શોધખોળ કરો

Celebrity Taxpayers: સૌથી વધુ ટેક્સ ભરનારા સેલિબ્રિટી ટેક્સપેયર્સમાં શાહરૂખ ખાન ટોપ પર, જાણો કોહલીએ કેટલો ઈન્કમ ટેક્સ ચૂકવ્યો

Celebrity Taxpayers Update: બોલિવૂડમાંથી શાહરૂખ ખાન અને સ્પોર્ટ્સ જગતના ક્રિકેટર વિરાટ કોહલી ઇન્કમ ટેક્સ ભરવાના મામલે પ્રથમ સ્થાને છે

Celebrity Taxpayers In 2024:  બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન બોલિવૂડ અને સ્પોર્ટ્સ ફિલ્ડમાંથી આવતા સેલિબ્રિટી ટેક્સપેયર્સમાં પ્રથમ સ્થાને છે. શાહરૂખ ખાને નાણાકીય વર્ષ 2023-24માં 92 કરોડ રૂપિયાનો આવકવેરો ચૂકવ્યો છે. બીજા સ્થાને તમિલ ફિલ્મ અભિનેતા વિજય છે, જેમણે ગયા નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 80 કરોડનો આવકવેરો ચૂકવ્યો છે. ખેલાડીઓમાં ઈન્કમ ટેક્સ ભરવાના મામલે ક્રિકેટર વિરાટ કોહલી 66 કરોડ રૂપિયાની આવક સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 38 કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે છે.

બોલિવૂડ સેલિબ્રિટી કરદાતાઓ
ફોર્ચ્યુન ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2023-24 માટે સેલિબ્રિટી કરદાતાઓની યાદી બહાર પાડી છે. આ યાદી અનુસાર શાહરૂખ ખાને રૂ. 92 કરોડનો આવકવેરો ભર્યો છે. અભિનેતા વિજય રૂ. 80 કરોડની ટેક્સ ચૂકવણી સાથે બીજા ક્રમે અને સલમાન ખાન રૂ. 75 કરોડની આવકવેરા ચૂકવણી સાથે ત્રીજા સ્થાને છે. બિગ બી એટલે કે અમિતાભ બચ્ચને 2023-24માં આવકવેરા પેટે રૂ. 71 કરોડ ચૂકવ્યા છે. અજય દેવગણે રૂ. 42 કરોડ અને રણબીર કપૂરે રૂ. 36 કરોડનો આવકવેરો ભર્યો છે.

કપિલ શર્માએ રૂ. 26 કરોડ રુપિયા ટેક્સ ભર્યો

રિતિક રોશને રૂ. 28 કરોડ, કપિલ શર્માએ રૂ. 26 કરોડ, કરીના કપૂરે રૂ. 20 કરોડ, શાહિદ કપૂરે રૂ. 14 કરોડ, કિયારા અડવાણીએ રૂ. 12 કરોડ અને કેટરીના કૈફે રૂ. 11 કરોડ ચૂકવ્યા છે. આ યાદીમાં પંકજ ત્રિપાઠી પણ સામેલ છે. તેણે રૂ. 11 કરોડનો આવકવેરો ભર્યો છે. આમિર ખાને રૂ. 11 કરોડ, મલયાલમ ફિલ્મ અભિનેતા મોહન લાલે રૂ. 14 કરોડ, અલ્લુ અર્જુને રૂ. 14 કરોડનો આવકવેરો ચૂકવ્યો છે.

સેલિબ્રિટી કરદાતાઓમાં ક્રિકેટરો પણ
ક્રિકેટરો પણ મોટી સંખ્યામાં સેલિબ્રિટી કરદાતાઓનો સમાવેશ કરે છે. વિરાટ કોહલી 66 કરોડની ટેક્સ ચૂકવણી સાથે પ્રથમ સ્થાને છે. માહી એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીએ 38 કરોડ રૂપિયાનો ઈન્કમ ટેક્સ ભર્યો છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે નાણાકીય વર્ષ 2023-24માં 28 કરોડ રૂપિયાનો આવકવેરો ચૂકવ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 13 કરોડ રૂપિયા અને ઋષભ પંતે 10 કરોડ રૂપિયાનો ઇન્કમ ટેક્સ ભર્યો છે. તમને જણાવી દઈએ કે, હારુન ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે કિંગ ખાનની સંપત્તિ 7 હજાર કરોડ રુપિયા છે. આ વર્ષે તેનું પહેલીવાર આ યાદીમાં નામ આવ્યું હતું.

આ પણ વાંચો

મફતમાં Aadhaar Card અપડેટ કરવાની તક, ફટાફટ કરો આ કામ નહીતો આપવા પડશે પૈસા 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget