શોધખોળ કરો

Diwali 2024: દિવાળી પહેલા ઘરે ન લાવો આ અશુભ વસ્તુઓ, આખુ વર્ષ રહેશે પૈસાની તંગી

દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે.

Diwali 2024 : દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમના પર અપાર આશીર્વાદ વરસાવે છે. આવી સ્થિતિમાં લોકો ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો અપનાવે છે. એક તરફ લોકો તેમના ઘરો અને મંદિરોને રંગબેરંગી રોશની, તોરણ અને ફૂલોથી શણગારે છે. દિવાળીના બીજા દિવસે દેવી લક્ષ્મીની પણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં રહે તો દિવાળી પહેલા ભૂલથી પણ આ વસ્તુઓ તમારા ઘરમાં ન લાવો.

તીક્ષ્ણ વસ્તુઓ 

દિવાળી પહેલા ધારદાર અને તીક્ષ્ણ વસ્તુઓ ઘરમાં લાવવાની ભૂલ ન કરો. કાતર, છરી, લોખંડ વગેરે જેવી ધારદાર વસ્તુઓ. એવું કહેવાય છે કે તેમને ઘરે લાવવાથી નકારાત્મકતા વધે છે, જેનાથી ઘરમાં અશાંતિ રહે છે. આ તમારા ઘરની આર્થિક સ્થિતિને પણ અસર કરી શકે છે. જેથી કરીને કોઈપણ ધારદાર વસ્તુઓને તમારી દિવાળી પહેલા તમારા ઘરમાં ન લાવવી જોઈએ. 

જૂના પગરખાં અને ચપ્પલ 

જો ઘરમાં જૂના ચપ્પલ અને શૂઝ રાખવામાં આવ્યા હોય તો તેને તરત જ ફેંકી દો. કોઈપણ તૂટેલી વસ્તુઓ ઘરમાં ન લાવવી નહીં તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. જૂનો સામાન પણ વપરાશમાં ન લેતા હોય તો તેને ફેંકી દેવો જોઈએ. 

કાળી વસ્તુઓ 

હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં કાળા રંગની કોઈપણ વસ્તુ ઘરમાં ન લાવો. કાળા રંગના કપડાંની ખરીદી કરવાનું અત્યારે ટાળો.

ખાટી સામગ્રી 

દિવાળી પહેલા ખાટી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આ દરમિયાન લીંબુ, અથાણું વગેરે વસ્તુઓ ન ખરીદવી જોઈએ. એવું કહેવાય છે કે આને ઘરે લાવવાથી વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

હિંદુ ધર્મમાં દરેક ઉત્સવ અને તહેવારનું પોતાનું આગવું મહત્વ છે. વર્ષ 2024માં દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર 2024ને ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે લોકો દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજા અને સ્વાગત કરવાની તૈયારી કરે છે. દિવાળી (Diwali 2024) પર માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીના સ્વાગત માટે દરેક વ્યક્તિ ઘરને શણગારે છે અને દીવા પ્રગટાવે છે. દીપાવલીની સાંજે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.

દેવી લક્ષ્મીનું સ્વાગત કેવી રીતે કરવું?

  • આ દિવસે સૌથી પહેલા ઘર સાફ કરો.
  • સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો અવશ્ય પ્રગટાવો.
  • આ દિવસે સાંજે ઘરના દરવાજા ખુલ્લા રાખો.
  • ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક ચિન્હ બનાવો. આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.
  • દેવી લક્ષ્મીના સ્વાગત માટે ઘરે ખાસ રંગોળી બનાવો.
  • ઘરને ફૂલ, દીવા અને રોશનીથી સજાવો.
  • ઘરના મુખ્ય દ્વાર પર ફૂલોની માળા લગાવો અને તોરણ લગાવો.
  • ઘરના મંદિરને સુંદર રીતે શણગારો.
  • શુભ સમયે દેવી લક્ષ્મી-ગણેશની પૂજા કરો અને તેમના આશીર્વાદ લો.
  • પૂજા સમયે ચાંદીના સિક્કાની પૂજા અવશ્ય કરો.
  • જે લોકો આ દિવસે સંપૂર્ણ ભક્તિ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરે છે, તેમના ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા વર્ષભર બની રહે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.  

Diwali 2024: દિવાળી પર માતા લક્ષ્મીજીનું સ્વાગત કેવી રીતે કરવું

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Embed widget