શોધખોળ કરો
ATM Card Rules: કોઇ મૃત વ્યક્તિના ATM કાર્ડમાંથી ભૂલથી પણ ના કાઢો પૈસા, થઇ શકે છે નુકસાન

પ્રતિકાત્મક તસવીર
1/7

ATM Cash withdrawal Rules: નવી ટેકનોલોજી બેંકિંગ સિસ્ટમે લોકોના જીવનમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. આજકાલ તેઓ રોકડ ઉપાડવા બેંક જવાને બદલે એટીએમમાં જઈને રોકડ ઉપાડે છે. આવી સ્થિતિમાં લોકોનો સમય બચે છે, પરંતુ RBIએ ATMમાંથી રોકડ ઉપાડવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે.
2/7

આરબીઆઈના આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે નહીંતર તમારે પછીથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજકાલ મોટાભાગના લોકો એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ પોતાના ખાતા સાથે રાખે છે. જો જરૂરી હોય તો તે ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.
3/7

ઘણી વખત ખાતાધારકના મૃત્યુ પર લોકો તેના એટીએમ કાર્ડ દ્વારા ખાતામાંથી પૈસા ઉપાડે છે, પરંતુ આ કામ ગેરકાયદેસર છે. કોઈ વ્યક્તિના મૃત્યુ પછી પરિવારના કોઈપણ વ્યક્તિને મૃતકના ATMમાંથી રોકડ ઉપાડવાનો અધિકાર નથી. આમ કરવાથી તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.
4/7

તાજેતરના ભૂતકાળમાં એવા ઘણા કિસ્સાઓ નોંધાયા છે જ્યારે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેનો પરિવાર એટીએમમાંથી પૈસા ઉપાડે છે. આવું કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
5/7

નિયમો અનુસાર, નોમિની પણ વ્યક્તિના મૃત્યુ વિશે બેંકને જાણ કર્યા વિના ખાતામાંથી પૈસા ઉપાડી શકતા નથી. તેમણે ખાતાધારકના મૃત્યુ અંગે બેંકને પહેલા જાણ કરવી પડશે. તે પછી પૈસા ઉપાડી શકશે.
6/7

મૃત્યુનો દાવો કરવા માટે તમારે પહેલા તમારા આધાર કાર્ડ સાથે ખાતાધારકનું ડેથ સર્ટિફિકેટ સબમિટ કરવું પડશે. આ પછી બેંક તમને ખાતામાં જમા તમામ પૈસા આપશે અને ખાતું બંધ કરી દેશે.
7/7

જો ખાતામાં કોઈ વ્યક્તિને નોમિની બનાવવામાં આવી નથી. તો ખાતાધારકના મૃત્યુ પછી તેના તમામ કાનૂની વારસદારોએ ઉત્તરાધિકાર પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. આ પછી જ ખાતાના મૃત્યુ દાવાની પ્રક્રિયા પૂર્ણ થશે.
Published at : 10 Jul 2022 02:26 PM (IST)
Tags :
ATM Card Rulesવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજકોટ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
