શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

EWS Quota: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપી રાહત, કહ્યુ- EWS અનામતના નિર્ણય પર પુનઃર્વિચાર નહીં

30 થી વધુ અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

Supreme Court On EWS: આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકોને આપવામાં આવેલ 10 ટકા અનામતને યોગ્ય ઠેરવતા નિર્ણય પર પુન:ર્વિચાર કરવામાં આવશે નહીં. આ સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી પુનઃવિચાર અરજીને મંગળવારે (16 મે) સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગયા વર્ષે 7 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે EWS અનામતને  બંધારણીય ગણાવ્યું હતું. 9 મેના રોજ પાંચ જજોની બેન્ચે તેની સામે દાખલ કરાયેલી પુનઃવિચાર અરજીઓ પર વિચાર કર્યો હતો.

7 નવેમ્બર 2022ના રોજ આપવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયમાં 5 જજોની બંધારણીય બેંચે બંધારણના 103મા સુધારાને 3:2ની બહુમતીથી સમર્થન આપ્યું હતું. આ સુધારા દ્વારા આર્થિક આધાર પર અનામત આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે આ પ્રકારનું અનામત બંધારણીય છે અને તેનાથી અન્ય કોઈ વર્ગના અધિકારોનું ઉલ્લંઘન થતું નથી.

અનામત વિરુદ્ધ 30 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી

જાન્યુઆરી 2019માં બંધારણમાં 103મા સુધારા દ્વારા કલમ 15(6) અને 16(6) ઉમેરવામાં આવી હતી. આ દ્વારા સરકારને આર્થિક રીતે નબળા વર્ગના ઉત્થાન માટે વિશેષ વ્યવસ્થા કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ પછી સરકારે સામાન્ય વર્ગના ગરીબોને નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં 10 ટકા અનામત આપવાની સિસ્ટમ બનાવી હતી. જેને 30 થી વધુ અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

ગયા વર્ષે તત્કાલિન ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. તેમના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના 3 ન્યાયાધીશો - જસ્ટિસ દિનેશ માહેશ્વરી, બેલા એમ ત્રિવેદી અને જમશેદ પારડીવાલાએ EWS અનામતને યોગ્ય ઠેરવ્યું હતું. આ ન્યાયાધીશોનું માનવું હતું કે બંધારણે તમામ નબળા વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરવાની સરકારની ફરજ છે. આવી સ્થિતિમાં ગરીબીને કારણે પાછળ રહી ગયેલા સામાન્ય વર્ગના લોકોને અનામત આપવાની વ્યવસ્થા બનાવવામાં કોઈ બંધારણીય ભૂલ નથી.

ન્યાયાધીશોએ શું કહ્યું હતું?

ત્રણેય ન્યાયાધીશોએ એમ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પહેલાથી જ અનામત મેળવતા એસસી, એસટી અને ઓબીસી માટે 50 ટકા અનામતની મર્યાદા નક્કી કરી છે. જનરલ કેટેગરીને નવી 10 ટકા અનામત આપવામાં આવી છે. આવી સ્થિતિમાં તેને સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ કહી શકાય નહીં. ન્યાયાધીશોએ એમ પણ કહ્યું હતું કે આ 10 ટકા અનામતમાં SC, ST અને OBC માટે ક્વોટા નક્કી કરવાની જરૂર નથી, કારણ કે આ વર્ગ પહેલાથી જ અનામતનો લાભ લઈ રહ્યો છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Advertisement

વિડિઓઝ

PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો
Hun To Bolish : હું તો બોલીશ : ત્રિશુલની શક્તિ
Hun To Bolish : હું તો બોલીશ : કહાની વશની, ઉજળ્યો વંશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
સોનું થઈ ગયું સસ્તું, ચાંદી પણ 4200 રુપિયા સસ્તી, પ્રતિ 10 ગ્રામ Gold ની આ છે લેટેસ્ટ કિંમત
સોનું થઈ ગયું સસ્તું, ચાંદી પણ 4200 રુપિયા સસ્તી, પ્રતિ 10 ગ્રામ Gold ની આ છે લેટેસ્ટ કિંમત
Bihar Election Result: બિહારમાં પ્રચંડ વિજય બાદ CM નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું?
Bihar Election Result: બિહારમાં પ્રચંડ વિજય બાદ CM નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું?
Embed widget