શોધખોળ કરો

EWS Quota: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપી રાહત, કહ્યુ- EWS અનામતના નિર્ણય પર પુનઃર્વિચાર નહીં

30 થી વધુ અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

Supreme Court On EWS: આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકોને આપવામાં આવેલ 10 ટકા અનામતને યોગ્ય ઠેરવતા નિર્ણય પર પુન:ર્વિચાર કરવામાં આવશે નહીં. આ સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી પુનઃવિચાર અરજીને મંગળવારે (16 મે) સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગયા વર્ષે 7 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે EWS અનામતને  બંધારણીય ગણાવ્યું હતું. 9 મેના રોજ પાંચ જજોની બેન્ચે તેની સામે દાખલ કરાયેલી પુનઃવિચાર અરજીઓ પર વિચાર કર્યો હતો.

7 નવેમ્બર 2022ના રોજ આપવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયમાં 5 જજોની બંધારણીય બેંચે બંધારણના 103મા સુધારાને 3:2ની બહુમતીથી સમર્થન આપ્યું હતું. આ સુધારા દ્વારા આર્થિક આધાર પર અનામત આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે આ પ્રકારનું અનામત બંધારણીય છે અને તેનાથી અન્ય કોઈ વર્ગના અધિકારોનું ઉલ્લંઘન થતું નથી.

અનામત વિરુદ્ધ 30 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી

જાન્યુઆરી 2019માં બંધારણમાં 103મા સુધારા દ્વારા કલમ 15(6) અને 16(6) ઉમેરવામાં આવી હતી. આ દ્વારા સરકારને આર્થિક રીતે નબળા વર્ગના ઉત્થાન માટે વિશેષ વ્યવસ્થા કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ પછી સરકારે સામાન્ય વર્ગના ગરીબોને નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં 10 ટકા અનામત આપવાની સિસ્ટમ બનાવી હતી. જેને 30 થી વધુ અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

ગયા વર્ષે તત્કાલિન ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. તેમના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના 3 ન્યાયાધીશો - જસ્ટિસ દિનેશ માહેશ્વરી, બેલા એમ ત્રિવેદી અને જમશેદ પારડીવાલાએ EWS અનામતને યોગ્ય ઠેરવ્યું હતું. આ ન્યાયાધીશોનું માનવું હતું કે બંધારણે તમામ નબળા વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરવાની સરકારની ફરજ છે. આવી સ્થિતિમાં ગરીબીને કારણે પાછળ રહી ગયેલા સામાન્ય વર્ગના લોકોને અનામત આપવાની વ્યવસ્થા બનાવવામાં કોઈ બંધારણીય ભૂલ નથી.

ન્યાયાધીશોએ શું કહ્યું હતું?

ત્રણેય ન્યાયાધીશોએ એમ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પહેલાથી જ અનામત મેળવતા એસસી, એસટી અને ઓબીસી માટે 50 ટકા અનામતની મર્યાદા નક્કી કરી છે. જનરલ કેટેગરીને નવી 10 ટકા અનામત આપવામાં આવી છે. આવી સ્થિતિમાં તેને સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ કહી શકાય નહીં. ન્યાયાધીશોએ એમ પણ કહ્યું હતું કે આ 10 ટકા અનામતમાં SC, ST અને OBC માટે ક્વોટા નક્કી કરવાની જરૂર નથી, કારણ કે આ વર્ગ પહેલાથી જ અનામતનો લાભ લઈ રહ્યો છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Russian Plane:  50 મુસાફરો સાથેનું રશિયન વિમાન ક્રેશ, તમામના મોતની આશંકા
Russian Plane: 50 મુસાફરો સાથેનું રશિયન વિમાન ક્રેશ, તમામના મોતની આશંકા
અંગૂઠામાં ફેક્ચર થતા ટીમ ઈન્ડિયામાંથી બહાર થયો પંત, આ ખેલાડીની અચાનક લાગી લોટરી
અંગૂઠામાં ફેક્ચર થતા ટીમ ઈન્ડિયામાંથી બહાર થયો પંત, આ ખેલાડીની અચાનક લાગી લોટરી
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
Advertisement

વિડિઓઝ

Jetpur-Porbandar Rain: જેતપુર-પોરબંદર નેશનલ હાઈવે પર ભારે વરસાદ | Rain Updates | 24-7-2025
Ahmedabad: મેટ્રોના મુસાફરો માટે ગુડ ન્યૂઝ, આ રૂટ પર દર 7 મીનિટે મળશે મેટ્રો
Rajkot News: નાયબ કલેક્ટરનું તઘલખી ફરમાન, શ્રાવણ માસ દરમિયાન 4 શિક્ષકોને સ્થળ પર હાજર રહેવા હુકમ
Rajkot-Morbi:રાજકોટ-મોરબી હાઈવે પર રખડતા ઢોરોનું સામ્રાજ્ય, જુઓ રિયાલિટી ચેક
Gujarat ATS In Action: આતંકવાદ પર ATSની સ્ટ્રાઈક, આરોપીઓ કરતા હતા આવા કામ; જુઓ વીડિયોમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russian Plane:  50 મુસાફરો સાથેનું રશિયન વિમાન ક્રેશ, તમામના મોતની આશંકા
Russian Plane: 50 મુસાફરો સાથેનું રશિયન વિમાન ક્રેશ, તમામના મોતની આશંકા
અંગૂઠામાં ફેક્ચર થતા ટીમ ઈન્ડિયામાંથી બહાર થયો પંત, આ ખેલાડીની અચાનક લાગી લોટરી
અંગૂઠામાં ફેક્ચર થતા ટીમ ઈન્ડિયામાંથી બહાર થયો પંત, આ ખેલાડીની અચાનક લાગી લોટરી
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
3000 કરોડના કૌભાંડ મામલે અનિલ અંબાણી ગ્રુપ પર ED ની કાર્યવાહી, 50 સ્થળોએ દરોડા
3000 કરોડના કૌભાંડ મામલે અનિલ અંબાણી ગ્રુપ પર ED ની કાર્યવાહી, 50 સ્થળોએ દરોડા
Crime: મહેસાણામાંથી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ, શેર બજારની ટિપ્સ આપી લોકો પાસેથી ખંખેરી લીધા 65 લાખ રૂપિયા
Crime: મહેસાણામાંથી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ, શેર બજારની ટિપ્સ આપી લોકો પાસેથી ખંખેરી લીધા 65 લાખ રૂપિયા
જસદણ પ્રાંત અધિકારીનો તઘલખી પરિપત્ર રદ, શિક્ષકોને VIPના ભોજનની સોંપી હતી જવાબદારી
જસદણ પ્રાંત અધિકારીનો તઘલખી પરિપત્ર રદ, શિક્ષકોને VIPના ભોજનની સોંપી હતી જવાબદારી
ટેકઓફ બાદ હવામાં જ ગાયબ થઈ ગયું 50 યાત્રીઓ ભરેલુ વિમાન, સમગ્ર વિશ્વમાં મચ્યો હડકંપ
ટેકઓફ બાદ હવામાં જ ગાયબ થઈ ગયું 50 યાત્રીઓ ભરેલુ વિમાન, સમગ્ર વિશ્વમાં મચ્યો હડકંપ
Embed widget