા એવા સમાચાર પણ આવ્યા હતા કે સંજય લીલા ભંસાલી તેમને લોન્ચ કરવાના હતા.
સાક્ષી ખન્ના ફિલ્મ તીન ઓર આધાનો ભાગ રહી ચૂક્યો છે. આ ફિલ્મમાં ઝોયા હુસેન અને જીમ સરબ મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય બાજીરાવ મસ્તાની ફિલ્મમાં સાક્ષી ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીનો સહાયક દિગ્દર્શક હતો.
વચ્ચેના સમયગાળા દરમિયાન પૂનમ પાંડે સાથે સાક્ષી ખન્નાના અફેરની પણ અફવાઓ સામે આવી હતી. તે બંને એક સાથે જોવા મળ્યા હતા અને સાથે સમય વિતાવવાનું પસંદ કરતા હતા. જોકે, પૂનમ અને સાક્ષીએ બંનેએ ક્યારેય તેમના સંબંધો પર ટિપ્પણી કરી નથી.
સાક્ષી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણા ફોટા શેર કરતો રહે છે. પરંતુ તે હંમેશા લાઈમલાઇટથી દૂર રહેનાવું પસંદ કરે છે. હવે સૂત્રો દ્વારા સાક્ષી વિશે કહેવામાં આવી રહ્યું છે કે, સાક્ષીએ ઓશો ઇન્ટરનેશનલમાં પ્રવેશ મેળવ્યો છે. જો કે આ અંગે ખન્ના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મહેસાણા
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion