શોધખોળ કરો

યોગીના મંત્રીનો દાવોઃ ...તો ઓવૈસી જનોઈ પહેરીને ભગવાન રામના નામનો જાપ શરૂ કરી દેશે....

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી ગયો છે ત્યારે ઉત્તર પ્રદેશના પંચાયતી રાજ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વિશે ચોકાવનારું નિવેદન આપ્યું છે.

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી ગયો છે ત્યારે ઉત્તર પ્રદેશના પંચાયતી રાજ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વિશે ચોકાવનારું નિવેદન આપ્યું છે. ચૌધરીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર ફરી વખત સત્તામાં આવશે તો એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ખભે જનોઈ પહેરીને ભગવાન રામના નામનો જાપ શરૂ કરી દેશે.

ચૌધરીએ કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે  અખિલેશ યાદવે હનુમાન મંદિરોમાં જઈને પૂજા કરવાનું શરૂ કરી દીધું છે.  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જનોઈ પહેરવાનું અને પોતાનું ગોત્ર કહેવાનું ચાલુ કરી દીધું છે ને યોગી જીતશે તો એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ખભે જનોઈ પહેરીને ભગવાન રામના નામનો જાપ શરૂ કરી દેશે.  

રાજ્ય વિધાન પરિષદના સભ્ય ચૌધરીએ રવિવારે શામલી ખાતે આયોજિત એક સભામાં ચૌધરીએ કહ્યું કે, એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ખભે જનોઈ પહેરીને ભગવાન રામના નામનો જાપ શરૂ કરી દેશે.  પત્રકારોએ સવાલ કર્યો હતો કે, તમને કેમ  એવું લાગે છે કે, ઓવૈસી જનોઈ પહેરવાનું શરૂ કરી દેશે ? આ  સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું કે, અમે અમારા એજન્ડાને આગળ વધારી રહ્યા છીએ અને  આ એજન્ડાના કારણે અખિલેશ યાદવે હનુમાન મંદિરોમાં જઈને પૂજા કરવાનું શરૂ કરી દીધું છે અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ જનોઈ પહેરવાનું અને પોતાનું ગોત્ર કહેવાનું ચાલુ કરી દીધું છે તેથી ઓવૈસી પણ આ રસ્તે ચાલશે જ.

ચૌધરીએ કહ્યું કે,   અમારી વિચારધારાનો પ્રભાવ એવો છે કે પોતાનો એજન્ડા છોડી દીધો છે અને અમારી નકલ કરવાનું શરૂ કરી દીધું છે. જે લોકો મુસ્લિમોના તૃષ્ટિકરણમાં ડૂબેલા હતા,  ફક્ત લઘુમતી અંગે બોલતા હતા,  ભગવાન રામના અસ્તિત્વનો સ્વીકાર નહોતો કર્યો અને કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને રામને કાલ્પનિક ગણાવ્યા હતા એવા લોકોએ  જનોઈ પહેરવાનું અને મંદિરોમાં જવાનું શરૂ કરી દીધું છે. 

આ પણ વાંચો

PM Svanidhi Yojana: કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ વર્ગો માટે ઘણી વિશેષ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત સરકાર ગરીબો, ખેડૂતો, મહિલાઓ સહિત તમામ વર્ગોને આર્થિક મદદ કરી રહી છે, તો આજે અમે તમને આવી જ યોજના વિશે જણાવીશું. કેન્દ્ર સરકાર, જેના હેઠળ તમે સરકાર પાસેથી સંપૂર્ણ રૂ. 10,000 મેળવી શકો છો. ચાલો તમને આ સ્કીમ વિશે વિગતવાર જણાવીએ-

તમને જણાવી દઈએ કે આ યોજનાનું નામ પીએમ સ્વનિધિ યોજના છે, જેના હેઠળ સરકાર સ્ટ્રીટ વેન્ડર્સને 10,000 રૂપિયાની સંપૂર્ણ લોન આપી રહી છે અને આ લોન લેવા માટે કોઈ ગેરંટી જરૂરી નથી. આ સિવાય જો તમે આ લોન સમયસર ચૂકવો છો તો તમને સબસિડીનો લાભ પણ મળે છે.

યોજનાનો લાભ કોણ લઈ શકે છે?

આ યોજનાનો લાભ વાળંદની દુકાન, મોચી, પાનવાડી, ધોબી, શાકભાજી વેચનાર, ફળ વિક્રેતા, સ્ટ્રીટ ફૂડ, ચાની દુકાન અથવા કિઓસ્ક, બ્રેડ પકોડે અથવા ઇંડા વેચનાર, હોકર, સ્ટેશનરી વેચનાર આ યોજનાનો લાભ લઈ શકે છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 

લોન સંબંધિત ખાસ વાતો-

સૌ પ્રથમ, લોન લેનારનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે.

આ લોન ફક્ત તે જ લોકોને મળશે જેઓ 24 માર્ચ 2020 ના રોજ અથવા તે પહેલા આવા કામમાં રોકાયેલા હતા.

આ લોનની યોજનાનો સમયગાળો માત્ર માર્ચ 2022 સુધીનો છે, તેથી જેમને તેની જરૂર છે તેઓએ તેની પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવી જોઈએ.

શહેરી હોય કે અર્ધશહેરી, ગ્રામ્ય, શેરી વિક્રેતાઓ આ લોન મેળવી શકે છે.

આ લોનના વ્યાજ પર સબસિડી ઉપલબ્ધ છે, તે ત્રિમાસિક ધોરણે સીધા જ લેનારાના ખાતામાં ટ્રાન્સફર થાય છે.

ગેરંટી ફ્રી લોન મેળવો

આ સ્કીમ હેઠળ, સ્ટ્રીટ વેન્ડર્સને એક વર્ષ માટે 10,000 રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન મળી શકે છે. આનો અર્થ એ છે કે તમારે લોન લેવા માટે કોઈપણ પ્રકારની ગેરેંટી આપવી પડશે નહીં. આ સિવાય તમે માસિક હપ્તામાં લોન ચૂકવી શકો છો.

જાણો સબસિડી ક્યારે મળશે?

તમને જણાવી દઈએ કે જો વેન્ડર પીએમ સ્વનિધિ સ્કીમમાં મળેલી લોનની નિયમિત ચુકવણી કરે છે, તો તેને વાર્ષિક 7 ટકા વ્યાજ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. વ્યાજ સબસિડીની રકમ ત્રિમાસિક ધોરણે લાભાર્થીના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવશે. જો તમે સમયસર લોન ચૂકવશો, તો તમારી સબસિડી તમારા ખાતામાં જમા થશે.

સત્તાવાર લિંક તપાસો

આ લોન વિશે વધુ માહિતી માટે, તમે https://pmsvanidhi.mohua.gov.in/ આ લિંકની મુલાકાત લઈ શકો છો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શૌચાલયો પણ સુરક્ષિત નહીં !
Hun To Bolish : હું તો બોલીશ : પાણી સાથે ન રમશો રમત
Hun To Bolish : હું તો બોલીશ : મહા કૌભાંડનો મહા પર્દાફાશ
Ahmedabad News: વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં વકર્યો રોગચાળો,  જુલાઈમાં ડેંગ્યૂના 10 અને કોલેરાના 6 કેસ નોંધાયા
Montu Patel Mega Scam: મહાકૌભાંડી ડૉ. મોન્ટુ પટેલના વધુ એક પાપનો પર્દાફાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
'શું પાકિસ્તાને IAF નું રાફેલ તોડી પાડ્યું?': 'ઓપરેશન સિંદૂર'નો ચોંકાવનારો ખુલાસો, ભારતના ગુપ્ત 'X-ગાર્ડ' પ્લાને….
'શું પાકિસ્તાને IAF નું રાફેલ તોડી પાડ્યું?': 'ઓપરેશન સિંદૂર'નો ચોંકાવનારો ખુલાસો, ભારતના ગુપ્ત 'X-ગાર્ડ' પ્લાને….
રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
મરાઠી ભાષા વિવાદ પર RSS નું મોટું નિવેદન: સુનીલ આંબેકરે કહ્યું - 'બધા લોકો પહેલાથી જ....'
મરાઠી ભાષા વિવાદ પર RSS નું મોટું નિવેદન: સુનીલ આંબેકરે કહ્યું - 'બધા લોકો પહેલાથી જ....'
Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
Embed widget