શોધખોળ કરો

News: વડોદરામાં કોમી એખલાસ, મુસ્લિમ અગ્રણીની અંતિમ યાત્રા નીકળતા ગરબા 30 મિનીટ માટે રોકાયા, જાણો

વડોદરા શહેરમાં રાજમહેલ રૉડ પર તાડફળિયા ગરબા મહોત્સવમાં આ ઘટના ઘટી, અહીં તાડફળિયા વિસ્તારમાં ત્રીજા નોરતાની રમઝટ જામી હતી,

News: અત્યારે સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ધૂમ ચાલી રહી છે, ઠેર ઠેર ખૈલાયાઓ ગરબાની રમઝટ જમાવી રહ્યાં છે, નવરાત્રી હિન્દુઓનો પવિત્ર તહેવાર છે, આ હિન્દુ તહેવારોમાં હિન્દુ અને મુસ્લિમોની એકતા અને કોમી એખલાસના દર્શન વડોદરામાં થયા છે. ગઇ કાલે ત્રીજા નોરતે વડોદરામાં એક એવી ઘટના ઘટી જેમાં હિન્દુ અને મુસ્લિમની કોમી એકતા જોવા મળી હતી. 


News: વડોદરામાં કોમી એખલાસ, મુસ્લિમ અગ્રણીની અંતિમ યાત્રા નીકળતા ગરબા 30 મિનીટ માટે રોકાયા, જાણો

ગઇકાલે રાત્રે વડોદરા શહેરમાં રાજમહેલ રૉડ પર તાડફળિયા ગરબા મહોત્સવમાં આ ઘટના ઘટી, અહીં તાડફળિયા વિસ્તારમાં ત્રીજા નોરતાની રમઝટ જામી હતી, પરંતુ બાજુમાં અચાનક એક મુસ્લિમ અગ્રણીનું અવસાન થયુ હતુ. 60 વર્ષીય હૂસેન કોલીવાલાનું રાત્રે 10 વાગે અવસાન થયુ હતુ, જે પછી તેમની અંતિમ યાત્રા પણ રાત્રે જ કાઢવામાં આવી હતી,


News: વડોદરામાં કોમી એખલાસ, મુસ્લિમ અગ્રણીની અંતિમ યાત્રા નીકળતા ગરબા 30 મિનીટ માટે રોકાયા, જાણો

આ દરમિયાન તાડફળિયા વિસ્તારના ગરબા મહોત્સવમાં કોમી એખલાસ જોવા મળ્યો હતો, જ્યારે હૂસેન કોલીવાલાની અંતિમ યાત્રા નીકળી તો તાડફળિયા શેરી ગરબામાં મુસ્લિમ અગ્રણીના જનાજાને શ્રદ્ધાંજલિ સાથે વિદાય આપવા માટે ગરબાની રમઝટને 30 મિનીટ માટે રોકી દેવામાં આવી હતી. ખાસ વાત છે કે, છેલ્લા 50 વર્ષથી આ વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ એકસાથે તહેવારોની ઉજવણી કરી રહ્યાં છે. 


News: વડોદરામાં કોમી એખલાસ, મુસ્લિમ અગ્રણીની અંતિમ યાત્રા નીકળતા ગરબા 30 મિનીટ માટે રોકાયા, જાણો

 

ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર, પોલીસ ગરબા બંધ નહીં કરાવે - 

નવરાત્રિનું આજે ત્રીજું નોરતું છે. આ દરમિયાન ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ આજથી ગરબા બંધ નહીં કરાવે, જેથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યની પોલીસને મૌખિક સૂચના આપવામાં આવી છે. તમામ એસપી અને પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે. પોલીસને ગરબા બંધ નહીં કરવા જવાની સૂચના અપાઈ છે.

નવરાત્રિ અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસના એક્શન પ્લાનની માહિતી આપતા અમદાવાદ શહેર પશ્ચિમ ટ્રાફિક DCP નીતા દેસાઈએ કહ્યું કે અત્યાર સુધી મોડી રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક વિભાગના 1500 જવાનો બંદોબસ્તમાં હતા, હવે તેમાં 600નો વધારો કરીને 2100 જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.અમદાવાદ શહેરમાં 113 પોઇન્ટ એવા છે જ્યાં વધારે ટ્રાફિક થાય છે. નવરાત્રિ દરમિયાન સ્પેશિયલ 600 જવાનોને મોડી રાત દમિયાન ટ્રાફિક નિયમનમાં રહેશે. વધારે ટ્રાફિક થતાં શહેરના વિસ્તારોમાં નવી સ્પેશિયલ ટીમ મૂકવામાં આવી છે. મોડી રાત્રે ટ્રાફિકના જવાનો રેડિયમ વાળા જેકેટ પહેરીને હાજર રહેશે. 

નીતા દેસાઈએ કહ્યું હતું કે, ડ્રીંક એન્ડ ડ્રાઈવને લઈને ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં રહશે. ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને ઓવર સ્પીડ કાર ચલાવશે તો તેની સામે કાર્યવાહી થશે. ટ્રાફિક વિભાગ 150 જેટલા બ્રેથ એનેલાઈઝર મશીન અને કુલ 39 સ્પીડ ગનનો ઉપયોગ કરશે. 9 ઈન્ટરસેપ્ટ વાન હાઇવે પર હાજર રહેશે. ટ્રાફિકના નિયમોનું ધ્યાન રાખીને તહેવારોની ઉજવણી કરવી જોઈએ. ટ્રાફિક વિભાગ નવરાત્રી નહીં ઉજવે પણ તમે નવરાત્રી ઉજવી શકો તે માટે અમે બંદોબસ્તમાં રહીશું. નવરાત્રી દરમિયાન ટ્રાફિક વિભાગ, લોકલ પોલીસ અને શી ટીમ હાજર રહેશે. ચાલુ ગરબા દરમિયાન રોમિયોગીરી કરતા લોકોની શી ટીમ ધરપકડ કરશે.

15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી નવરાત્રિ દરમિયાન અનેક શુભ યોગ બની રહ્યા છે, જેમાં મિલકત, આભૂષણો, વાહનો અને ઈલેક્ટ્રોનિક સામાનની ખરીદી કરવી પણ શુભ રહેશે. જ્યોતિષ ડો.અનીશ વ્યાસે જણાવ્યું હતું કે આ વખતે રવિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી હોવાથી દેવી હાથી પર સવાર થઈને આવ્યા છે.

દેવી દુર્ગાનું આગમન દુઃખમાંથી મુક્તિ સૂચવે છે. આ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. હાથીનો સંબંધ વિઘ્નહર્તા ગણેશ અને દેવી મહાલક્ષ્મી સાથે પણ છે. આ કારણથી આ દિવસોમાં કરવામાં આવેલી ખરીદી શુભ રહેશે અને લાંબા સમય સુધી રોકાણ લાભદાયી રહેશે. 15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી સર્વાર્થસિદ્ધિ, રાજયોગ, ત્રિપુષ્કર, અમૃતસિદ્ધિ અને રવિયોગ તિથિઓ, સમય અને નક્ષત્રો અનુસાર બની રહ્યો છે. આ શુભ સંયોગો સુખ-સમૃદ્ધિમાં વધારો કરશે.

જ્વેલરી, નવી પ્રોપર્ટી ખરીદવી કે ફ્લેટ બુક કરાવવો એ ખાસ યોગ દરમિયાન લાભદાયક રહેશે. આ ઉપરાંત નવા કાર્યોની શરૂઆત કરવામાં પણ સફળતા મળશે. કાર, સોનું, ચાંદી, કપડાં, વાસણોની ખરીદી શુભ રહેશે. ઘરેણાં, કાર, જમીન, મકાન, ઘરવપરાશની વસ્તુઓ જેવી કે ફ્રીજ, ટીવી વગેરેની ખરીદી શુભ સાબિત થશે. આ સમય દરમિયાન તમે તમારી મનપસંદ વસ્તુઓની ખરીદી કરીને તમારા ઘરમાં ખુશીઓ લાવી શકો છો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Embed widget