શોધખોળ કરો

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હરસોલ ગામમાં ઘન કચરાના વ્યવસ્થાપનની કામગીરી થકી સખીમંડળની બહેનો મેળવી રહી છે આવક

એકત્રિત થયેલ ભીના કચરામાંથી સખીમંડળની બહેનો સેન્દ્રિય ખાતર બનાવે છે. સ્વચ્છતા અભિયાન માટે સખીમંડળની કામગીરીને હરસોલ ગામના લોકોનો પૂર્ણ સહયોગ જનભાગીદારીનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

એકત્રિત થયેલ ભીના કચરામાંથી સખીમંડળની બહેનો  સેન્દ્રિય ખાતર બનાવે છે. સ્વચ્છતા અભિયાન માટે સખીમંડળની કામગીરીને હરસોલ ગામના લોકોનો પૂર્ણ સહયોગ જનભાગીદારીનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં સ્થિત હરસોલ ગામમાં જોગમાયા સખીમંડળની મહિલાઓએ સુચારૂ સંકલન દ્વારા ઘન કચરાના વ્યવસ્થાપનની કામગીરી કરી છે. આ કામગીરીમાંથી જોગમાયા સખીમંડળની મહિલાઓએ અત્યારસુધીમાં ₹56,370ની આવક મેળવી છે, જેમાં ગ્રામ પંચાયત તરફથી મહેનતાણાની રકમ તરીકે ₹35,000 અને GEDAની પ્રોત્સાહક રકમની ગ્રાન્ટમાંથી ₹21,370ની રકમનો સમાવેશ થાય છે.

1/5
હરસોલ ગામમાં સામુદાયિક શૌચાલય, શોકપીટ, કોમ્પોસ્ટ પીટ, સેગ્રીગેશન સેટ વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ગામમાં સૂકા અને ભીના કચરાને અલગ કરવામાં નહોતો આવતો. પ્લાસ્ટિકને ગમે ત્યાં ફેંકવામાં આવતું હતું અથવા તો બાળી નાખવામાં આવતું હતું. જેનાથી પર્યાવરણને નુકસાન થતું હતું. આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જિલ્લા અને તાલુકા અધિકારીઓની ટીમો એકસાથે બેઠી અને તેના સમાધાન અંગે ચર્ચા કરી.
હરસોલ ગામમાં સામુદાયિક શૌચાલય, શોકપીટ, કોમ્પોસ્ટ પીટ, સેગ્રીગેશન સેટ વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ગામમાં સૂકા અને ભીના કચરાને અલગ કરવામાં નહોતો આવતો. પ્લાસ્ટિકને ગમે ત્યાં ફેંકવામાં આવતું હતું અથવા તો બાળી નાખવામાં આવતું હતું. જેનાથી પર્યાવરણને નુકસાન થતું હતું. આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જિલ્લા અને તાલુકા અધિકારીઓની ટીમો એકસાથે બેઠી અને તેના સમાધાન અંગે ચર્ચા કરી.
2/5
ગ્રામ પંચાયતે ગામડાના ઘન કચરા વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તમામ કાર્યો સખીમંડળની મહિલાઓને સોંપવાનો સર્વસંમતિથી નિર્ણય કર્યો. વિવિધ સખીમંડળની બહેનોને સૌપ્રથમ તો ઘન કચરા વ્યવસ્થાપનની પ્રક્રિયાઓ અંગે વાકેફ કરવામાં આવ્યા, તે અંગે સમજણ આપવામાં આવી. ત્યારબાદ મહિલાઓના જ્ઞાન અને રસ-રૂચિ અનુસાર તેમજ સખીમંડળના સમૂહની તાકાતના આધારે તેમની પસંદગી કરવામાં આવી હતી. આ કામગીરી માટે હરસોલ ગામથી 12 કિમી દૂર આવેલા સાગપુર ગામના જોગમાયા સખીમંડળની પસંદગી કરવામાં આવી.
ગ્રામ પંચાયતે ગામડાના ઘન કચરા વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તમામ કાર્યો સખીમંડળની મહિલાઓને સોંપવાનો સર્વસંમતિથી નિર્ણય કર્યો. વિવિધ સખીમંડળની બહેનોને સૌપ્રથમ તો ઘન કચરા વ્યવસ્થાપનની પ્રક્રિયાઓ અંગે વાકેફ કરવામાં આવ્યા, તે અંગે સમજણ આપવામાં આવી. ત્યારબાદ મહિલાઓના જ્ઞાન અને રસ-રૂચિ અનુસાર તેમજ સખીમંડળના સમૂહની તાકાતના આધારે તેમની પસંદગી કરવામાં આવી હતી. આ કામગીરી માટે હરસોલ ગામથી 12 કિમી દૂર આવેલા સાગપુર ગામના જોગમાયા સખીમંડળની પસંદગી કરવામાં આવી.
3/5
સખીમંડળની મહિલાઓ પોતે જ રિક્ષા ચલાવીને ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવા માટે એકાંતરે દિવસે ગામના દરેક ઘરે પહોંચી જાય છે. દરેક ઘરમાંથી એકત્રિત કરવામાં આવેલો સૂકો કચરો, ભીનો કચરો, સેનિટરી અને ખતરનાક એટલે કે હેઝાર્ડસ વેસ્ટને તેઓ રિક્ષા મારફતે સેગ્રીગેશન શેડ સુધી પહોંચાડે છે. સેનિટરી કચરાનો નિકાલ કરવા માટે તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચાડવામાં આવે છે. આજે ગામના તમામ લોકો તેમનો કચરો ઘરેથી જ અલગ કરીને આપે છે, જે લોકોમાં આવેલી વ્યાપક જાગૃતિનું પરિણામ છે.
સખીમંડળની મહિલાઓ પોતે જ રિક્ષા ચલાવીને ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવા માટે એકાંતરે દિવસે ગામના દરેક ઘરે પહોંચી જાય છે. દરેક ઘરમાંથી એકત્રિત કરવામાં આવેલો સૂકો કચરો, ભીનો કચરો, સેનિટરી અને ખતરનાક એટલે કે હેઝાર્ડસ વેસ્ટને તેઓ રિક્ષા મારફતે સેગ્રીગેશન શેડ સુધી પહોંચાડે છે. સેનિટરી કચરાનો નિકાલ કરવા માટે તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચાડવામાં આવે છે. આજે ગામના તમામ લોકો તેમનો કચરો ઘરેથી જ અલગ કરીને આપે છે, જે લોકોમાં આવેલી વ્યાપક જાગૃતિનું પરિણામ છે.
4/5
ગામના લોકોના ઘરમાંથી એકત્રિત કરેલા ભીના કચરા પર પ્રક્રિયા કરીને તેમાંથી સખીમંડળની મહિલાઓ સેન્દ્રિય ખાતર બનાવીને તેનું વેચાણ કરે છે. જ્યારે સૂકા કચરામાંથી પુનઃ ઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓનું તેઓ ભંગારવાળાને વેચાણ કરીને તેમાંથી પણ કમાણી કરે છે.
ગામના લોકોના ઘરમાંથી એકત્રિત કરેલા ભીના કચરા પર પ્રક્રિયા કરીને તેમાંથી સખીમંડળની મહિલાઓ સેન્દ્રિય ખાતર બનાવીને તેનું વેચાણ કરે છે. જ્યારે સૂકા કચરામાંથી પુનઃ ઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓનું તેઓ ભંગારવાળાને વેચાણ કરીને તેમાંથી પણ કમાણી કરે છે.
5/5
સેગ્રીગેશન શેડમાં લાવવામાં આવેલા ભીના કચરાને વિવિધ તબક્કામાંથી પ્રક્રિયા કરીને ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તમામ તબક્કાઓ પછી તૈયાર થયેલા ખાતરને વજન કરીને બેગમાં પેક કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા જૈવિક ખાતરને સખીમંડળની બહેનો ગામડાના ખેડૂતોને વેચે છે. સખીમંડળની બહેનોએ અત્યારસુધીમાં 300 કિલોગ્રામ ખાતરનું ઉત્પાદન કર્યું છે, જેને તેઓ ₹70 પ્રતિ કિલોના ભાવથી ખેડૂતોને વેચે છે. ખેડૂતોનું કહેવું છે કે સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ વર્મી કોમ્પોસ્ટ ખાતરના ઉપયોગથી તેમની જમીનની ફળદ્રુપતામાં સુધારો થયો છે અને તેમના પાક ઉત્પાદનમાં પણ વધારો થયો છે.
સેગ્રીગેશન શેડમાં લાવવામાં આવેલા ભીના કચરાને વિવિધ તબક્કામાંથી પ્રક્રિયા કરીને ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તમામ તબક્કાઓ પછી તૈયાર થયેલા ખાતરને વજન કરીને બેગમાં પેક કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા જૈવિક ખાતરને સખીમંડળની બહેનો ગામડાના ખેડૂતોને વેચે છે. સખીમંડળની બહેનોએ અત્યારસુધીમાં 300 કિલોગ્રામ ખાતરનું ઉત્પાદન કર્યું છે, જેને તેઓ ₹70 પ્રતિ કિલોના ભાવથી ખેડૂતોને વેચે છે. ખેડૂતોનું કહેવું છે કે સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ વર્મી કોમ્પોસ્ટ ખાતરના ઉપયોગથી તેમની જમીનની ફળદ્રુપતામાં સુધારો થયો છે અને તેમના પાક ઉત્પાદનમાં પણ વધારો થયો છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
Bharuch: હવે દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરુચ વિસ્તારના લોકોનું જીવન
Bharuch: હવે દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરુચ વિસ્તારના લોકોનું જીવન
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
Bharuch: હવે દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરુચ વિસ્તારના લોકોનું જીવન
Bharuch: હવે દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરુચ વિસ્તારના લોકોનું જીવન
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Embed widget