Teachers Day 2021: ગુજરાત સરકારે 30 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી કર્યા સન્માનિત, જાણો ક્યા ક્યા શિક્ષકોને મળ્યો એવોર્ડ ? ક્યાં બજાવે છે ફરજ ?
આજે શિક્ષક દિનના અવસરે ગુજરાતના ક્યાં 30 શિક્ષકોને શ્રે્ષ્ઠ શિક્ષકનું મળ્યું સન્માન, જાણીએ 30 શિક્ષકો ક્યાં ફરજ બજાવે છે

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવબ્રતે આજે રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કર્યા હતા. 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરિયમ ખાતે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિતરણ સમારોહ 2021 યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપરાંત સી.એમ. વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરી બેન દવે હાજર રહ્યાં હતાં. શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકોને સમ્માનિત કરવાના આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોએ સંબોધન કર્યું હતું.
શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોની સંપૂર્ણ યાદી નીચે પ્રમાણે છે.
ડોક્ટર રાધાકૃષ્ણસર્વપલ્લીના જન્મ દિવસે મનાવાય છે શિક્ષક દિન
દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888માં તમિલનાડુના તિરૂમની ગામમાં એક બ્રાહ્મણ પરિવારને ત્યાં થયો હતો. તે બાળપણથી વાંચનના શોખીન હતા અને સ્વામી વિવેકાનંદથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમનું નિધન ચેન્નઇનાં 17 એપ્રિલ 1975માં થયું હતું.
સમગ્ર દેશ દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવે છે.આ દિવસ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં મનાવામાં આવે છે. તેમણે આ દિવસને શિક્ષકોને સમર્પિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આજે શિક્ષક દિવસને અવસરે સમગ્ર દેશ બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરે છે અન તેમના સન્માનમાં જ સમગ્ર દેશ શિક્ષક દિવસ મનાવે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમનો જન્મ દિવસ શિક્ષકના સન્માન અને યોગદાન માટે મનાવવાનો વિચાર આવ્યો અને તેમને તેમનો જન્મ દિવસ શિક્ષક દિન માટે સમર્પિત કરી દીધો, ત્યારથી જ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. જેની શરૂઆત 1962થી થઇ હતી. તેની પાછળની કહાણી પણ ખૂબ ડ રસપ્રદ છે. તો આવો જાણીએ કે આખરે ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે શિક્ષક દિવસ કેમ મનાવાય છે.
દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888માં તમિલનાડુના તિરૂમની ગામમાં એક બ્રાહ્મણ પરિવારને ત્યાં થયો હતો. તે બાળપણથી વાંચનના શોખીન હતા અને સ્વામી વિવેકાનંદથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમનું નિધન ચેન્નઇનાં 17 એપ્રિલ 1975માં થયું હતું.
કેમ 5 સપ્ટેમ્બરે મનાવાય છે શિક્ષક દિન?
અલગ અલગ દેશમાં આ શિક્ષક દિવસ અલગ અલગ તારીખે મનાવાયા છે. આપણા દેશમાં 5 સપ્ટેમ્બર મનાવવા પાછળ એક કહાણી છે. જ્યારે ડોક્ટર સર્વેપલ્લી રાધાકૃષ્ણ દેશના રાષ્ટ્રપતિ બન્યા તો કેટલા વિદ્યાર્થીઓ તેમને મળ્યાં અને તેમનો જન્મ દિવસ અલગ રીતે મનાવવા માટેની મંજૂરી માંગી પરંતુ આ સમયે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણે અનુરોધ કર્યો કે, “મારો જન્મદિન મનાવવાને બદલે આ દિવસ શિક્ષકોને સમર્પિત કરવામાં આવે અને તે દિવસે શિક્ષકોનું સન્માન કરવામાં આવે તેમના શ્રેષ્ઠ કામ માટે તેમને પુરસ્કૃત કરવામાં આવે” બસ આ જ દિવસથી એટલે કે, 5 સપ્ટેમ્બર 1962થી દેશમાં શિક્ષક દિવસ મનાવાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
