શોધખોળ કરો

Yemen: હૂતી વિદ્રોહીઓએ ભારત આવી રહેલા જહાજ પર કર્યો હુમલો, લાલ સાગરમાં મિસાઇલથી બનાવ્યું નિશાન

Yemen: યમનના હૂતી વિદ્રોહીઓએ શનિવારે ભારત આવી રહેલા એક જહાજ પર મિસાઈલથી હુમલો કર્યો હતો

Yemen: યમનના હૂતી વિદ્રોહીઓએ શનિવારે ભારત આવી રહેલા એક જહાજ પર મિસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલો લાલ સાગરમાં કરવામાં આવ્યો હતો.  હુતી વિદ્રોહીઓએ એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. હુતી વિદ્રોહીઓ છેલ્લા ઘણા મહિનાઓથી લાલ સાગર અને એડનની ખાડીમાંથી પસાર થતા જહાજો પર હુમલો કરી રહ્યા છે. બ્રિટનની મેરીટાઇમ સિક્યુરિટી ફર્મ એમ્બ્રેએ કહ્યું છે કે હુમલાના કારણે જહાજને નુકસાન થયું છે.

જહાજ સેશેલ્સનું હોવાનું કહેવાય છે

એમ્બ્રેએ કહ્યું કે જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો તેના પર પનામાનો ધ્વજ લગાવ્યો હતો. પરંતુ આ જહાજ બ્રિટિશ કંપનીની માલિકીનું છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજ તાજેતરમાં વેચવામાં આવ્યું હતું અને હવે આ જહાજ સેશેલ્સની એક કંપનીની માલિકીનું છે. જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો તે ઓઈલ ટેન્કર છે અને તે રશિયાના પ્રિમોર્સ્કથી ભારતના વાડીનાર આવી રહ્યું હતું.

ઈરાન સમર્થિત હુતી બળવાખોરો ઈઝરાયલ-હમાસ યુદ્ધ બાદથી લાલ સાગર અને એડનના અખાતમાંથી પસાર થતા જહાજોને નિશાન બનાવી રહ્યા છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં હુતી વિદ્રોહીઓ આવું કરી રહ્યા છે અને પહેલા હુતી વિદ્રોહીઓનું નિશાન માત્ર ઈઝરાયલના જહાજ હતા, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી અન્ય દેશોના જહાજોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ કારણે ઘણી શિપિંગ કંપનીઓ તેમના જહાજોને દક્ષિણ આફ્રિકામાં લાંબા રૂટ દ્વારા મોકલી રહી છે. તેના કારણે માલસામાનના પરિવહન ખર્ચમાં વધારો થયો છે અને વૈશ્વિક સ્તરે મોંઘવારી પણ વધી છે.                              

અમેરિકાએ હુતી વિદ્રોહીઓના સ્થાનો પર હુમલો કર્યો

તાજેતરમાં, યુએસ અને બ્રિટિશ દળોએ આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પરથી પસાર થતા જહાજોને નિશાન બનાવવા માટે યમનમાં હુતી બળવાખોરોના સ્થાનો પર હવાઈ હુમલા પણ કર્યા હતા. જો કે તેમ છતાં હુતી વિદ્રોહીઓના હુમલાઓ અટકી રહ્યા નથી. ભારતે અરબી સમુદ્ર અને એડનની ખાડીમાં પણ પોતાની નૌકાદળ તૈનાત કરી છે અને યુદ્ધ જહાજો સાથે દેખરેખ પણ વધારી છે.                           

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો,  વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો, વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
પંજાબ નેશનલ બેંક બંધ કરી દેશે આવા ખાતાધારકોના એકાઉન્ટ, બેંકે ખુદ જણાવ્યું – કોને છે જોખમ?
પંજાબ નેશનલ બેંક બંધ કરી દેશે આવા ખાતાધારકોના એકાઉન્ટ, બેંકે ખુદ જણાવ્યું – કોને છે જોખમ?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Akshaya Tritiya : અખાત્રીજનો પાવન પર્વ, ભગવાન જગન્નાથજીની યોજાશે ચંદનયાત્રાMahisagar: ડંખરીયા મતદાન મથકનો વીડિયો વાયરલ, પ્રિસાઈડીંગ ઓફિસરે નોંધાવી પોલીસ ફરિયાદAhmedabad: કાગડાપીઠ વિસ્તારમાં વેપારી પર હુમલો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીSurat: કર્મનાથ મહાદેવમાં પાસે ગઈ કાલે ગુમ થયેલા બાળકો તાપી નદીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો,  વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો, વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
પંજાબ નેશનલ બેંક બંધ કરી દેશે આવા ખાતાધારકોના એકાઉન્ટ, બેંકે ખુદ જણાવ્યું – કોને છે જોખમ?
પંજાબ નેશનલ બેંક બંધ કરી દેશે આવા ખાતાધારકોના એકાઉન્ટ, બેંકે ખુદ જણાવ્યું – કોને છે જોખમ?
સોવરિન ગોલ્ડ બોન્ડ શું છે, સોનું ખરીદવા કરતાં કેમ તે વધારે સુરક્ષિત છે?
સોવરિન ગોલ્ડ બોન્ડ શું છે, સોનું ખરીદવા કરતાં કેમ તે વધારે સુરક્ષિત છે?
ટેક્સ ભરનારા લોકો માટે મહત્વના સમાચાર, જો આ કામ નહી કરો તો અટકી જશે પૈસા
ટેક્સ ભરનારા લોકો માટે મહત્વના સમાચાર, જો આ કામ નહી કરો તો અટકી જશે પૈસા
ભારતમાં યુવાઓ માટે સરકારી નોકરી મેળવવી કેમ સરળ નથી
ભારતમાં યુવાઓ માટે સરકારી નોકરી મેળવવી કેમ સરળ નથી
Fact Check: કન્નૌજમાં અખિલેશ યાદવ પર ફેંકાયા જૂતા? વીડિયોમાં કરાયેલા દાવાનું શું છે સત્ય?
Fact Check: કન્નૌજમાં અખિલેશ યાદવ પર ફેંકાયા જૂતા? વીડિયોમાં કરાયેલા દાવાનું શું છે સત્ય?
Embed widget