શોધખોળ કરો

Indian Army: નૌસેના કમાન્ડરોના સંમેલનમાં રાજનાથ સિંહે કહ્યુ- ‘ભવિષ્યમાં યુદ્ધ માટે આપણે તૈયાર રહેવાની જરૂર’

‘ભવિષ્યના યુદ્ધો માટે અત્યારથી જ સાવધાન રહેવું પડશે. સતત વિકસતી વિશ્વ વ્યવસ્થાએ દરેકને ફરીથી વ્યૂહરચના બનાવવાની ફરજ પાડી છે

‘ભવિષ્યના યુદ્ધો માટે અત્યારથી જ સાવધાન રહેવું પડશે. સતત વિકસતી વિશ્વ વ્યવસ્થાએ દરેકને ફરીથી વ્યૂહરચના બનાવવાની ફરજ પાડી છે. ઉત્તરીય અને પશ્ચિમી સરહદો તેમજ સમગ્ર દરિયાકિનારા પર સતત નજર રાખવી પડશે’.  રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે નેવીના કમાન્ડરોને આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું  કે આપણે ભવિષ્યના તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે 06 માર્ચે ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર આયોજિત નેવલ કમાન્ડર્સની કોન્ફરન્સ દરમિયાન ભારતીય નૌકાદળની ઓપરેશનલ ક્ષમતાઓની સમીક્ષા કરી હતી. કમાન્ડરોને તેમના સંબોધનમાં રાજનાથ સિંહે સામાજિક અને આર્થિક પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે સુરક્ષિત સરહદોને પ્રથમ આવશ્યકતા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત આ ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે નવેસરથી જોશ સાથે કામ કરી રહ્યું છે. અમે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ.

'ભારતને વિશ્વની ટોચની આર્થિક શક્તિઓમાં જોવા માંગુ છું'

આર્થિક સમૃદ્ધિ અને સુરક્ષા પરિદ્રશ્ય એકસાથે ચાલે છે તેના પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્ર મુખ્ય ચાલક તરીકે ઉભરી આવ્યું છે, જે અર્થતંત્રને વેગ આપે છે અને દેશના વિકાસને સુનિશ્ચિત કરે છે. તેમણે કહ્યું કે આગામી 5-10 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્ર દ્વારા 100 અબજથી વધુના ઓર્ડર મળવાની અપેક્ષા છે અને તે દેશના આર્થિક વિકાસમાં મુખ્ય ભાગીદાર બનશે. આજે આપણું સંરક્ષણ ક્ષેત્ર રનવે પર છે, ટૂંક સમયમાં જ્યારે તે ટેકઓફ કરશે ત્યારે તે દેશની અર્થવ્યવસ્થાને બદલી નાખશે. જો આપણે અમૃતકાળના અંત સુધીમાં ભારતને વિશ્વની ટોચની આર્થિક શક્તિઓમાં જોવા માંગીએ છીએ તો આપણે સંરક્ષણ મહાસત્તા બનવાની દિશામાં સાહસિક પગલાં ભરવાની જરૂર છે.

'દેશને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવાની જરૂર છે'

રાજનાથે હિંદ મહાસાગર ક્ષેત્રમાં નૌકાદળની વિશ્વસનીય અને જવાબદાર હાજરીનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે નૌકાદળની મિશન આધારિત તૈનાતીએ આ ક્ષેત્રમાં મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના પસંદગીના સુરક્ષા ભાગીદાર તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરી છે. તેમણે ભારત જેવા વિશાળ દેશની સુરક્ષા માટે સંપૂર્ણ આત્મનિર્ભર અને અન્ય પર નિર્ભર ન રહેવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સંરક્ષણમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા સરકાર દ્વારા લેવાયેલા અનેક પગલાંની યાદી આપી જેમાં ચાર સકારાત્મક સ્વદેશીકરણ યાદીની સૂચના, FDI મર્યાદામાં વધારો અને MSME સહિત ભારતીય વિક્રેતાઓ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Advertisement

વિડિઓઝ

Arvalli Rain : અરવલ્લી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?
Junagadh Rain : જૂનાગઢમાં લાંબા વિરામ બાદ વરસાદનો પ્રારંભ, જુઓ અહેવાલ
Gujarat Rain Update : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં અહીં તૂટી પડશે 12 ઇંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ahmedabad Suicide Case: અમદાવાદમાં આત્મવિલોપનનો પ્રયાસ, ઘટનાના CCTV દ્રશ્યો આવ્યા સામે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
કારની ચાવી ખોવાઈ ગઈ અને તમે બનાવી લીધી ડુપ્લીકેટ, ત્યારે પણ કરી શકાય છે ઈન્શ્યોરન્સ ક્લેમ?
કારની ચાવી ખોવાઈ ગઈ અને તમે બનાવી લીધી ડુપ્લીકેટ, ત્યારે પણ કરી શકાય છે ઈન્શ્યોરન્સ ક્લેમ?
રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસ્યો વરસાદ, બે સ્ટેટ હાઈવે સહિત કુલ 29 રસ્તા બંધ
રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસ્યો વરસાદ, બે સ્ટેટ હાઈવે સહિત કુલ 29 રસ્તા બંધ
ફક્ત બે સ્લેબ હશે, સસ્તો થશે સામાન, GST રિફોર્મને લઈને સરકારનો આ છે પ્લાન
ફક્ત બે સ્લેબ હશે, સસ્તો થશે સામાન, GST રિફોર્મને લઈને સરકારનો આ છે પ્લાન
શું ગાયના દૂધથી થઈ જાય છે ટાઈપ-1 ડાયાબિટીસ, જાણો શું કહે છે ડોક્ટર
શું ગાયના દૂધથી થઈ જાય છે ટાઈપ-1 ડાયાબિટીસ, જાણો શું કહે છે ડોક્ટર
Embed widget