શોધખોળ કરો

Gujarat Election 2022: ચૂંટણીમાં રજા લઈને મત આપવા નહીં જનારા લોકોના નામ લાગશે નોટિસ બોર્ડ પર, EC સાથે ગુજરાતની 1000 કંપનીએ કર્યો કરાર

Gujarat Election 2022: ગુજરાતના એક હજારથી વધુ કોર્પોરેટ હાઉસે ચૂંટણી પંચ સાથે કરાર કર્યા છે. આ કરાર અનુસાર, કોર્પોરેટ હાઉસ તેમના કર્મચારીઓ ચૂંટણીમાં તેમના મતનો ઉપયોગ કરે છે કે નહીં તેની દેખરેખ રાખશે.

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન હવે ગુજરાતના એક હજારથી વધુ કોર્પોરેટ હાઉસે ચૂંટણી પંચ સાથે કરાર કર્યા છે. આ કરાર અનુસાર, કોર્પોરેટ હાઉસ તેમના કર્મચારીઓ ચૂંટણીમાં તેમના મતનો ઉપયોગ કરે છે કે નહીં તેની દેખરેખ રાખશે. આ સાથે જે કર્મચારીઓએ વોટ નથી કર્યો તેમના નામ કંપનીની વેબસાઈટ અને નોટીસ બોર્ડ પર લખવામાં આવશે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEC) પી ભારતીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે 233 એમઓયુ (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા છે જે અમને ચૂંટણી પંચની માર્ગદર્શિકાના અમલમાં મદદ કરશે. ગુજરાતમાં પ્રથમ વખત અમારી પાસે 1,017 ઔદ્યોગિક એકમો ચૂંટણીમાં દેખરેખ રાખશે.

કંપનીઓમાં નોડલ અધિકારીઓની નિમણૂક

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ચૂંટણી પંચે જૂનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, જાહેર ક્ષેત્રના એકમો અને 500 થી વધુ કર્મચારીઓ ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓને મતદાન કરનાર કર્મચારીઓની ઓળખ કરવા માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવા જણાવ્યું હતું. જે લોકો મતદાનના દિવસે રજા લેતા હતા પરંતુ મતદાન કરતા નહોતા તેમના પર નજર રાખવા આમ કરવા કહ્યું હતું.

'વેબસાઈટ અને નોટિસ બોર્ડ પર લખાશે નામ

પી ભારતીએ જણાવ્યું હતું કે, “અમારી પહોંચ વિસ્તારવા માટે, અમે ગુજરાતમાં 100 કે તેથી વધુ લોકોને રોજગારી આપતા ઉદ્યોગો પર દેખરેખ રાખવાનું નક્કી કર્યું છે. આ એકમોમાં નોડલ ઓફિસર તરીકે માનવ સંસાધન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેઓ મતદાન નથી કરતા તેમની યાદી તૈયાર કરીશું. આ સાથે , તેઓ તેમની વેબસાઇટ અને નોટિસ બોર્ડ પર આ લોકોના નામ પણ લખશે. એ જ રીતે જે લોકો મતદાન નહીં કરે તેમના પર નજર રાખવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું?

આ નીતિ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, “2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન સૌથી ઓછી મતદાનની ટકાવારી ધરાવતા સાત જિલ્લાઓમાંથી ચાર મેટ્રોપોલિટન શહેરો હતા. શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી સામાન્ય રીતે ઓછી છે, જેના કારણે એકંદરે મતદાનની ટકાવારી ઘટી છે. સાંપ્રત મુદ્દાઓની ચર્ચા માત્ર સોશિયલ મીડિયા પૂરતી સીમિત ન હોવી જોઈએ, પરંતુ મતદાન દ્વારા અભિવ્યક્તિ શોધવાની પણ જરૂર છે. તેથી જ અમે ગ્રામીણ વિસ્તારો, મહિલાઓ અને યુવાનોને મતદાન કરવા વિનંતી કરી રહ્યા છીએ."

ગુજરાતની તેની તાજેતરની મુલાકાત દરમિયાન, સીઈસીએ કહ્યું હતું કે કમિશન ફરજિયાત મતદાનનો અમલ કરી શકતું નથી, પરંતુ તે મોટા ઉદ્યોગોમાં કામદારોને ઓળખવા માંગે છે જે રજા હોવા છતાં મતદાન કરતા નથી. શું તે ફરજિયાત મતદાન તરફનું પગલું છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, "મતદાન ફરજિયાત ન હોવાથી, મતદાન ન કરનારાઓને ઓળખવાનો પ્રયાસ છે." જો કે, પી ભારતીએ એમ પણ કહ્યું હતું કે કેટલાક ઉદ્યોગોમાં, મેનેજમેન્ટ પોતે કામદારોને મતદાન કરવાની મંજૂરી આપવા માટે રજા આપવા માટે વલણ ધરાવતું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget