શોધખોળ કરો

કોંગ્રેસની ચિંતન શિબિરમાં મંથન બાદ એક પરિવાર, એક ટિકીટ સહિતના આ મોટા નિર્ણયો લેવાયા

રવિવારે ઉદયપુરમાં યોજાયેલા કોંગ્રેસના ચિંતન શિબિરમાં પાર્ટીએ ઘણા મોટા નિર્ણયો લીધા.

Congress Chintan Shivir: રવિવારે ઉદયપુરમાં યોજાયેલા કોંગ્રેસના ચિંતન શિબિરમાં પાર્ટીએ ઘણા મોટા નિર્ણયો લીધા. આ શિબિરમાં સંગઠન સ્તરે કોંગ્રેસની નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે વ્યાપક મંથન કરવામાં આવ્યું હતું. આ વિચારમંથનમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે આગામી 90 થી 180 દિવસમાં સમગ્ર દેશમાં તાલુકા સ્તર, જિલ્લા સ્તર, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે તમામ ખાલી નિમણૂંકો પૂર્ણ કરીને જવાબદારી નક્કી કરવી જોઈએ. કોંગ્રેસનું સંગઠન અને પાયાના કાર્યકરો જ પાર્ટીની અસલી તાકાત છે. સંગઠનને અસરકારક બનાવવા માટે બ્લોક કોંગ્રેસની સાથે મંડળ કોંગ્રેસ સમિતિઓની પણ રચના કરવી જોઈએ.

આ ઉપરાંત કોંગ્રેસ સંગઠનમાં રાષ્ટ્રીય સ્તરે ત્રણ નવા વિભાગોની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો.

1. 'પબ્લિક ઈનસાઈટ ડિપાર્ટમેન્ટ' જેથી કોંગ્રેસ નેતૃત્વ વિવિધ વિષયો પર જનતાના મંતવ્યો જાણવા અને નીતિ ઘડતર માટે તર્કસંગત પ્રતિસાદ મેળવી શકે.

2. એક 'નેશનલ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટ' ની સ્થાપના કરવી જોઈએ જેથી પાર્ટીની નીતિઓ, વિચારધારા, વિઝન, સરકારની નીતિઓ અને વર્તમાન સળગતા મુદ્દાઓ અંગે પક્ષના નેતાઓ અને કાર્યકરોને વ્યાપક તાલીમ આપવામાં આવે. આ રાષ્ટ્રીય પ્રશિક્ષણ સંસ્થા કેરળમાં રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ સ્ટડીઝમાંથી શરૂ કરી શકાય છે.

3. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સ્તરે એક 'ચૂંટણી વ્યવસ્થાપન વિભાગ'ની રચના કરવી જોઈએ, જેથી દરેક ચૂંટણી અસરકારક રીતે તૈયાર થાય અને અપેક્ષિત પરિણામો બહાર આવે.

અધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન પણ કરવું જોઈએ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી (સંગઠન) હેઠળ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ, પ્રદેશ કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની કામગીરીનું પણ મૂલ્યાંકન કરવું જોઈએ, જેથી શ્રેષ્ઠ કામગીરી કરનાર પદાધિકારીઓને તક મળે. આગળ વધવા માટે અને નિષ્ક્રિય પદાધિકારીઓની છટણી કરી શકાય છે. 

એક વ્યક્તિએ 5 વર્ષથી વધુ સમય માટે કોઈ હોદ્દા પર ના રહેઃ
પક્ષમાં લાંબા સમય સુધી એક જ વ્યક્તિ દ્વારા હોદ્દો ચાલુ રાખવા અંગે અનેક વિચારો સામે આવ્યા હતા. સંસ્થાના હિતમાં છે કે કોઈ પણ વ્યક્તિ પાંચ વર્ષથી વધુ સમય માટે હોદ્દો ન રાખે, જેથી નવા લોકોને તક મળી શકે. 

'એક પરિવાર, એક ટિકિટ'નો નિયમઃ 
રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા, બ્લોક અને મંડળ સંગઠનોના એકમોમાં દલિતો, આદિવાસીઓ, પછાત, લઘુમતીઓ અને મહિલાઓને સમાન પ્રતિનિધિત્વ મળવું જોઈએ. સંસ્થામાં 'એક વ્યક્તિ, એક પદ'નો સિદ્ધાંત અમલમાં મૂકવો જોઈએ. તેવી જ રીતે 'એક પરિવાર, એક ટિકિટ'નો નિયમ પણ લાગુ થવો જોઈએ. જો કોઈના પરિવારમાં અન્ય સભ્ય રાજકીય રીતે સક્રિય હોય તો પાંચ વર્ષના સંગઠનના અનુભવ પછી જ તે વ્યક્તિ કોંગ્રેસની ટિકિટ માટે લાયક ગણાય.

'રાજકીય બાબતોની સમિતિ'ની રચના
દરેક પ્રાંતના સ્તરે, વિવિધ વિષયો પર ચર્ચા કરવા અને નિર્ણય લેવા માટે 'રાજકીય બાબતોની સમિતિ'ની રચના કરવી જોઈએ. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ અને રાજ્ય કોંગ્રેસ સમિતિઓનું સત્ર વર્ષમાં એકવાર આયોજિત કરવું આવશ્યક છે. તેવી જ રીતે જિલ્લા, બ્લોક અને મંડલ સમિતિઓની બેઠકો નિયમિતપણે યોજવી જોઈએ. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 9મી ઓગસ્ટથી દરેક જિલ્લા કક્ષાએ 75 કિલોમીટર લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવે જેમાં સ્વાતંત્ર્ય સંગ્રામના ધ્યેયો અને ત્યાગ અને બલિદાનની ભાવના દર્શાવવામાં આવે.

મીડિયા અને કોમ્યુનિકેશન વિભાગને પ્રભાવી બનાવવોઃ
બદલાતા વાતાવરણમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મીડિયા અને સંદેશાવ્યવહાર વિભાગના અધિકારક્ષેત્ર, કાર્યક્ષેત્ર અને માળખામાં ફેરફાર કરીને, તેનો વ્યાપકપણે વિસ્તાર કરવો જોઈએ અને વિષય નિષ્ણાતોની મદદથી મીડિયા, સોશિયલ મીડિયા, ડેટા, વિભાગને જોડવું જોઈએ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget