શોધખોળ કરો

PM Modi : PM મોદીની પણ થઈ ચુકી છે 9 કલાક પુછપરછ, SITની ચા પણ ઠુકરાવેલી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડ કેસમાં લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

Arvind Kejriwal CBI: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડ કેસમાં લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન, તેમને એજન્સી દ્વારા 50 થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પછી અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, આ લોકો આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. મુખ્યમંત્રીની પૂછપરછ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓએ CBI ઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું. આગેવાનોએ સવાલ ઉઠાવ્યો હતો કે, લોકોએ ચૂંટેલા મુખ્યમંત્રીને કલાકો સુધી પૂછપરછ કરીને હેરાન કરવામાં આવે છે.

પરંતુ આ પહેલીવાર નથી જ્યારે કોઈ એજન્સીએ સીટીંગ સીએમને કલાકો સુધી પૂછપરછ કરી હોય. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ આવું બની ચુક્યું છે. વર્ષ 2010માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત રમખાણોના મામલામાં એસઆઈટી દ્વારા તેમની 9 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

ગુજરાતમાં નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જેમ ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીની પણ SIT દ્વારા 2010માં પૂછપરછ કરવામાં આવી હતી. 27 માર્ચ, 2010ના રોજ થયેલી આ પૂછપરછ પણ 9 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. નરેન્દ્ર મોદીને 2002ના ગુજરાત રમખાણો વિશે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં SIT દ્વારા લગભગ 100 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન મોદીએ SIT દ્વારા ઓફર કરવામાં આવેલી ચા લેવાની પણ ના પાડી દીધી હતી.



SITની પૂછપરછ બાદ તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, ગુજરાત રમખાણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા SITની રચના કરવામાં આવી છે. SITએ મને પત્ર લખીને 27મીએ મળવાનું કહ્યું હતું. આજે હું SIT સમક્ષ હાજર થઈ રહ્યો છું. તેઓએ મારી સાથે વિગતવાર વાત કરી છે. તેઓએ જે પ્રશ્નો પૂછતા હતા તે હું જવાબ આપી રહ્યો હતો. મેં પહેલેથી જ કહ્યું છે કે, ભારતનું બંધારણ અને કાયદો સર્વોચ્ચ છે. એક નાગરિક અને મુખ્યમંત્રી હોવાના નાતે હું કાયદાથી બંધાયેલો છું. કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર ન હોઈ શકે.

શું હતો ગુજરાત રમખાણોનો મામલો?

ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. થોડા મહિનાઓ બાદ જ ફેબ્રુઆરી 2002માં ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લાગી હતી. જેમાં 59 કાર સેવકો માર્યા ગયા હતાં. ત્યાર બાદ એક સમુદાય પર આનો આરોપ લાગ્યો હતો. આ ઘટનાના પગલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં રમખાણો ફાટી નિકળ્યા હતાં. ઘણા લોકોના ઘર સળગાવી દેવામાં આવ્યા અને સેંકડો લોકોની હત્યા કરવામાં આવી હતી. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં હત્યાકાંડો થયા હતાં અને ઘણા લોકો હથિયારો વડે માર્યા ગયા. તો કેટલાકને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતાં. કેટલાક લોકો ખુલ્લા ઈલેક્ટ્રીક વાયર છોડીને મોતને ભેટ્યા હતા. આ રમખાણોમાં લગભગ એક હજાર લોકોના મોત થયા હતા, જેમાંથી 700થી વધુ મુસ્લિમ હતા.

ગુજરાત રમખાણોના મામલામાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, નરેન્દ્ર મોદીએ અધિકારીઓને હિંદુ ભાવનાઓને ભડકતી અટકાવવાની સૂચના આપી હતી. જે બાદ આ હત્યાકાંડ થયો હતો. જો કે, લાંબી કાનૂની લડાઈ અને તપાસ બાદ નરેન્દ્ર મોદીને આ મામલે ક્લીનચીટ મળી છે. ગુજરાત રમખાણોના કેસમાં તેમને સુપ્રીમ કોર્ટમાંથી ક્લીનચીટ પણ મળી છે. જો કે અરવિંદ કેજરીવાલની આ કાનૂની લડાઈ કેટલો સમય ચાલશે અને તેમને આ મામલે કેટલી રાહત મળશે તે હજુ કહી શકાય તેમ નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંધ થવા જઈ રહી છે mAadhaar App, આજે જ ડાઉનલોડ કરો આ એપ નહીં તો મોટી મુશ્કેલી થશે
બંધ થવા જઈ રહી છે mAadhaar App, આજે જ ડાઉનલોડ કરો આ એપ નહીં તો મોટી મુશ્કેલી થશે
NEET ની બીજી વખત યોજાનારી પરીક્ષાને લઈ હાઈ લેવલ બેઠક, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી કડક સૂચનાઓ 
NEET ની બીજી વખત યોજાનારી પરીક્ષાને લઈ હાઈ લેવલ બેઠક, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી કડક સૂચનાઓ 
આવતીકાલનું હવામાનઃ આગામી 17 કલાક ભારે! 19 રાજ્યોમાં 81 kmph ની ઝડપે પવન સાથે વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ આગામી 17 કલાક ભારે! 19 રાજ્યોમાં 81 kmph ની ઝડપે પવન સાથે વરસાદની આગાહી
IMD Heavy Rain Alert: આ 14 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડાની ચેતવણી, 60 kmph ની ઝડપે પવન ફૂંકાશે
IMD Heavy Rain Alert: આ 14 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડાની ચેતવણી, 60 kmph ની ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ!
Hun To Bolish : હું તો બોલીશ : માનવ જિંદગી મહત્વની
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
Edible Oil Price Hike : યુદ્ધની અસરને પગલે હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો, કેટલો વધ્યો ભાવ?
Petrol Price Hike : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો, વાહનચાલકોમાં ભારે રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Playoff Scenario 2026: MIના હાથમાં PBKS, KKR અને CSKનું નસીબ, RR માટે જીત જરૂરી, જાણો પ્લેઓફનું ગણિત
IPL Playoff Scenario 2026: MIના હાથમાં PBKS, KKR અને CSKનું નસીબ, RR માટે જીત જરૂરી, જાણો પ્લેઓફનું ગણિત
આજે રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ, દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં હડતાળ
આજે રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ, દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં હડતાળ
Heatwave : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર
Heatwave : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર
Rajkot Crime News: રાજકોટમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ, ઘર,હોટલ અને કારમાં આચર્યું દુષ્કર્મ
Rajkot Crime News: રાજકોટમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ, ઘર,હોટલ અને કારમાં આચર્યું દુષ્કર્મ
PM Modi: PM મોદી અને ટ્રમ્પની આગામી મહિને થઈ શકે છે મુલાકાત, જાણો ક્યાં દેશમાં મળશે?
PM Modi: PM મોદી અને ટ્રમ્પની આગામી મહિને થઈ શકે છે મુલાકાત, જાણો ક્યાં દેશમાં મળશે?
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
RR vs LSG: સૂર્યવંશીના તોફાનમાં ઉડી લખનઉની ટીમ, રાજસ્થાનની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત
RR vs LSG: સૂર્યવંશીના તોફાનમાં ઉડી લખનઉની ટીમ, રાજસ્થાનની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત
Embed widget