શોધખોળ કરો

Bhagat Singh Birthday: આજે ભારતના વીર ક્રાંતિકારી સપૂત ભગતસિંહનો જન્મદિવસ, જાણો તેમના જીવન વિશે.....

ભગતસિંહનો જન્મ એક સિખ ખેડૂત પરિવારમાં થયો હતો, તેમને જન્મ 28 સપ્ટેમ્બર, 1907 એ પંજાબના લયાલપુરના બાંગા (અત્યારે પાકિસ્તાનમાં) ગામના એક સિખ પરિવારમાં થયો હતો.

Bhagat Singh Birthday: ભારતીય સ્વતંત્રતા આંદોલન (Indian Freedom Movement) માં ક્રાતિકારીઓનું યોગદાન ભગત સિંહ (Bhagat Singh) નુ નામ લીધા વિના અધુરુ છે. તે એકમાત્ર એવો ક્રાંતિકારી હતાં, જે લોકોનો વિચારો બદલવાનો વિચાર કરતા રહતા. આજે આપણે ભારતના વીર ક્રાંતિકારી સપૂત શહીદ ભગતસિંહની જન્મ જયંતિ પર તેમને સત સત નમન કરી રહ્યાં છીએ, તેનો આદર્શ હંમેશા અન્યાયો સામે લડવાનો અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો હતો. 

ભગતસિંહનો જન્મ એક સિખ ખેડૂત પણ ક્રાંતિકારી પરિવારમાં થયો હતો, તેમને જન્મ 28 સપ્ટેમ્બર, 1907 એ પંજાબના લયાલપુરના બાંગા (અત્યારે પાકિસ્તાનમાં) ગામના એક સિખ પરિવારમાં થયો હતો. એક મતાનુસાર તેમની જન્મતિથિને 27 સપ્ટેમ્બરને માનવામાં આવે છે. તેમના પિતાનુ નામ કિશન સિંહ અને માતાનુ નામ વિદ્યાવતી કૌર હતુ. ભગતસિંહનો અભ્યાસ હાલમા પાકિસ્તાનમાં આવેલા લાહોરની દયાનંદ એન્ગ્લૉ-વૈદિક સ્કૂલમાં થયો હતો. 

ભગતસિંહના દાદા સરદાર અર્જૂનસિંહ હતા. અર્જૂનસિંહના ત્રણ પુત્રો કિશનસિંહ, અજીતસિંહ અને સ્વર્ણસિંહ સ્વાતંત્રતા સેનાની હતાં. જેમાં કિશનસિંહના પુત્ર ભગતસિંહ 13 એપ્રિલ, 1919ના રોજ થયેલ 'જલિયાંવાલા બાગ હત્યાકાંડ'ની ભગતસિંહ પર ખૂબજ ઊંડી અસર પડી અને તેઓ ભારતની આઝાદીનાં સપનાઓ જોવા લાગ્યાં.

ભગતસિંહમાં ક્રાંતિકારી પરિવર્તન આવવા પાછળનું એક મોટું કારણ લાહોરમાં આવેલ નેશનલ કૉલેજ 'નર્સરી ઓફ પેટ્રિયોટ્સ'માં ઈ.સ 1921માં તેમનું એડમિશન થવું. આ કૉલેજની શરૂઆત લાલા લજપતરાયે કરી હતી. કૉલેજના દિવસોમાં એક્ટર તરીકે મહારાણા પ્રતાપ, સમ્રાટ ચંદ્રગુપ્ત અને ભારત દુર્દશા જેવા નાટકોમાં હિસ્સો લીધો, જેથી તેમનામાં દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બની.

જ્યારે પરિવારજનોમાં ભગતસિંહની લગ્નની કરવાની વાત આવી તો તેઓ ઘર છોડી અને નાગપુર ચાલ્યા ગયા અને એક પત્ર મૂકતા ગયા જેમાં કહ્યું કે, તેમણે પોતાનું જીવન દેશને આઝાદ કરાવવાના મહાન કામમાં લગાવી દીધું છે. તેથી હવે તેમને દુનિયાના કોઇ ભૌતિક સુખ તેમને આકર્ષિત કરી શકશે નહીં.

ભગતસિંહના નજીકના મિત્ર ભગવતી ચરણના પત્ની દુર્ગાભાભી કહે છે કે, "ફાંસીનો તખ્તો તેમનો લગ્નમંડપ બન્યો, ફાંસીનો ફંદો તેમની વરમાળા અને મોત તેની દુલ્હન"  ભગતસિંહ ધરપકડ પહેલાની બધી જ સ્વતંત્રતા સંગ્રામની દરેક પ્રવૃતિમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
તેમનો પરિવાર દેશભક્ત હોવાના કારણે બ્રિટીશરો તેમના પરિવારને બળવાખોર માનતા હતા. લાહોર ષડયંત્ર કેસમાં ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને સાથે ફાંસીની સજા સંભળાવવામાં આવી. ફાંસીની નક્કી કરેલી તારીખ તથા સમયના 11 કલાક પહેલા જ તેમને 23 વર્ષની વયે ફાંસી આપવામાં આવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતના 5 મુખ્ય કારણો, જાણો 6 રનના રોમાંચક વિજયની ગાથા
IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતના 5 મુખ્ય કારણો, જાણો 6 રનના રોમાંચક વિજયની ગાથા
ગુજરાતનો વધુ એક હાઈવે થશે ફોરલેન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 46 કિલોમીટરના રસ્તા માટે 400 કરોડ ફાળવ્યા
ગુજરાતનો વધુ એક હાઈવે થશે ફોરલેન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 46 કિલોમીટરના રસ્તા માટે 400 કરોડ ફાળવ્યા
IND vs ENG 5મી ટેસ્ટ: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતનો 'ખરો યોદ્ધા' બન્યો આ ખેલાડી, 1,000 બોલમાં 23 વિકેટ....
IND vs ENG 5મી ટેસ્ટ: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતનો 'ખરો યોદ્ધા' બન્યો આ ખેલાડી, 1,000 બોલમાં 23 વિકેટ....
ભારતીય ટીમની ઐતિહાસીક સિદ્ધીઃ 93 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની
ભારતીય ટીમની ઐતિહાસીક સિદ્ધીઃ 93 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની
Advertisement

વિડિઓઝ

Gujarat Bridge Collaps Case: વડોદરાના ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કરને નીચે ઉતારવાની કામગીરી શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : વ્યસનમુક્ત ગામ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ પાડી રહ્યું છે ખાતરમાં ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂએ વાળ્યો દાટ ?
Ahmedabad News : અમદાવાદમાં પોલીસકર્મી પતિની હત્યા કરી પત્નીએ જીવન ટૂંકાવ્યું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતના 5 મુખ્ય કારણો, જાણો 6 રનના રોમાંચક વિજયની ગાથા
IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતના 5 મુખ્ય કારણો, જાણો 6 રનના રોમાંચક વિજયની ગાથા
ગુજરાતનો વધુ એક હાઈવે થશે ફોરલેન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 46 કિલોમીટરના રસ્તા માટે 400 કરોડ ફાળવ્યા
ગુજરાતનો વધુ એક હાઈવે થશે ફોરલેન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 46 કિલોમીટરના રસ્તા માટે 400 કરોડ ફાળવ્યા
IND vs ENG 5મી ટેસ્ટ: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતનો 'ખરો યોદ્ધા' બન્યો આ ખેલાડી, 1,000 બોલમાં 23 વિકેટ....
IND vs ENG 5મી ટેસ્ટ: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતનો 'ખરો યોદ્ધા' બન્યો આ ખેલાડી, 1,000 બોલમાં 23 વિકેટ....
ભારતીય ટીમની ઐતિહાસીક સિદ્ધીઃ 93 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની
ભારતીય ટીમની ઐતિહાસીક સિદ્ધીઃ 93 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની
સુપ્રીમ કોર્ટનો બાંકે બિહારી મંદિર કમિટીને સણસણતો સવાલ: 'ભગવાન સૌના છે, તો ફંડ તમારા ખિસ્સામાં કેમ?'
સુપ્રીમ કોર્ટનો બાંકે બિહારી મંદિર કમિટીને સણસણતો સવાલ: 'ભગવાન સૌના છે, તો ફંડ તમારા ખિસ્સામાં કેમ?'
Ind vs Eng : ભારતે ઇંગ્લેન્ડના જડબામાંથી જીત છીનવી, ઓવલ ટેસ્ટ 6 રનથી જીતી, સિરાજની 5 વિકેટ 
Ind vs Eng : ભારતે ઇંગ્લેન્ડના જડબામાંથી જીત છીનવી, ઓવલ ટેસ્ટ 6 રનથી જીતી, સિરાજની 5 વિકેટ 
IMD Rain Alert: દેશના ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી,  જાણો હવામાન વિભાગનું એલર્ટ 
IMD Rain Alert: દેશના ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી,  જાણો હવામાન વિભાગનું એલર્ટ 
ભાજપ શાસિત આ રાજ્યમાં આયુષ્માન કાર્ડધારકો માટે મોટી ચિંતા: 7 ઓગસ્ટ પછી ખાનગી હોસ્પિટલોમાં સારવાર બંધ
ભાજપ શાસિત આ રાજ્યમાં આયુષ્માન કાર્ડધારકો માટે મોટી ચિંતા: 7 ઓગસ્ટ પછી ખાનગી હોસ્પિટલોમાં સારવાર બંધ
Embed widget