શોધખોળ કરો

યોગીના મંત્રીનો દાવોઃ ...તો ઓવૈસી જનોઈ પહેરીને ભગવાન રામના નામનો જાપ શરૂ કરી દેશે....

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી ગયો છે ત્યારે ઉત્તર પ્રદેશના પંચાયતી રાજ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વિશે ચોકાવનારું નિવેદન આપ્યું છે.

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી ગયો છે ત્યારે ઉત્તર પ્રદેશના પંચાયતી રાજ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વિશે ચોકાવનારું નિવેદન આપ્યું છે. ચૌધરીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર ફરી વખત સત્તામાં આવશે તો એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ખભે જનોઈ પહેરીને ભગવાન રામના નામનો જાપ શરૂ કરી દેશે.

ચૌધરીએ કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે  અખિલેશ યાદવે હનુમાન મંદિરોમાં જઈને પૂજા કરવાનું શરૂ કરી દીધું છે.  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જનોઈ પહેરવાનું અને પોતાનું ગોત્ર કહેવાનું ચાલુ કરી દીધું છે ને યોગી જીતશે તો એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ખભે જનોઈ પહેરીને ભગવાન રામના નામનો જાપ શરૂ કરી દેશે.  

રાજ્ય વિધાન પરિષદના સભ્ય ચૌધરીએ રવિવારે શામલી ખાતે આયોજિત એક સભામાં ચૌધરીએ કહ્યું કે, એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ખભે જનોઈ પહેરીને ભગવાન રામના નામનો જાપ શરૂ કરી દેશે.  પત્રકારોએ સવાલ કર્યો હતો કે, તમને કેમ  એવું લાગે છે કે, ઓવૈસી જનોઈ પહેરવાનું શરૂ કરી દેશે ? આ  સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું કે, અમે અમારા એજન્ડાને આગળ વધારી રહ્યા છીએ અને  આ એજન્ડાના કારણે અખિલેશ યાદવે હનુમાન મંદિરોમાં જઈને પૂજા કરવાનું શરૂ કરી દીધું છે અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ જનોઈ પહેરવાનું અને પોતાનું ગોત્ર કહેવાનું ચાલુ કરી દીધું છે તેથી ઓવૈસી પણ આ રસ્તે ચાલશે જ.

ચૌધરીએ કહ્યું કે,   અમારી વિચારધારાનો પ્રભાવ એવો છે કે પોતાનો એજન્ડા છોડી દીધો છે અને અમારી નકલ કરવાનું શરૂ કરી દીધું છે. જે લોકો મુસ્લિમોના તૃષ્ટિકરણમાં ડૂબેલા હતા,  ફક્ત લઘુમતી અંગે બોલતા હતા,  ભગવાન રામના અસ્તિત્વનો સ્વીકાર નહોતો કર્યો અને કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને રામને કાલ્પનિક ગણાવ્યા હતા એવા લોકોએ  જનોઈ પહેરવાનું અને મંદિરોમાં જવાનું શરૂ કરી દીધું છે. 

આ પણ વાંચો

PM Svanidhi Yojana: કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ વર્ગો માટે ઘણી વિશેષ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત સરકાર ગરીબો, ખેડૂતો, મહિલાઓ સહિત તમામ વર્ગોને આર્થિક મદદ કરી રહી છે, તો આજે અમે તમને આવી જ યોજના વિશે જણાવીશું. કેન્દ્ર સરકાર, જેના હેઠળ તમે સરકાર પાસેથી સંપૂર્ણ રૂ. 10,000 મેળવી શકો છો. ચાલો તમને આ સ્કીમ વિશે વિગતવાર જણાવીએ-

તમને જણાવી દઈએ કે આ યોજનાનું નામ પીએમ સ્વનિધિ યોજના છે, જેના હેઠળ સરકાર સ્ટ્રીટ વેન્ડર્સને 10,000 રૂપિયાની સંપૂર્ણ લોન આપી રહી છે અને આ લોન લેવા માટે કોઈ ગેરંટી જરૂરી નથી. આ સિવાય જો તમે આ લોન સમયસર ચૂકવો છો તો તમને સબસિડીનો લાભ પણ મળે છે.

યોજનાનો લાભ કોણ લઈ શકે છે?

આ યોજનાનો લાભ વાળંદની દુકાન, મોચી, પાનવાડી, ધોબી, શાકભાજી વેચનાર, ફળ વિક્રેતા, સ્ટ્રીટ ફૂડ, ચાની દુકાન અથવા કિઓસ્ક, બ્રેડ પકોડે અથવા ઇંડા વેચનાર, હોકર, સ્ટેશનરી વેચનાર આ યોજનાનો લાભ લઈ શકે છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 

લોન સંબંધિત ખાસ વાતો-

સૌ પ્રથમ, લોન લેનારનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે.

આ લોન ફક્ત તે જ લોકોને મળશે જેઓ 24 માર્ચ 2020 ના રોજ અથવા તે પહેલા આવા કામમાં રોકાયેલા હતા.

આ લોનની યોજનાનો સમયગાળો માત્ર માર્ચ 2022 સુધીનો છે, તેથી જેમને તેની જરૂર છે તેઓએ તેની પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવી જોઈએ.

શહેરી હોય કે અર્ધશહેરી, ગ્રામ્ય, શેરી વિક્રેતાઓ આ લોન મેળવી શકે છે.

આ લોનના વ્યાજ પર સબસિડી ઉપલબ્ધ છે, તે ત્રિમાસિક ધોરણે સીધા જ લેનારાના ખાતામાં ટ્રાન્સફર થાય છે.

ગેરંટી ફ્રી લોન મેળવો

આ સ્કીમ હેઠળ, સ્ટ્રીટ વેન્ડર્સને એક વર્ષ માટે 10,000 રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન મળી શકે છે. આનો અર્થ એ છે કે તમારે લોન લેવા માટે કોઈપણ પ્રકારની ગેરેંટી આપવી પડશે નહીં. આ સિવાય તમે માસિક હપ્તામાં લોન ચૂકવી શકો છો.

જાણો સબસિડી ક્યારે મળશે?

તમને જણાવી દઈએ કે જો વેન્ડર પીએમ સ્વનિધિ સ્કીમમાં મળેલી લોનની નિયમિત ચુકવણી કરે છે, તો તેને વાર્ષિક 7 ટકા વ્યાજ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. વ્યાજ સબસિડીની રકમ ત્રિમાસિક ધોરણે લાભાર્થીના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવશે. જો તમે સમયસર લોન ચૂકવશો, તો તમારી સબસિડી તમારા ખાતામાં જમા થશે.

સત્તાવાર લિંક તપાસો

આ લોન વિશે વધુ માહિતી માટે, તમે https://pmsvanidhi.mohua.gov.in/ આ લિંકની મુલાકાત લઈ શકો છો.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech Live:  હંગામા વચ્ચે લોકસભામાં જવાબ આપી રહ્યા છે PM મોદી
PM Modi Lok Sabha Speech Live: હંગામા વચ્ચે લોકસભામાં જવાબ આપી રહ્યા છે PM મોદી
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech Live:  હંગામા વચ્ચે લોકસભામાં જવાબ આપી રહ્યા છે PM મોદી
PM Modi Lok Sabha Speech Live: હંગામા વચ્ચે લોકસભામાં જવાબ આપી રહ્યા છે PM મોદી
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી
6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી
Embed widget