શોધખોળ કરો

Bhagat Singh Birthday: આજે ભારતના વીર ક્રાંતિકારી સપૂત ભગતસિંહનો જન્મદિવસ, જાણો તેમના જીવન વિશે.....

ભગતસિંહનો જન્મ એક સિખ ખેડૂત પરિવારમાં થયો હતો, તેમને જન્મ 28 સપ્ટેમ્બર, 1907 એ પંજાબના લયાલપુરના બાંગા (અત્યારે પાકિસ્તાનમાં) ગામના એક સિખ પરિવારમાં થયો હતો.

Bhagat Singh Birthday: ભારતીય સ્વતંત્રતા આંદોલન (Indian Freedom Movement) માં ક્રાતિકારીઓનું યોગદાન ભગત સિંહ (Bhagat Singh) નુ નામ લીધા વિના અધુરુ છે. તે એકમાત્ર એવો ક્રાંતિકારી હતાં, જે લોકોનો વિચારો બદલવાનો વિચાર કરતા રહતા. આજે આપણે ભારતના વીર ક્રાંતિકારી સપૂત શહીદ ભગતસિંહની જન્મ જયંતિ પર તેમને સત સત નમન કરી રહ્યાં છીએ, તેનો આદર્શ હંમેશા અન્યાયો સામે લડવાનો અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો હતો. 

ભગતસિંહનો જન્મ એક સિખ ખેડૂત પણ ક્રાંતિકારી પરિવારમાં થયો હતો, તેમને જન્મ 28 સપ્ટેમ્બર, 1907 એ પંજાબના લયાલપુરના બાંગા (અત્યારે પાકિસ્તાનમાં) ગામના એક સિખ પરિવારમાં થયો હતો. એક મતાનુસાર તેમની જન્મતિથિને 27 સપ્ટેમ્બરને માનવામાં આવે છે. તેમના પિતાનુ નામ કિશન સિંહ અને માતાનુ નામ વિદ્યાવતી કૌર હતુ. ભગતસિંહનો અભ્યાસ હાલમા પાકિસ્તાનમાં આવેલા લાહોરની દયાનંદ એન્ગ્લૉ-વૈદિક સ્કૂલમાં થયો હતો. 

ભગતસિંહના દાદા સરદાર અર્જૂનસિંહ હતા. અર્જૂનસિંહના ત્રણ પુત્રો કિશનસિંહ, અજીતસિંહ અને સ્વર્ણસિંહ સ્વાતંત્રતા સેનાની હતાં. જેમાં કિશનસિંહના પુત્ર ભગતસિંહ 13 એપ્રિલ, 1919ના રોજ થયેલ 'જલિયાંવાલા બાગ હત્યાકાંડ'ની ભગતસિંહ પર ખૂબજ ઊંડી અસર પડી અને તેઓ ભારતની આઝાદીનાં સપનાઓ જોવા લાગ્યાં.

ભગતસિંહમાં ક્રાંતિકારી પરિવર્તન આવવા પાછળનું એક મોટું કારણ લાહોરમાં આવેલ નેશનલ કૉલેજ 'નર્સરી ઓફ પેટ્રિયોટ્સ'માં ઈ.સ 1921માં તેમનું એડમિશન થવું. આ કૉલેજની શરૂઆત લાલા લજપતરાયે કરી હતી. કૉલેજના દિવસોમાં એક્ટર તરીકે મહારાણા પ્રતાપ, સમ્રાટ ચંદ્રગુપ્ત અને ભારત દુર્દશા જેવા નાટકોમાં હિસ્સો લીધો, જેથી તેમનામાં દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બની.

જ્યારે પરિવારજનોમાં ભગતસિંહની લગ્નની કરવાની વાત આવી તો તેઓ ઘર છોડી અને નાગપુર ચાલ્યા ગયા અને એક પત્ર મૂકતા ગયા જેમાં કહ્યું કે, તેમણે પોતાનું જીવન દેશને આઝાદ કરાવવાના મહાન કામમાં લગાવી દીધું છે. તેથી હવે તેમને દુનિયાના કોઇ ભૌતિક સુખ તેમને આકર્ષિત કરી શકશે નહીં.

ભગતસિંહના નજીકના મિત્ર ભગવતી ચરણના પત્ની દુર્ગાભાભી કહે છે કે, "ફાંસીનો તખ્તો તેમનો લગ્નમંડપ બન્યો, ફાંસીનો ફંદો તેમની વરમાળા અને મોત તેની દુલ્હન"  ભગતસિંહ ધરપકડ પહેલાની બધી જ સ્વતંત્રતા સંગ્રામની દરેક પ્રવૃતિમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
તેમનો પરિવાર દેશભક્ત હોવાના કારણે બ્રિટીશરો તેમના પરિવારને બળવાખોર માનતા હતા. લાહોર ષડયંત્ર કેસમાં ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને સાથે ફાંસીની સજા સંભળાવવામાં આવી. ફાંસીની નક્કી કરેલી તારીખ તથા સમયના 11 કલાક પહેલા જ તેમને 23 વર્ષની વયે ફાંસી આપવામાં આવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget