શોધખોળ કરો

Manipur Viral Video: મણિપુર હિંસા પર CBI એક્શનમાં, છ FIR નોંધી, 10 આરોપીઓની ધરપકડ

મણિપુર હિંસા અને ષડયંત્ર કેસમાં સીબીઆઈ એક્શનમાં આવી છે

મણિપુર હિંસા અને ષડયંત્ર કેસમાં સીબીઆઈ એક્શનમાં આવી છે. સીબીઆઈએ હિંસા અને ષડયંત્ર સંબંધિત છ એફઆઈઆર નોંધી છે. આ કેસમાં તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં 10 આરોપીઓની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે CBI વાયરલ વીડિયો મામલે નવી FIR (સાતમી એફઆઇઆર) દાખલ કરશે.

સીબીઆઈના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ તમામ ધરપકડો અલગ-અલગ સમયે કરવામાં આવી છે. આ સિવાય સીબીઆઈ મહિલાઓને નગ્ન પરેડ કરવા મામલે એફઆઈઆર નોંધવાની પણ તૈયારી કરી રહી છે.

વાયરલ વીડિયો કેસમાં તપાસ

કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓના વાયરલ વીડિયોની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. આ મામલામાં મણિપુર પોલીસે વાયરલ વીડિયોમાં દેખાતા 8 લોકોની ધરપકડ કરી હતી.

સુપ્રીમ કોર્ટે કરી હતી સુનાવણી

ગૃહ મંત્રાલયના સચિવ અજય કુમાર ભલ્લા દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં સુપ્રીમ કોર્ટને આ કેસની ટ્રાયલ મણિપુરની બહાર ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી, જેથી ટ્રાયલ સમયબદ્ધ રીતે પૂર્ણ થઈ શકે. મણિપુરના કાંગપોકપી જિલ્લામાં 4 મેના રોજ ટોળા દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવાની ઘટનાનો ખુલાસો 19 જુલાઈના રોજ સામે વાયરલ થયેલા એક વીડિયોથી થયો હતો. સુપ્રીમ કોર્ટે 20 જૂલાઈના રોજ આ ઘટનાની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે તે વિડિયોથી "ખૂબ જ વ્યથિત" છે અને હિંસા આચરવા માટે મહિલાઓનો હથિયાર તરીકે ઉપયોગ કરવો "કોઈપણ બંધારણીય લોકશાહીમાં સંપૂર્ણપણે અસ્વીકાર્ય" છે.

ચીફ જસ્ટીસે આપ્યા હતા નિર્દેશ

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે કેન્દ્ર અને મણિપુર સરકારને તાત્કાલિક પગલાં લેવા અને તે પગલાં વિશે જાણ કરવા નિર્દેશ આપ્યો હતો. જેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે "મણિપુર સરકારે 26 જુલાઈ, 2023 ના રોજ લખેલા પત્રમાં કર્મચારી અને તાલીમ વિભાગના સચિવને સીબીઆઈને તપાસ સોંપવાની ભલામણ કરી હતી, જેને ગૃહ મંત્રાલય દ્વારા 27 જૂલાઇના રોજ મંજૂરી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચ મણિપુરમાં જાતીય હિંસા સંબંધિત અરજીઓ પર 28 જુલાઈના રોજ સુનાવણી કરવાની હતી પરંતુ બાદમાં કોઇ કારણોસર મોકૂફ રાખવામાં આવી છે.

Join Our Official Telegram Channel:                         

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget