શોધખોળ કરો

Indian Army: નૌસેના કમાન્ડરોના સંમેલનમાં રાજનાથ સિંહે કહ્યુ- ‘ભવિષ્યમાં યુદ્ધ માટે આપણે તૈયાર રહેવાની જરૂર’

‘ભવિષ્યના યુદ્ધો માટે અત્યારથી જ સાવધાન રહેવું પડશે. સતત વિકસતી વિશ્વ વ્યવસ્થાએ દરેકને ફરીથી વ્યૂહરચના બનાવવાની ફરજ પાડી છે

‘ભવિષ્યના યુદ્ધો માટે અત્યારથી જ સાવધાન રહેવું પડશે. સતત વિકસતી વિશ્વ વ્યવસ્થાએ દરેકને ફરીથી વ્યૂહરચના બનાવવાની ફરજ પાડી છે. ઉત્તરીય અને પશ્ચિમી સરહદો તેમજ સમગ્ર દરિયાકિનારા પર સતત નજર રાખવી પડશે’.  રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે નેવીના કમાન્ડરોને આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું  કે આપણે ભવિષ્યના તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે 06 માર્ચે ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર આયોજિત નેવલ કમાન્ડર્સની કોન્ફરન્સ દરમિયાન ભારતીય નૌકાદળની ઓપરેશનલ ક્ષમતાઓની સમીક્ષા કરી હતી. કમાન્ડરોને તેમના સંબોધનમાં રાજનાથ સિંહે સામાજિક અને આર્થિક પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે સુરક્ષિત સરહદોને પ્રથમ આવશ્યકતા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત આ ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે નવેસરથી જોશ સાથે કામ કરી રહ્યું છે. અમે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ.

'ભારતને વિશ્વની ટોચની આર્થિક શક્તિઓમાં જોવા માંગુ છું'

આર્થિક સમૃદ્ધિ અને સુરક્ષા પરિદ્રશ્ય એકસાથે ચાલે છે તેના પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્ર મુખ્ય ચાલક તરીકે ઉભરી આવ્યું છે, જે અર્થતંત્રને વેગ આપે છે અને દેશના વિકાસને સુનિશ્ચિત કરે છે. તેમણે કહ્યું કે આગામી 5-10 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્ર દ્વારા 100 અબજથી વધુના ઓર્ડર મળવાની અપેક્ષા છે અને તે દેશના આર્થિક વિકાસમાં મુખ્ય ભાગીદાર બનશે. આજે આપણું સંરક્ષણ ક્ષેત્ર રનવે પર છે, ટૂંક સમયમાં જ્યારે તે ટેકઓફ કરશે ત્યારે તે દેશની અર્થવ્યવસ્થાને બદલી નાખશે. જો આપણે અમૃતકાળના અંત સુધીમાં ભારતને વિશ્વની ટોચની આર્થિક શક્તિઓમાં જોવા માંગીએ છીએ તો આપણે સંરક્ષણ મહાસત્તા બનવાની દિશામાં સાહસિક પગલાં ભરવાની જરૂર છે.

'દેશને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવાની જરૂર છે'

રાજનાથે હિંદ મહાસાગર ક્ષેત્રમાં નૌકાદળની વિશ્વસનીય અને જવાબદાર હાજરીનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે નૌકાદળની મિશન આધારિત તૈનાતીએ આ ક્ષેત્રમાં મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના પસંદગીના સુરક્ષા ભાગીદાર તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરી છે. તેમણે ભારત જેવા વિશાળ દેશની સુરક્ષા માટે સંપૂર્ણ આત્મનિર્ભર અને અન્ય પર નિર્ભર ન રહેવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સંરક્ષણમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા સરકાર દ્વારા લેવાયેલા અનેક પગલાંની યાદી આપી જેમાં ચાર સકારાત્મક સ્વદેશીકરણ યાદીની સૂચના, FDI મર્યાદામાં વધારો અને MSME સહિત ભારતીય વિક્રેતાઓ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
આ સરકારે લીધો ચોંકાવનારો નિર્ણય: ત્રીજા બાળક પર ₹30,000 અને ચોથા બાળક પર મળશે ₹40,000
આ સરકારે લીધો ચોંકાવનારો નિર્ણય: ત્રીજા બાળક પર ₹30,000 અને ચોથા બાળક પર મળશે ₹40,000
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!
'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!

વિડિઓઝ

Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
CNG Price Hike: CNGમાં ભાવ વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોમાં રોષ
Amit Shah Gujarat Visit: અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, જુઓ પળેપળની અપડેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'
2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
ટાટા, મારુતિ અને મહિન્દ્રાની આ 7 કાર સુરક્ષિત છે કે અસુરક્ષિત? RTI તપાસમાં થયો મોટો ખુલાસો
ટાટા, મારુતિ અને મહિન્દ્રાની આ 7 કાર સુરક્ષિત છે કે અસુરક્ષિત? RTI તપાસમાં થયો મોટો ખુલાસો
Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ
Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ
Embed widget