શોધખોળ કરો

Swineflu Case: રાજ્યમાં સ્વાઈનફ્લૂના વધ્યાં કેસ, આ શરીરમાં લક્ષણો અનુભવાય તો ચેતી જજો

કોરોના બાદ રાજયમાં વધતા જતાં સ્વાઇન ફ્લુના કેસે ચિંતા વધારી છે. છેલ્લા ત્રણ મહિનાથી રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.

Swineflu Case: ગરમીની શરૂઆત થતાં જ રોગચાળો પણ વકર્યો છે.  માર્ચ મહિનાના 25 દિવસમાં જ સ્વાઈનફ્લૂના 380 કેસ નોંધાયા છે. સ્વાઈનફ્લૂના કેસ મામલે ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. ગુજરાતમાં સ્વાઈનફ્લુએ હાલ  કાળો કેર વર્તાવ્યો છે. સ્વાઇન ફ્લૂના ત્રણ જ મહિનામાં 360 કેસ નોંધાયા છે. જેમાંથી 15 લોકોના મોત  નિપજ્યાં  છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસ સૌથી વધારે નોંધાયા...અચાનક સ્વાઈફ્લુના દર્દી વધતા આરોગ્ય વિભાગ ચિંતામાંમાં વધારો થયો છે.

શિયાળાની વિદાય અને ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં રોગચાળોએ પણ માજા મૂકી છે. અમદાવાદના સોલા સિવિલમાં બે સપ્તાહમાં વાઈરલ ઈન્ફેક્શનના ત્રણ હજાર 20 કેસ નોંધાયા છે. બાળકોમાં પણ શરદી-તાવના કેસ વધારો થયો છે. ખાંસી લાંબો સમય સુધી મટતી ન હોવાની ફરિયાદ વધુ જોવા મળી રહી છે. ડેન્ગ્યુ, સ્વાઈફ્લુ, ઝાડા ઉલટી, તાવ-ઉધરસ સહિતના કેસમાં રાજ્યમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ રોગ પ્રથમ વખત વર્ષ 1919માં જોવા મળ્યો હતો. ભારતમાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ વર્ષ 2009માં નોંધાયો હતો. નિષ્ણાતોના મતે, આ રોગ એઇડ્સ અને એચઆઇવીથી પીડિત દર્દીઓ માટે  વધુ ખતરનાક બને છે.

સ્વાઈન ફ્લૂ રોગ H1N1 વાયરસથી થાય છે. આ એક શ્વસન ચેપી રોગ છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સ્વાઈન ફ્લૂનો ભોગ બને છે. આ રોગ ડુક્કરમાં જોવા મળતા ઈન્ફલ્યુએન્ઝા સ્ટ્રેનના કારણે થાય છે. આ રોગ પ્રથમ વખત વર્ષ 1919માં જોવા મળ્યો હતો. તે જ સમયે, ભારતમાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ વર્ષ 2009માં નોંધાયો હતો. નિષ્ણાતોના મતે, આ રોગ એઇડ્સ અને એચઆઇવીથી પીડિત દર્દીઓ માટે ખતરનાક છે. જોકે સ્વાઈન ફ્લૂના દર્દીઓની પ્રાથમિક કક્ષાએ સારવાર શક્ય છે. જો બેદરકારી રાખવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. આ માટે જો સ્વાઈન ફ્લૂના લક્ષણો દેખાય તો પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

સ્વાઇન ફૂલના લક્ષણો

તાવ, માથામાં  દુખાવો,  કફ - થાક અને નબળાઈ - શરીરમાં તીવ્ર દુખાવો -હાંફ ચઢવો, ગળામાં ખરાશ, ઉલટી, પેશાબ વધુ થવો,

સ્વાઇન ફ્લૂ ઉપાય

પુષ્કળ પાણી પીવો

ઉલ્ટી, ઝાડા, વારંવાર પેશાબ વગેરે સ્વાઈન ફ્લૂના લક્ષણો છે. જેના કારણે શરીરમાં પાણીની કમી થવા લાગે છે. આ માટે પુષ્કળ પાણી પીવો. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે. સાથે જ શરીરમાં રહેલા ટોક્સિન બહાર નીકળી જાય છે.

હળદરવાળું દૂધ પીવો

હળદરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણો જોવા મળે છે, જે શરદી, ઉધરસ અને ચેપને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. ડૉક્ટરની સલાહ લીધા પછી દિવસમાં બે વાર હળદરવાળું દૂધ પીવો. આ માટે એક ગ્લાસ હુંફાળા દૂધમાં એક ચપટી હળદર ભેળવીને તેનું સેવન કરો. આનાથી સ્વાઈન ફ્લૂના ચેપનું જોખમ ઘટે છે. હળદરના દૂધમાં સૂંઠ પણ ઉમેરી શકો છો.

આમળા ખાઓ

આમળામાં વિટામિન સી ભરપૂર છે. જે આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત સ્વાઈન ફ્લુ સહિત અન્ય રોગોનું જોખમ પણ ઘટે છે. આ માટે રોજ આમળાનું સેવન અવશ્ય કરો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર,
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર, "આ તમારી નહીં,તમારા ગુરુની મૂર્ખતા છે"
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનું ધામ હવે નગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ડોળાયું ડેરીઓનું રાજકારણ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે નર્કની ગલી?
Surat News : સુરતમાં એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Gujarat Farmers : ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીને લઈ મોટા સમાચાર , જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર,
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર, "આ તમારી નહીં,તમારા ગુરુની મૂર્ખતા છે"
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
Rahul Gandhi Press Conference: શું જાણ કર્યા વિના કોઇનું પણ નામ કાઢી કે જોડી શકે છે ચૂંટણી પંચ, શું છે નિયમ ?
Rahul Gandhi Press Conference: શું જાણ કર્યા વિના કોઇનું પણ નામ કાઢી કે જોડી શકે છે ચૂંટણી પંચ, શું છે નિયમ ?
GST New Rates: જીએસટી કટને લઈ સરકારે જાહેર કર્યું નૉટિફિકેશન, કંપનીઓ તૈયાર, જાણો 22 સપ્ટેમ્બરથી શું-શું થશે સસ્તું
GST New Rates: જીએસટી કટને લઈ સરકારે જાહેર કર્યું નૉટિફિકેશન, કંપનીઓ તૈયાર, જાણો 22 સપ્ટેમ્બરથી શું-શું થશે સસ્તું
Anupama Spoiler: અનુપમાની સામે આવશે અત્યાર સુધીની સૌથી મોટી સચ્ચાઈ, પરાગની જિંદગી બરબાદ કરશે ગૌતમ
Anupama Spoiler: અનુપમાની સામે આવશે અત્યાર સુધીની સૌથી મોટી સચ્ચાઈ, પરાગની જિંદગી બરબાદ કરશે ગૌતમ
Chamoli Landslide: ચમોલીમાં નંદનગરમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, અડધા ડઝન ઘરો ધરાશાયી, 5 લોકો લાપતા
Chamoli Landslide: ચમોલીમાં નંદનગરમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, અડધા ડઝન ઘરો ધરાશાયી, 5 લોકો લાપતા
Embed widget