શોધખોળ કરો

PM Modi : PM મોદીની પણ થઈ ચુકી છે 9 કલાક પુછપરછ, SITની ચા પણ ઠુકરાવેલી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડ કેસમાં લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

Arvind Kejriwal CBI: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડ કેસમાં લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન, તેમને એજન્સી દ્વારા 50 થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પછી અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, આ લોકો આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. મુખ્યમંત્રીની પૂછપરછ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓએ CBI ઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું. આગેવાનોએ સવાલ ઉઠાવ્યો હતો કે, લોકોએ ચૂંટેલા મુખ્યમંત્રીને કલાકો સુધી પૂછપરછ કરીને હેરાન કરવામાં આવે છે.

પરંતુ આ પહેલીવાર નથી જ્યારે કોઈ એજન્સીએ સીટીંગ સીએમને કલાકો સુધી પૂછપરછ કરી હોય. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ આવું બની ચુક્યું છે. વર્ષ 2010માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત રમખાણોના મામલામાં એસઆઈટી દ્વારા તેમની 9 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

ગુજરાતમાં નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જેમ ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીની પણ SIT દ્વારા 2010માં પૂછપરછ કરવામાં આવી હતી. 27 માર્ચ, 2010ના રોજ થયેલી આ પૂછપરછ પણ 9 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. નરેન્દ્ર મોદીને 2002ના ગુજરાત રમખાણો વિશે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં SIT દ્વારા લગભગ 100 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન મોદીએ SIT દ્વારા ઓફર કરવામાં આવેલી ચા લેવાની પણ ના પાડી દીધી હતી.

SITની પૂછપરછ બાદ તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, ગુજરાત રમખાણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા SITની રચના કરવામાં આવી છે. SITએ મને પત્ર લખીને 27મીએ મળવાનું કહ્યું હતું. આજે હું SIT સમક્ષ હાજર થઈ રહ્યો છું. તેઓએ મારી સાથે વિગતવાર વાત કરી છે. તેઓએ જે પ્રશ્નો પૂછતા હતા તે હું જવાબ આપી રહ્યો હતો. મેં પહેલેથી જ કહ્યું છે કે, ભારતનું બંધારણ અને કાયદો સર્વોચ્ચ છે. એક નાગરિક અને મુખ્યમંત્રી હોવાના નાતે હું કાયદાથી બંધાયેલો છું. કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર ન હોઈ શકે.

શું હતો ગુજરાત રમખાણોનો મામલો?

ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. થોડા મહિનાઓ બાદ જ ફેબ્રુઆરી 2002માં ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લાગી હતી. જેમાં 59 કાર સેવકો માર્યા ગયા હતાં. ત્યાર બાદ એક સમુદાય પર આનો આરોપ લાગ્યો હતો. આ ઘટનાના પગલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં રમખાણો ફાટી નિકળ્યા હતાં. ઘણા લોકોના ઘર સળગાવી દેવામાં આવ્યા અને સેંકડો લોકોની હત્યા કરવામાં આવી હતી. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં હત્યાકાંડો થયા હતાં અને ઘણા લોકો હથિયારો વડે માર્યા ગયા. તો કેટલાકને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતાં. કેટલાક લોકો ખુલ્લા ઈલેક્ટ્રીક વાયર છોડીને મોતને ભેટ્યા હતા. આ રમખાણોમાં લગભગ એક હજાર લોકોના મોત થયા હતા, જેમાંથી 700થી વધુ મુસ્લિમ હતા.

ગુજરાત રમખાણોના મામલામાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, નરેન્દ્ર મોદીએ અધિકારીઓને હિંદુ ભાવનાઓને ભડકતી અટકાવવાની સૂચના આપી હતી. જે બાદ આ હત્યાકાંડ થયો હતો. જો કે, લાંબી કાનૂની લડાઈ અને તપાસ બાદ નરેન્દ્ર મોદીને આ મામલે ક્લીનચીટ મળી છે. ગુજરાત રમખાણોના કેસમાં તેમને સુપ્રીમ કોર્ટમાંથી ક્લીનચીટ પણ મળી છે. જો કે અરવિંદ કેજરીવાલની આ કાનૂની લડાઈ કેટલો સમય ચાલશે અને તેમને આ મામલે કેટલી રાહત મળશે તે હજુ કહી શકાય તેમ નથી. 

ટોપ સ્ટોરી

8મા પગાર પંચ પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! કેન્દ્રીય કર્મચારીઓના પગાર પર થશે અસર
8મા પગાર પંચ પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! કેન્દ્રીય કર્મચારીઓના પગાર પર થશે અસર
કૃતિ સેનનના કપડાં પર વિવાદ: રાહુલ ગાંધીએ કહ્યું - ‘મહિલાઓ શું પહેરે તે તેમની પસંદગી છે’
કૃતિ સેનનના કપડાં પર વિવાદ: રાહુલ ગાંધીએ કહ્યું - ‘મહિલાઓ શું પહેરે તે તેમની પસંદગી છે’
TMCના 20 બળવાખોર સાંસદો સામે લટકતી તલવાર: સ્પીકરે કહ્યું - 7 દિવસની અંદર...
TMCના 20 બળવાખોર સાંસદો સામે લટકતી તલવાર: સ્પીકરે કહ્યું - 7 દિવસની અંદર...
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટીમાં લૂંટ ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાની અધિકારીઓને ધમકી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના માથાફોડ નેતા
Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ
MLA Dhavalsinh Zala : અરવલ્લીના ખેડૂતો માટે 10 કલાક વીજળીની માગ, ધારાસભ્યનો ઉર્જામંત્રીને પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
જેવા સાથે તેવા: આ દેશે અમેરિકા પર ઝીંક્યો $20 બિલિયનનો ટેરિફ! જાણો કેમ લીધો મોટો નિર્ણય
જેવા સાથે તેવા: આ દેશે અમેરિકા પર ઝીંક્યો $20 બિલિયનનો ટેરિફ! જાણો કેમ લીધો મોટો નિર્ણય
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગરને ક્રિકેટ રમવાની મંજૂરી મળી! જાણો કઈ શરતે મળી છૂટ?
છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગરને ક્રિકેટ રમવાની મંજૂરી મળી! જાણો કઈ શરતે મળી છૂટ?
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
Embed widget